અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૭. યથાર્થ જ સુપથ્ય એક: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
◼
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 20: | Line 20: | ||
{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}} | {{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)}} | |||
</poem> | </poem> | ||
<br> | |||
<br> | |||
<center>◼ | |||
ઉમાશંકર જોશી • આત્માનાં ખંડેર: સૉનેટમાલા • કવિના સ્વમુખે કાવ્યપઠન: | |||
<br> | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/74/06-Atmana_Khander.mp3 | |||
}} | |||
<br> | |||
<center>◼ | |||
{{HeaderNav2 | |||
|previous = આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૨. મૃત્યુ માંડે મીટ | |||
|next = ગાણું અધૂરું | |||
}} |
Latest revision as of 12:47, 20 October 2021
આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૭. યથાર્થ જ સુપથ્ય એક
ઉમાશંકર જોશી
ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
ન ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની
ભમાવતી અસત્યચક્ર રચી રમ્ય ભ્રાન્તિ તણાં.
જગે દુરિતલોપની ઉર અશક્ય ના વાંછના,
ન વા ધગશ સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની;
ડગેડગ વધારતી વજન શૃંખલા કાલની,
દમેદમ પધારતી નિકટ શાશ્વતી યામિની.
ન શાંતિ-ચિતસૌખ્ય-કાજ જગ ડ્હોળવાં મંથને,
ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસંતી જ તો.
મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે;
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુખો.
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.
મુંબઈ, ૯-૯-૧૯૩૫
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)
ઉમાશંકર જોશી • આત્માનાં ખંડેર: સૉનેટમાલા • કવિના સ્વમુખે કાવ્યપઠન: