અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/અંતરતમ સખાને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(બુદ્ધિપ્રકાશ, જુલાઈ)}}
{{Right|(બુદ્ધિપ્રકાશ, જુલાઈ)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/સાતમો કોઠો | સાતમો કોઠો]]  | સ્ટીલની થાળીમાં રોજ હું જે ચોખા વીણવા...]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/મને થતું : | મને થતું :]]  | ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક! ]]
}}

Latest revision as of 10:36, 21 October 2021

અંતરતમ સખાને

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

(શિખરિણી સૉનેટ)


હવે મેં જાણ્યું કે મુજ ભીતરમાં ગૂઢ કંઈ છે
કશું જે તારા શું અદીઠ, મુજને જાળવી રહ્યું,
વિપત્તિવેળાએ અમથું ઊંચકી તારવી રહ્યું,
નહીં તો માન્યું’તુંઃ મુજ મીત જગે કોઈ નહીં છે.
મને હું એકાકી, મન હિ મન, નિઃસંગી નીરખી
રહ્યો’તો મૂંઝાઈ, પણ રજનીએ જ્યાં સૂઈ ગયો
કળીઓ ચિંતાની તવ ચરણ મૂકી હળુ થયો;
સવારે જોયું તો ખીલી’તી ફિકરો ફૂલ સરખી!
થયું કે કોઈ છે નકી, વિપદવેલે મુજ સખા
સદા મારી સાથે અણદીઠ રહી સહાય કરતો,
પ્રતિચ્છાયા જેવો, ફિકરમહીં મારી જ કરતો,
અને એને જોયા પછીથી મન એવા અભરખા...
હું પૂછું છું તારસ્વરથી ‘કુણ તું’ કહે તવ કથા
અજાણ્યા બંધુ હે, બહુ થયું, હવે તો પ્રગટ થા.

(બુદ્ધિપ્રકાશ, જુલાઈ)