એકતારો/અસહ્ય વાત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અસહ્ય વાત*|}} <poem> મને મારનારા ગોળી છોડનારા એને ઘેર હશે મારા...") |
(No difference)
|
Revision as of 12:51, 22 January 2022
અસહ્ય વાત*
મને મારનારા ગોળી છોડનારા
એને ઘેર હશે મારા જેવી જ મા,
એ હરેકને ધોળુંડાં ધાવણ પાઈ
ઉઝેર્યાં હોશે હૈયાહીર સમા. ૧.
કવિઓની કવિતામાં ગાયું હશે એણે,
માટીને પૂજી હોશે કહી 'મા’;
એ મને ય જે અંતરિયાળ મળે
તો બોલાવે કહી 'તમે કોણ છો મા?' ૨.
છો સંહારે ચડયા આજે પેટને કારણ,
એક જ વાત સેવાય છે ના—
એને મોતને પંથ ચડાવણ જીભ
બોલે છેઃ 'મારો, મારો, માગે છે મા!’ ૩.
- જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીનાઈ જનેતાના ભાવો