ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેતિવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નેતિવાદ (Nihilism)'''</span> : સ્થાપિત મૂલ્યોના સંપૂર્ણ અસ્વી...") |
(No difference)
|
Revision as of 03:14, 27 November 2021
નેતિવાદ (Nihilism) : સ્થાપિત મૂલ્યોના સંપૂર્ણ અસ્વીકારનું વલણ દર્શાવતી આ વિચારધારા અશ્રદ્ધાવાદના અંતિમ દૃષ્ટિબિંદુનું સૂચન કરે છે. સત્ય અને શ્રદ્ધાના કોઈપણ આધારનો વિરોધ કરતો આ વાદ સાહિત્યમાં અસ્તિત્વવાદના સ્વરૂપમાં દાખલ થયો. આમ માનવઅસ્તિત્વની હેતુવિહીનતાની ચર્ચા કરતી ‘વેઇટિંગ ફૉર ગોદો’ જેવી સાહિત્યકૃતિઓ અસ્તિત્વમાં આવી.
ચં.ટો.