રા’ ગંગાજળિયો/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન |}} {{Poem2Open}} <center>[પહેલી આવૃત્તિ]</center> ઐતિહાસિક નવલકથા આલેખ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 26: Line 26:
છતાં મૂળનું જેમ છે તેમ રહેવા દઈ, એની અંદર પૂર્વાપરની બંધબેસતી સંકલના આણવા માટે પ્રકરણોનો ક્રમ ફેરવ્યો છે. ઊઘડતું પ્રકરણ ‘માંડળિકનું મનોરાજ્ય’ મૂકીને સમાપ્તિના પ્રકરણ સાથે તેની સમતુલા સાચવી છે. ‘તીર્થનાં બ્રાહ્મણો’વાળું પ્રકરણ સમૂળગું રદ કરી એ ઘટના આ વાર્તાના પૂર્વકાળમાં બન્યાનું સૂચિત રાખ્યું છે. ‘છેલ્લું ગાન’વાળા પ્રકરણની અંદર ફેરફાર કરી ‘હારમાળા’ની પ્રાચીન ગુજરાતી કવિતા-સાહિત્યમાં ચાલતી આવેલી ઘટના વાપરી છે, અને તેમાં શ્રી કેશવરામ શાસ્ત્રીએ સંશોધેલી, ‘ફાર્બસ સભા ત્રૈમાસિક’ના અંકોમાં પ્રગટ થયેલી, ‘હાર સમેનાં પદો’ નામક સામગ્રીનો એમના સૌજન્યથી ઉપયોગ કર્યો છે.
છતાં મૂળનું જેમ છે તેમ રહેવા દઈ, એની અંદર પૂર્વાપરની બંધબેસતી સંકલના આણવા માટે પ્રકરણોનો ક્રમ ફેરવ્યો છે. ઊઘડતું પ્રકરણ ‘માંડળિકનું મનોરાજ્ય’ મૂકીને સમાપ્તિના પ્રકરણ સાથે તેની સમતુલા સાચવી છે. ‘તીર્થનાં બ્રાહ્મણો’વાળું પ્રકરણ સમૂળગું રદ કરી એ ઘટના આ વાર્તાના પૂર્વકાળમાં બન્યાનું સૂચિત રાખ્યું છે. ‘છેલ્લું ગાન’વાળા પ્રકરણની અંદર ફેરફાર કરી ‘હારમાળા’ની પ્રાચીન ગુજરાતી કવિતા-સાહિત્યમાં ચાલતી આવેલી ઘટના વાપરી છે, અને તેમાં શ્રી કેશવરામ શાસ્ત્રીએ સંશોધેલી, ‘ફાર્બસ સભા ત્રૈમાસિક’ના અંકોમાં પ્રગટ થયેલી, ‘હાર સમેનાં પદો’ નામક સામગ્રીનો એમના સૌજન્યથી ઉપયોગ કર્યો છે.
{{Right|બોટાદ : ૧૯૪૬}}<br>
{{Right|બોટાદ : ૧૯૪૬}}<br>
{{Right|રા’ ગંગાજળિયો}}<br>
<center>રા’ ગંગાજળિયો</center>
જૂનાગઢનો રા’ માંડળિક છેલ્લો ‘ગંગાજળિયો’ કહેવાતો. પૂર્વાવસ્થામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ અને વીર પિતાએ ઉચ્ચ તાલીમ આપી હતી. માંડળિકનાં લડાયક પરાક્રમો ઇતિહાસ-પાને ઉજ્જ્વળ છે. પાછળથી માંડળિકનું નૈતિક અધ:પતન થયું. માંડળિકનો નાશ એક સદાત્માનો અધ:પાત હોઈ, મને એમાંથી ‘ટ્રેજેડી’—કરુણરસાન્તક કથાનાં આવશ્યક તત્ત્વો મળી ગયાં.
જૂનાગઢનો રા’ માંડળિક છેલ્લો ‘ગંગાજળિયો’ કહેવાતો. પૂર્વાવસ્થામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ અને વીર પિતાએ ઉચ્ચ તાલીમ આપી હતી. માંડળિકનાં લડાયક પરાક્રમો ઇતિહાસ-પાને ઉજ્જ્વળ છે. પાછળથી માંડળિકનું નૈતિક અધ:પતન થયું. માંડળિકનો નાશ એક સદાત્માનો અધ:પાત હોઈ, મને એમાંથી ‘ટ્રેજેડી’—કરુણરસાન્તક કથાનાં આવશ્યક તત્ત્વો મળી ગયાં.
માંડળિકનો ઇ.સ. ૧૪૩૩થી ૧૪૭૩નો લીલાકાળ, એ ગુજરાતની નવી સુલતાનિયતના બે-ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગુજરાતી સુલતાનિયત જે ચડતીપડતીઓ અનુભવી રહી હતી, તેને મેં વાર્તામાં ગૂંથેલ છે. મુસ્લિમ રાજરંગોની રંગભૂમિ ઉપર માંડળિકનું વ્યક્તિત્વ ઊભું કરેલ છે.
માંડળિકનો ઇ.સ. ૧૪૩૩થી ૧૪૭૩નો લીલાકાળ, એ ગુજરાતની નવી સુલતાનિયતના બે-ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગુજરાતી સુલતાનિયત જે ચડતીપડતીઓ અનુભવી રહી હતી, તેને મેં વાર્તામાં ગૂંથેલ છે. મુસ્લિમ રાજરંગોની રંગભૂમિ ઉપર માંડળિકનું વ્યક્તિત્વ ઊભું કરેલ છે.
Line 32: Line 32:
[૧૯૪૬] ઝવેરચંદ મેઘાણી [પુસ્તકનાં નિવેદનોમાંથી]
[૧૯૪૬] ઝવેરચંદ મેઘાણી [પુસ્તકનાં નિવેદનોમાંથી]
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અર્પણ
|next = ૧. માંડળિકનું મનોરાજ્ય
}}
18,450

edits

Navigation menu