કાવ્યચર્ચા/કાકાસાહેબનો અલંકારવૈભવ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''કાકાસાહેબનો અલંકારવૈભવ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|કાકાસાહેબનો અલંકારવૈભવ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દરિયાકાંઠે બેઠાં બેઠાં હાથમાં એક કાંકરાને રમાડતો હતો. સ્પર્શથી એના રૂપનો પરિચય કરતો હતો. એ રૂપ દરિયાનાં મોજાંએ ઘડ્યું હતું, પવને પણ એની આંગળી એના પર ફેરવી હતી, દૂરના સૂરજનો પણ રૂપ ઘડવામાં હાથ હતો. એ કાંકરાને સ્પર્શતાં જળ, પવન અને તેજના સ્પર્શનો પણ અનુભવ થયો. એક રીતે જોતાં કાંકરાનું રૂપ એ ત્રણ તત્ત્વોનો સ્પર્શ કરાવવાનું નિમિત્ત બન્યું.
દરિયાકાંઠે બેઠાં બેઠાં હાથમાં એક કાંકરાને રમાડતો હતો. સ્પર્શથી એના રૂપનો પરિચય કરતો હતો. એ રૂપ દરિયાનાં મોજાંએ ઘડ્યું હતું, પવને પણ એની આંગળી એના પર ફેરવી હતી, દૂરના સૂરજનો પણ રૂપ ઘડવામાં હાથ હતો. એ કાંકરાને સ્પર્શતાં જળ, પવન અને તેજના સ્પર્શનો પણ અનુભવ થયો. એક રીતે જોતાં કાંકરાનું રૂપ એ ત્રણ તત્ત્વોનો સ્પર્શ કરાવવાનું નિમિત્ત બન્યું.
Line 65: Line 66:
કાકાસાહેબની વિનોદવૃત્તિ પણ આ અલંકારયોજનામાં ઠીક ઠીક ભાગ ભજવે છે. કાગળને બે ભાગમાં ફાડવા માટે ‘જરાસંધ’નો પ્રયોગ, casting vote માટે તુલસીપત્ર, printer’s devilનો શબ્દશ: અનુવાદ મુદ્રારાક્ષસ – આ તો આજે ખૂબ જાણીતા થઈ ગયા છે. સંસ્કૃત સાહિત્યના પરિશીલનના સંસ્કાર આ અલંકારરચનામાં વરતાય જ છે, તે ઉપરાંત રવીન્દ્ર-સાહિત્યનો રસાસ્વાદ પણ પરોક્ષ રીતે એમના પર પ્રભાવ પાડે છે. મોટે ભાગે બાલોચિત કૌતુક ને અકૃત્રિમ વિસ્મય એમની અલંકારરચનાને પ્રેરે છે. એમનો વ્યાપ બહુ મોટો નથી, કેટલાંક પુનરાવર્તનો પણ થયા કરતાં હોય છે ને ઘણી વાર ઉપદેશક કાકાસાહેબની છાયા પણ પડતી હોય છે તેમ છતાં એમાં ધરાઈ ધરાઈ ને માણવા જેવી સામગ્રી ઓછી નથી. આ અલંકારો ગદ્યમાં આવતા હોવાથી કાવ્યમાં એનો સમસ્ત રચના સાથેનો જે મજ્જાગત સમ્બન્ધ દેખાય તેવું અહીં બનતું નથી એ પણ ખરું, છતાં ગદ્યમાં એ નવી છટા પ્રકટાવે છે એટલું નક્કી.
કાકાસાહેબની વિનોદવૃત્તિ પણ આ અલંકારયોજનામાં ઠીક ઠીક ભાગ ભજવે છે. કાગળને બે ભાગમાં ફાડવા માટે ‘જરાસંધ’નો પ્રયોગ, casting vote માટે તુલસીપત્ર, printer’s devilનો શબ્દશ: અનુવાદ મુદ્રારાક્ષસ – આ તો આજે ખૂબ જાણીતા થઈ ગયા છે. સંસ્કૃત સાહિત્યના પરિશીલનના સંસ્કાર આ અલંકારરચનામાં વરતાય જ છે, તે ઉપરાંત રવીન્દ્ર-સાહિત્યનો રસાસ્વાદ પણ પરોક્ષ રીતે એમના પર પ્રભાવ પાડે છે. મોટે ભાગે બાલોચિત કૌતુક ને અકૃત્રિમ વિસ્મય એમની અલંકારરચનાને પ્રેરે છે. એમનો વ્યાપ બહુ મોટો નથી, કેટલાંક પુનરાવર્તનો પણ થયા કરતાં હોય છે ને ઘણી વાર ઉપદેશક કાકાસાહેબની છાયા પણ પડતી હોય છે તેમ છતાં એમાં ધરાઈ ધરાઈ ને માણવા જેવી સામગ્રી ઓછી નથી. આ અલંકારો ગદ્યમાં આવતા હોવાથી કાવ્યમાં એનો સમસ્ત રચના સાથેનો જે મજ્જાગત સમ્બન્ધ દેખાય તેવું અહીં બનતું નથી એ પણ ખરું, છતાં ગદ્યમાં એ નવી છટા પ્રકટાવે છે એટલું નક્કી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કાવ્યચર્ચા/બ ક ઠાકોરનો કાવ્યાદર્શ|બ. ક. ઠાકોરનો કાવ્યાદર્શ]]
|next = [[કાવ્યચર્ચા/રવીન્દ્રનાથની કવિતા ગતિ અને વ્યાપ્તિ|રવીન્દ્રનાથની કવિતા: ગતિ અને વ્યાપ્તિ]]
}}