ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંહિતાન્તરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">સંહિતાન્તરણ(Transcodage) : રિફાતેરની સંજ્ઞા. ગદ્યની સરખામ...")
(No difference)

Revision as of 11:58, 27 November 2021


સંહિતાન્તરણ(Transcodage) : રિફાતેરની સંજ્ઞા. ગદ્યની સરખામણીમાં કાવ્યકૃતિમાં કલ્પનથી કલ્પન પ્રતિનો, પરિચ્છેદથી પરિચ્છેદ પ્રતિનો વિકાસ પુનરાવર્તનશીલ હોય છે. કૃતિ વિન્યાસગત રીતે અને શબ્દગત રીતે આગળ વધે છે અને અર્થોને ઉમેરતી આવે છે; પણ એનું પ્રત્યેક પગલું ખરેખર તો કોઈ અર્થનું પુનરાવર્તન હોય છે. આ પ્રત્યેક પગલું સંહિતાન્તરણ છે. ચં.ટો.