અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/આભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આભ|મણિલાલ દેસાઈ}} <poem> આભને નહીં હોય રે આભની માયા નહિ તો એ વેર...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(રાનેરી, ૧૯૬૮, પૃ. ૬૧)}}
{{Right|(રાનેરી, ૧૯૬૮, પૃ. ૬૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =અંધારું
|next =કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો (જંગલો)
}}

Latest revision as of 10:22, 23 October 2021


આભ

મણિલાલ દેસાઈ

આભને નહીં હોય રે આભની માયા
નહિ તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં ર્હેય રે એની સોનલવરણી છાયા!
વાદળી જરાક ઝૂકતી જરાક ઝરતી ક્વચિત્ નાવ લઈને નિજની
ર્હેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત!
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!
ઊતરે જોઈ જલ ને રહે ઝૂકતું જોઈ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઈ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કૂવાથાળે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજતું એનું તંન!
કોઈ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી ર્હેતી છાયા!
(રાનેરી, ૧૯૬૮, પૃ. ૬૧)