સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુ પંડિત/એવા ગુરુજનો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણને આપણા કરતાં પણ વધારે ઓળખી શકનારા ગુરુજનો કોઈ વાર મળી...")
 
(No difference)

Latest revision as of 10:40, 5 June 2021

          આપણને આપણા કરતાં પણ વધારે ઓળખી શકનારા ગુરુજનો કોઈ વાર મળી આવે છે. તેઓ આપણને આંતરબાહ્ય રીતે જાણીને આપણા પર પ્રેમ કરે છે. આવા ગુરુજનો મળે પછી પોતાની જાત એમને ચરણે ધરી દેવી રહે. એવા મને મળ્યા જુગતરામ દવે, મુનિ સંતબાલજી અને આશાદેવી તથા આર્યનાયકમજી. [‘જીવનસ્મૃતિ’ માસિક : ૨૦૦૬]