અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/પ્રલય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મોટેરાંઓ અમે બધાં એક દિન વાતે વળ્યાં, સૃષ્ટિના પ્રલયતણી અટકળે સ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પ્રલય|સુરેશ જોષી}}
<poem>
<poem>
મોટેરાંઓ અમે બધાં એક દિન વાતે વળ્યાં,
મોટેરાંઓ અમે બધાં એક દિન વાતે વળ્યાં,
Line 17: Line 19:
આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.
આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = થાક
|next = મૃણાલ, મૃણાલ તું સાંભળે છે?
}}

Latest revision as of 11:16, 21 October 2021

પ્રલય

સુરેશ જોષી

મોટેરાંઓ અમે બધાં એક દિન વાતે વળ્યાં,
સૃષ્ટિના પ્રલયતણી અટકળે સહુ ચઢ્યાં:
અમુક વરસ પછી ઠરી જાશે આ સૂરજ,
કોઈ જીવશે ના ત્યારે, કેવું ભારે અચરજ!
દાદા હસ્યા, દાદી હસ્યાં, મજા ભારે પડી,
એકાએક રડી ઊઠી કીકી મારી ટબૂકડી!
‘શું છે બેટા? થયું છે શું? કહે શાને રડે?’
પૂછતો હું જાઉં તેમ ડૂમો એને ભારે ચઢે.
નાનકડા બે હાથે એ ઢીંગલીને ઢાંકે,
બોલવાને જાય કશું, બોલી જ ના શકે.
‘ઢીંગલીનું તો શું થશે?’ બોલી એ ત્રુટક,
ફરી આંસુ વહી રહ્યાં ડબક ડબક!
ઉષ્ણ એના નિ:શ્વાસની આંચે
લાખ સૂર્ય સળગી શું નહિ ઊઠે સાચે?

આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.