ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન છંદો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">મધ્યકાલીન છંદો : મધ્યકાલીન સાહિત્યમાં મોટે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">મધ્યકાલીન છંદો : મધ્યકાલીન સાહિત્યમાં મોટે ભાગે માત્રામેળ છંદો અને દેશીઓ પ્રયોજાયાં છે. ઉપરાંત સંસ્કૃત વૃત્તોનો પણ એમાં ઠીકઠીક ઉપયોગ થયેલો જોવા મળે છે.  
<span style="color:#0000ff">'''મધ્યકાલીન છંદો'''</span> : મધ્યકાલીન સાહિત્યમાં મોટે ભાગે માત્રામેળ છંદો અને દેશીઓ પ્રયોજાયાં છે. ઉપરાંત સંસ્કૃત વૃત્તોનો પણ એમાં ઠીકઠીક ઉપયોગ થયેલો જોવા મળે છે.  
૧, સંસ્કૃત વૃત્તો : ચૌદમા સૈકામાં ‘રણમલ્લ છંદ’, ‘સપ્તશતી’ જેવી રચનાઓમાં શ્રીધરે પંચપામર, ભુજંગપ્રયાત, સ્રગ્વિણી અને તોટક જેવા છંદો પ્રયોજ્યા છે. જયશેખરસૂરિએ ‘ત્રિભુવનદીપકપ્રબંધ’માં દ્રુતવિલંબિત અને ઉપજાતિ પણ રચ્યા છે. પરંતુ પંદરમા સૈકામાં શાલિસૂરિના ‘વિરાટપર્વ’માં સંસ્કૃતવૃત્તો અત્યંત આકર્ષક રીતે પ્રયોજાયાં છે. દ્રુતવિલંબિત માલિની, ઇન્દ્રવજ્રા, રથોદ્ધતા-સ્વાગતા અને વસંતતિલકા જેવાં વૃત્તો છટાદાર છે. એ પછી સોમસુંદરસૂરિએ ‘રંગસાગરનેમિફાગ’માં ‘કાવ્ય’ નામથી શાર્દૂલવિક્રીડિતનો ઉપયોગ કર્યો છે. ધનદેવગણિ (સુરંગાભિધાનેમિનાથફાગ), કાન્હ (‘કૃષ્ણક્રીડિતકાવ્ય’), કેશવદાસ (‘કૃષ્ણલીલાકાવ્ય’), વાસણદાસ (‘રાધારાસ’) જેવા કવિઓએ પંદરમીસોળમી સદીમાં શાર્દૂલવિક્રીડિતના સુદીર્ઘ લયમાં કરેલી રચનાઓ મનોહર છે. કેટલાક કવિઓએ ભુજંગી/ભુજંગપ્રયાતને ઠીકઠીક ઉપયોગમાં લીધો છે. ઈશ્વરસ્તુતિની રચનાઓ માટે અજ્ઞાતકવિ (‘ભવાનીનો છંદ’), લક્ષ્મીદાસ (રામરક્ષાસ્તુતિ), કહાન (કૃષ્ણસ્તુતિ) વગેરેએ ભુજંગીની ચાલને સારી પલોટી છે. એક અજ્ઞાત કવિની, ગણેશસ્તોત્ર માટે ચામર છંદ પર પણ પસંદગી ઢળેલી છે. પ્રેમાનંદે ખાસ તો ‘રણયજ્ઞ’માં અને ‘દશમસ્કંધ’માં પણ ભુંજગીને કુશળતાપૂર્વક પ્રયોજ્યો છે. સત્તરમી સદીના સળંગ વૃત્તબદ્ધકથાકાવ્ય ‘રૂપસુંદરકથા’માં માધવકવિએ અને ગોપાલભટ્ટે ‘ફૂલાંચરિત્ર’માં ભુજંગપ્રયાત ઉપરાંત રથોદ્ધતા-સ્વાગતા, સ્રગ્વિણી, દ્રુતવિલંબિત, માલિની, શાલિની-મંદાક્રાન્તા-સ્રગ્ધરા જેવાં અનેક વૃત્તોને ઠાઠમાઠથી ઉપયોગમાં લીધાં છે. આ દૃષ્ટિએ ‘વિરાટપર્વ’ અને ‘રૂપસુંદરકથા’ સળંગ પણ વિવિધ વૃત્તોમાં જ રચાયેલી કૃતિઓ છે. ‘આત્મવિચારચંદ્રોદય’માં રત્નેશ્વરે પણ વિવિધ વૃત્તોમાં રચના કરી છે. મીઠુએ ‘સ્ત્રીલહરી’ના અનુવાદમાં શિખરિણી અને તોટકનો પ્રયોગ કર્યો છે. આ રીતે મધ્યકાળમાં શાર્દૂલવિક્રીડિત, દ્રુતવિલંબિત, ઉપજાતિ, માલિની, તોટક જેવાં વૃત્તોનો વ્યાપક ઉપયોગ થયો છે. દયારામે લાવણ્યસમય, લક્ષ્મીદાસ, ગોપાલ, કેસરવિમલ પછી કરેલો માલિનીનો પ્રયોગ નોંધપાત્ર છે. તોટક, ભુજંગી, સ્રગ્વિણી, ઇન્દ્રવિજય જેવા આવૃત્ત સંધિવાળા અક્ષરમેળ છંદોનો કવિઓએ સારો લાભ લીધો છે. તેમ છતાં જાતિછંદો અને દેશીઓની તુલનાએ સંસ્કૃતવૃત્તો ઓછાં પ્રયોજાયાં છે. એ નોંધવું જોઈએ.  
૧, સંસ્કૃત વૃત્તો : ચૌદમા સૈકામાં ‘રણમલ્લ છંદ’, ‘સપ્તશતી’ જેવી રચનાઓમાં શ્રીધરે પંચપામર, ભુજંગપ્રયાત, સ્રગ્વિણી અને તોટક જેવા છંદો પ્રયોજ્યા છે. જયશેખરસૂરિએ ‘ત્રિભુવનદીપકપ્રબંધ’માં દ્રુતવિલંબિત અને ઉપજાતિ પણ રચ્યા છે. પરંતુ પંદરમા સૈકામાં શાલિસૂરિના ‘વિરાટપર્વ’માં સંસ્કૃતવૃત્તો અત્યંત આકર્ષક રીતે પ્રયોજાયાં છે. દ્રુતવિલંબિત માલિની, ઇન્દ્રવજ્રા, રથોદ્ધતા-સ્વાગતા અને વસંતતિલકા જેવાં વૃત્તો છટાદાર છે. એ પછી સોમસુંદરસૂરિએ ‘રંગસાગરનેમિફાગ’માં ‘કાવ્ય’ નામથી શાર્દૂલવિક્રીડિતનો ઉપયોગ કર્યો છે. ધનદેવગણિ (સુરંગાભિધાનેમિનાથફાગ), કાન્હ (‘કૃષ્ણક્રીડિતકાવ્ય’), કેશવદાસ (‘કૃષ્ણલીલાકાવ્ય’), વાસણદાસ (‘રાધારાસ’) જેવા કવિઓએ પંદરમીસોળમી સદીમાં શાર્દૂલવિક્રીડિતના સુદીર્ઘ લયમાં કરેલી રચનાઓ મનોહર છે. કેટલાક કવિઓએ ભુજંગી/ભુજંગપ્રયાતને ઠીકઠીક ઉપયોગમાં લીધો છે. ઈશ્વરસ્તુતિની રચનાઓ માટે અજ્ઞાતકવિ (‘ભવાનીનો છંદ’), લક્ષ્મીદાસ (રામરક્ષાસ્તુતિ), કહાન (કૃષ્ણસ્તુતિ) વગેરેએ ભુજંગીની ચાલને સારી પલોટી છે. એક અજ્ઞાત કવિની, ગણેશસ્તોત્ર માટે ચામર છંદ પર પણ પસંદગી ઢળેલી છે. પ્રેમાનંદે ખાસ તો ‘રણયજ્ઞ’માં અને ‘દશમસ્કંધ’માં પણ ભુંજગીને કુશળતાપૂર્વક પ્રયોજ્યો છે. સત્તરમી સદીના સળંગ વૃત્તબદ્ધકથાકાવ્ય ‘રૂપસુંદરકથા’માં માધવકવિએ અને ગોપાલભટ્ટે ‘ફૂલાંચરિત્ર’માં ભુજંગપ્રયાત ઉપરાંત રથોદ્ધતા-સ્વાગતા, સ્રગ્વિણી, દ્રુતવિલંબિત, માલિની, શાલિની-મંદાક્રાન્તા-સ્રગ્ધરા જેવાં અનેક વૃત્તોને ઠાઠમાઠથી ઉપયોગમાં લીધાં છે. આ દૃષ્ટિએ ‘વિરાટપર્વ’ અને ‘રૂપસુંદરકથા’ સળંગ પણ વિવિધ વૃત્તોમાં જ રચાયેલી કૃતિઓ છે. ‘આત્મવિચારચંદ્રોદય’માં રત્નેશ્વરે પણ વિવિધ વૃત્તોમાં રચના કરી છે. મીઠુએ ‘સ્ત્રીલહરી’ના અનુવાદમાં શિખરિણી અને તોટકનો પ્રયોગ કર્યો છે. આ રીતે મધ્યકાળમાં શાર્દૂલવિક્રીડિત, દ્રુતવિલંબિત, ઉપજાતિ, માલિની, તોટક જેવાં વૃત્તોનો વ્યાપક ઉપયોગ થયો છે. દયારામે લાવણ્યસમય, લક્ષ્મીદાસ, ગોપાલ, કેસરવિમલ પછી કરેલો માલિનીનો પ્રયોગ નોંધપાત્ર છે. તોટક, ભુજંગી, સ્રગ્વિણી, ઇન્દ્રવિજય જેવા આવૃત્ત સંધિવાળા અક્ષરમેળ છંદોનો કવિઓએ સારો લાભ લીધો છે. તેમ છતાં જાતિછંદો અને દેશીઓની તુલનાએ સંસ્કૃતવૃત્તો ઓછાં પ્રયોજાયાં છે. એ નોંધવું જોઈએ.  
૨, જાતિછંદો : માત્રામેળ : મધ્યકાળમાં ચોપાઈ, દુહા (દોહરો), રોળા, સવૈયા, હરિગીત, ઝૂલણા, કવિત (મનહર) જેવા માત્રામેળ છંદોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. વિવિધ સાહિત્યપ્રકારોમાં આ છંદો પ્રયોજાયેલા છે. અપભ્રંશ સાહિત્યના વારસારૂપ ચોપાઈ (ચઉપઈ) કથાશ્રિત કાવ્યપ્રકારમાં વિશેષરૂપે જોવા મળે છે. નાકરે તો ‘રામાયણ’માં કેટલાક દુહા અને ચોપાઈઓ પણ આપી છે. એનાં ‘પર્વો’માં ચોપાઈ (ચૌપૈ) વારંવાર આવે છે. પદ્યકથાના માધ્યમ તરીકે ચોપાઈએ સારું કામ આપ્યું છે. અસાઈતની ‘હંસાઉલી’, ભીમની ‘સદયવત્સવીર પ્રબંધ’, મલયચન્દ્રની ‘સિંહાસનબત્રીસી’, નરપતિની ‘પંચદંડ’ની વાર્તા વગેરે ઉપરાંત શિવદાસની ‘કામાવતીકથા’ અને શામળની ‘સિંહાસનબત્રીસી’, ‘મદનમોહના’, ‘નંદબત્રીસી’, વગેરે અનેક પદ્યવાર્તાઓમાં ચોપાઈનો વ્યાપકપણે ઉપયોગ થયો છે. ચોપાઈ સાથે દોહરાને આ વાર્તાઓમાં ગૂંથવામાં કવિએ વૈવિધ્ય દર્શાવ્યું છે. એકલા/માત્ર દોહરાનો ઉપયોગ કરીને લખાયેલી પદ્યકથાઓ પણ મળે છે. જેમકે ગણપતિની ‘માધવાનલકામકંદલાપ્રબંધ’ તથા દામોદરની ‘માધવાનલકથા’. દોહામાં લખાયેલી પદ્યકથાઓ ભાવપ્રધાન છે અને ચોપાઈમાં લખાયેલી પદ્યકથાઓ કથાનકના પ્રાધાન્યવાળી છે. કેટલીક વાર તો જૈન કવિઓએ ચોપાઈ-પ્રધાનતાને કારણે પોતાની પદ્યવાર્તાઓને ‘મારુઢોલાચોપાઈ’, ‘માધવાનંદ-કામકંદલા-ચોપાઈ’ એવાં નામોથી/ શીર્ષકોથી ઓળખાવી છે. કેટલીક વાર્તાઓમાં ચોપાઈ અને દોહા એક પછી એક આવ્યા કરે છે. શામળ જેવામાં બન્ને સાથે પ્રયોજાયેલાં છે. અને પછીથી દોહાનું પ્રમાણ વધતું ગયું છે. પદ્યવાર્તાઓમાં છપ્પાઓ પણ આવે છે (રોળા અને ઉલ્લાલનો સંશ્લેષ). છપ્પા, કુંડળિયા(દોહરો અને રોળા), ચંદ્રાવળા (ચરણાકુળ અને દોહરો) જેવી સંશ્લિષ્ટ રચનાઓ પણ મધ્યકાળમાં ઠીકઠીક મળે છે. શામળે તો કવિત-મનહર છંદનો પણ ઉપયોગ કર્યો છે. વળી, ‘કવિતદોઢ’ નામની મનહરની વધારેલી રચના પણ આપી છે. કવિ રાજેમાં પણ કવિત-મનહરનો પ્રયોગ મળે છે.  
૨, જાતિછંદો : માત્રામેળ : મધ્યકાળમાં ચોપાઈ, દુહા (દોહરો), રોળા, સવૈયા, હરિગીત, ઝૂલણા, કવિત (મનહર) જેવા માત્રામેળ છંદોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. વિવિધ સાહિત્યપ્રકારોમાં આ છંદો પ્રયોજાયેલા છે. અપભ્રંશ સાહિત્યના વારસારૂપ ચોપાઈ (ચઉપઈ) કથાશ્રિત કાવ્યપ્રકારમાં વિશેષરૂપે જોવા મળે છે. નાકરે તો ‘રામાયણ’માં કેટલાક દુહા અને ચોપાઈઓ પણ આપી છે. એનાં ‘પર્વો’માં ચોપાઈ (ચૌપૈ) વારંવાર આવે છે. પદ્યકથાના માધ્યમ તરીકે ચોપાઈએ સારું કામ આપ્યું છે. અસાઈતની ‘હંસાઉલી’, ભીમની ‘સદયવત્સવીર પ્રબંધ’, મલયચન્દ્રની ‘સિંહાસનબત્રીસી’, નરપતિની ‘પંચદંડ’ની વાર્તા વગેરે ઉપરાંત શિવદાસની ‘કામાવતીકથા’ અને શામળની ‘સિંહાસનબત્રીસી’, ‘મદનમોહના’, ‘નંદબત્રીસી’, વગેરે અનેક પદ્યવાર્તાઓમાં ચોપાઈનો વ્યાપકપણે ઉપયોગ થયો છે. ચોપાઈ સાથે દોહરાને આ વાર્તાઓમાં ગૂંથવામાં કવિએ વૈવિધ્ય દર્શાવ્યું છે. એકલા/માત્ર દોહરાનો ઉપયોગ કરીને લખાયેલી પદ્યકથાઓ પણ મળે છે. જેમકે ગણપતિની ‘માધવાનલકામકંદલાપ્રબંધ’ તથા દામોદરની ‘માધવાનલકથા’. દોહામાં લખાયેલી પદ્યકથાઓ ભાવપ્રધાન છે અને ચોપાઈમાં લખાયેલી પદ્યકથાઓ કથાનકના પ્રાધાન્યવાળી છે. કેટલીક વાર તો જૈન કવિઓએ ચોપાઈ-પ્રધાનતાને કારણે પોતાની પદ્યવાર્તાઓને ‘મારુઢોલાચોપાઈ’, ‘માધવાનંદ-કામકંદલા-ચોપાઈ’ એવાં નામોથી/ શીર્ષકોથી ઓળખાવી છે. કેટલીક વાર્તાઓમાં ચોપાઈ અને દોહા એક પછી એક આવ્યા કરે છે. શામળ જેવામાં બન્ને સાથે પ્રયોજાયેલાં છે. અને પછીથી દોહાનું પ્રમાણ વધતું ગયું છે. પદ્યવાર્તાઓમાં છપ્પાઓ પણ આવે છે (રોળા અને ઉલ્લાલનો સંશ્લેષ). છપ્પા, કુંડળિયા(દોહરો અને રોળા), ચંદ્રાવળા (ચરણાકુળ અને દોહરો) જેવી સંશ્લિષ્ટ રચનાઓ પણ મધ્યકાળમાં ઠીકઠીક મળે છે. શામળે તો કવિત-મનહર છંદનો પણ ઉપયોગ કર્યો છે. વળી, ‘કવિતદોઢ’ નામની મનહરની વધારેલી રચના પણ આપી છે. કવિ રાજેમાં પણ કવિત-મનહરનો પ્રયોગ મળે છે.  
Line 14: Line 14:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીકવિઓ
|next = મધ્યકાલીન સાહિત્યમાં ગુજરાતી સંસ્કૃતિ
}}
26,604

edits

Navigation menu