પદ્મિની/‘પદ્મિની’ની સમીક્ષા : રમણ સોની: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|‘પદ્મિની’ની સમીક્ષા : રમણ સોની|}}
{{Heading|‘પદ્મિની’ની સમીક્ષા : રમણ સોની|કૃષ્ણલાલ શ્રીધરાણી, રમણ સોની, સાહિત્ય અકાદેમી, દિલ્હી,1998-માંથી}}
<Center>(કૃષ્ણલાલ શ્રીધરાણી, રમણ સોની, સાહિત્ય અકાદેમી, દિલ્હી,1998-માંથી)</Center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
દૃશ્યવિભાજન વિનાના સળંગ ત્રણ અંકોમાં લખાયેલું ‘પદ્મિની’ શ્રીધરાણીનું સૌથી વધુ અભિનેય નાટક છે. શબ્દ કરતાં ક્રિયા તરફનો ઝોક એમાં વધારે છે. નાટકમાં ગીત મૂકવાનો શ્રીધરાણીનો જાણીતો શોખ અહીં નથી. નાટ્યગતિ વેગીલી ને અસરકારક છે. એટલે આ નાટક એમના દરેક વિવેચકની પ્રશંસા પામ્યું છે.
દૃશ્યવિભાજન વિનાના સળંગ ત્રણ અંકોમાં લખાયેલું ‘પદ્મિની’ શ્રીધરાણીનું સૌથી વધુ અભિનેય નાટક છે. શબ્દ કરતાં ક્રિયા તરફનો ઝોક એમાં વધારે છે. નાટકમાં ગીત મૂકવાનો શ્રીધરાણીનો જાણીતો શોખ અહીં નથી. નાટ્યગતિ વેગીલી ને અસરકારક છે. એટલે આ નાટક એમના દરેક વિવેચકની પ્રશંસા પામ્યું છે.
Line 26: Line 26:
કવિ શ્રીધરાણી, આ નાટકમાં પણ, અનુપસ્થિત રહ્યા નથી. રંગસૂચનાઓમાં ‘પદ્મિની આંસુથી એક કાંગરાને પલાળી દે છે’ જેવાં વાક્યો કેટલીક જગાએ સરી આવ્યાં છે; સંવાદોને લંબાવતી ને બહેલાવતી વાગ્મિતા પણ ક્યાંક-ક્યાંક સામે મળે છે તથા ‘જો ટેકરીઓને ટાઢ વાતી હશે, તો ચિતોડની વીરાંગનાઓ પોતાના સૌંદર્યદેહનો સળગાવી તેઓને હૂંફ આપશે જ’ એવી રંગદર્શી વાક્યછટાઓ પણ અહીં જોવા મળશે. પણ એનું પ્રમાણ ઘણું ઓછું છે ને એને સામે પક્ષે બોલચાલની સહજતાવાળા, પાત્રોચિત ને પ્રસંગોચિત સંવાદો એનું જમાપાસું છે. કાજી અને રજપૂત રાજપુરુષો વચ્ચેના સંવાદોમાં ગુંથાયેલી ઉર્દૂ-હિન્દીની છાંટવાળી ગુજરાતી ભાષા એનું એક ધ્યાનાર્હ દૃષ્ટાંત છે.
કવિ શ્રીધરાણી, આ નાટકમાં પણ, અનુપસ્થિત રહ્યા નથી. રંગસૂચનાઓમાં ‘પદ્મિની આંસુથી એક કાંગરાને પલાળી દે છે’ જેવાં વાક્યો કેટલીક જગાએ સરી આવ્યાં છે; સંવાદોને લંબાવતી ને બહેલાવતી વાગ્મિતા પણ ક્યાંક-ક્યાંક સામે મળે છે તથા ‘જો ટેકરીઓને ટાઢ વાતી હશે, તો ચિતોડની વીરાંગનાઓ પોતાના સૌંદર્યદેહનો સળગાવી તેઓને હૂંફ આપશે જ’ એવી રંગદર્શી વાક્યછટાઓ પણ અહીં જોવા મળશે. પણ એનું પ્રમાણ ઘણું ઓછું છે ને એને સામે પક્ષે બોલચાલની સહજતાવાળા, પાત્રોચિત ને પ્રસંગોચિત સંવાદો એનું જમાપાસું છે. કાજી અને રજપૂત રાજપુરુષો વચ્ચેના સંવાદોમાં ગુંથાયેલી ઉર્દૂ-હિન્દીની છાંટવાળી ગુજરાતી ભાષા એનું એક ધ્યાનાર્હ દૃષ્ટાંત છે.
એટલે, ઝડપી ગતિવાળો ઘટનાપ્રવાહ, પ્રસંગ-અંશોનુ કુશળ સંકલન, મૂળ પ્રવાહથી આડા ન ફંટાતા લક્ષ્યગામી સંવાદો તથા સંઘર્ષમય પરસ્થિતિઓનું નિર્માણ — એ બધાથી શ્રીધરાણીનું આ નાટક રંગભૂમિની પણ યાદગાર કૃતિ બને છે.{{Poem2Close}}
એટલે, ઝડપી ગતિવાળો ઘટનાપ્રવાહ, પ્રસંગ-અંશોનુ કુશળ સંકલન, મૂળ પ્રવાહથી આડા ન ફંટાતા લક્ષ્યગામી સંવાદો તથા સંઘર્ષમય પરસ્થિતિઓનું નિર્માણ — એ બધાથી શ્રીધરાણીનું આ નાટક રંગભૂમિની પણ યાદગાર કૃતિ બને છે.{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[પદ્મિની/તારતમ્યનાં ત્રાજવાં’ : લેખકનો નાટકની સંદર્ભ-ચર્ચા કરતો લેખ|તારતમ્યનાં ત્રાજવાં’ : લેખકનો નાટકની સંદર્ભ-ચર્ચા કરતો લેખ]]
|next = [[પદ્મિની/કૃષ્ણલાલ શ્રીધરાણી : જીવનક્રમિકા |કૃષ્ણલાલ શ્રીધરાણી : જીવનક્રમિકા ]]
}}
26,604

edits