ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જાગીને જોઉં તો: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''જાગીને જોઉં તો'''}} ---- {{Poem2Open}} સવારે ઊઠીને આંખ ખોલતાંની સાથે એક પ્રબ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''જાગીને જોઉં તો'''}}
{{SetTitle}}
----
{{Heading|જાગીને જોઉં તો | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારે ઊઠીને આંખ ખોલતાંની સાથે એક પ્રબળ પ્રલોભન મારા મનનો કબજો લઈ બેસે છે. નિદ્રા દરમિયાન ચેતનાના સાતમા પાતાળમાં જઈને જે જોયું હોય છે તેને સવારના આપણા સચ્ચાઈભર્યા વાસ્તવિક સૂર્ય પાસે પ્રમાણિત કરાવી લેવાનું મન થાય છે. એ સાતમા પાતાળમાં નથી કોઈ પાતાળકન્યા કે નથી બલિરાજા. રત્નો કે મોતીનો ભંડાર પણ નથી. ત્યાં થીજેલાં આંસુનો એક બિલોરી મહેલ છે. એ મહેલમાં જે વસે છે તે તો એક પ્રકારનો અગ્નિ, પણ આપણને પરિચિત અગ્નિનો જે વર્ણ છે તે એનો નથી, માટે હું એને અગ્નિ કહેતાં સહેજ ખચકાઉં છું. વળી એ અગ્નિ હોવા છતાં થીજેલાં આંસુને પિગળાવતો નથી. છતાં પોતાની જિહ્વા ફેલાવીને અણુએ અણુમાં વ્યાપી જવાની એની પ્રવૃત્તિ અગ્નિના જેવી જ છે. એ અગ્નિને તેજ નથી. આથી જ તો એ સૃષ્ટિની રૂપરેખા હું જોઈ શકતો નથી. આથી જ તો સૂર્ય એને વાસ્તવિક રૂપ આપે એવો મને લોભ છે.
સવારે ઊઠીને આંખ ખોલતાંની સાથે એક પ્રબળ પ્રલોભન મારા મનનો કબજો લઈ બેસે છે. નિદ્રા દરમિયાન ચેતનાના સાતમા પાતાળમાં જઈને જે જોયું હોય છે તેને સવારના આપણા સચ્ચાઈભર્યા વાસ્તવિક સૂર્ય પાસે પ્રમાણિત કરાવી લેવાનું મન થાય છે. એ સાતમા પાતાળમાં નથી કોઈ પાતાળકન્યા કે નથી બલિરાજા. રત્નો કે મોતીનો ભંડાર પણ નથી. ત્યાં થીજેલાં આંસુનો એક બિલોરી મહેલ છે. એ મહેલમાં જે વસે છે તે તો એક પ્રકારનો અગ્નિ, પણ આપણને પરિચિત અગ્નિનો જે વર્ણ છે તે એનો નથી, માટે હું એને અગ્નિ કહેતાં સહેજ ખચકાઉં છું. વળી એ અગ્નિ હોવા છતાં થીજેલાં આંસુને પિગળાવતો નથી. છતાં પોતાની જિહ્વા ફેલાવીને અણુએ અણુમાં વ્યાપી જવાની એની પ્રવૃત્તિ અગ્નિના જેવી જ છે. એ અગ્નિને તેજ નથી. આથી જ તો એ સૃષ્ટિની રૂપરેખા હું જોઈ શકતો નથી. આથી જ તો સૂર્ય એને વાસ્તવિક રૂપ આપે એવો મને લોભ છે.
Line 40: Line 40:
દિવસની ગતિ બદલાય છે. સૂર્ય જરાક ત્રાંસો થાય છે. એ તિર્યકતા સૃષ્ટિને પણ જરાક ત્રાંસી કરે છે. આથી કબાટની ભગવદ્ગીતામાંના સોળમા અધ્યાયમાં જુદી જુદી રાખેલી આસુરી અને દૈવી સંપત્તિ અવળસવળ થઈ જાય છે. હૉસ્પિટલનો મુમુર્ષુ દર્દી આખરી પડખું બદલે છે. ધોળા ધોળા પડદાને પવનની આંગળીએ હડસેલીને ધોળું ધોળું મરણ અંદર પ્રવેશે છે. આ નગરમાં ક્યાંય કોઈ એ મરણના પડછાયાનો અણસાર પામતું નથી.
દિવસની ગતિ બદલાય છે. સૂર્ય જરાક ત્રાંસો થાય છે. એ તિર્યકતા સૃષ્ટિને પણ જરાક ત્રાંસી કરે છે. આથી કબાટની ભગવદ્ગીતામાંના સોળમા અધ્યાયમાં જુદી જુદી રાખેલી આસુરી અને દૈવી સંપત્તિ અવળસવળ થઈ જાય છે. હૉસ્પિટલનો મુમુર્ષુ દર્દી આખરી પડખું બદલે છે. ધોળા ધોળા પડદાને પવનની આંગળીએ હડસેલીને ધોળું ધોળું મરણ અંદર પ્રવેશે છે. આ નગરમાં ક્યાંય કોઈ એ મરણના પડછાયાનો અણસાર પામતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ|જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/સત્ય|સત્ય]]
}}
19,010

edits