આત્માની માતૃભાષા/18: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હૈયાનો સ્વભાવ અને પ્રભાવ| ભગીરથ બ્રહ્મભટ્ટ}} <poem> માનવીના હ...")
(No difference)

Revision as of 07:10, 16 December 2021


હૈયાનો સ્વભાવ અને પ્રભાવ

ભગીરથ બ્રહ્મભટ્ટ

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અ બો લ ડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી ફરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭