અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૭. યથાર્થ જ સુપથ્ય એક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 20: Line 20:


{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}
{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)}}
</poem>
</poem>
<br>
<br>
<center>&#9724;
ઉમાશંકર જોશી • આત્માનાં ખંડેર: સૉનેટમાલા • કવિના સ્વમુખે કાવ્યપઠન:
<br>
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/74/06-Atmana_Khander.mp3
}}
<br>
<center>&#9724;
{{HeaderNav2
|previous = આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૨. મૃત્યુ માંડે મીટ
|next = ગાણું અધૂરું
}}

Latest revision as of 12:47, 20 October 2021


આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૭. યથાર્થ જ સુપથ્ય એક

ઉમાશંકર જોશી

ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
ન ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની
ભમાવતી અસત્યચક્ર રચી રમ્ય ભ્રાન્તિ તણાં.
જગે દુરિતલોપની ઉર અશક્ય ના વાંછના,
ન વા ધગશ સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની;
ડગેડગ વધારતી વજન શૃંખલા કાલની,
દમેદમ પધારતી નિકટ શાશ્વતી યામિની.

ન શાંતિ-ચિતસૌખ્ય-કાજ જગ ડ્હોળવાં મંથને,
ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસંતી જ તો.
મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે;
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુખો.
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.

મુંબઈ, ૯-૯-૧૯૩૫
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)



ઉમાશંકર જોશી • આત્માનાં ખંડેર: સૉનેટમાલા • કવિના સ્વમુખે કાવ્યપઠન: