બાપુનાં પારણાં/નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} <poem> (આગાખાન મહેલમાં તા. ૩ ને બુધવારનાં પારણાં વખતે...")
 
(No difference)

Latest revision as of 07:22, 29 January 2022

નિવેદન

(આગાખાન મહેલમાં તા. ૩ ને બુધવારનાં પારણાં વખતે શ્રી સરોજિ નીએ અંગ્રેજી ગીતાંજલિનું પદ સુણાવ્યું. તેના મૂળ બંગાળી કાવ્યનો અનુવાદ)

આ છે છેલ્લી યાચના આપ પાસે;
મારા ઊંડા છેક અંતસ્તલેથી
છેદી નાખો ક્ષીણના સર્વ મારી
પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી!
સુખોને યે જીરવી જાણવાની ૫
શક્તિ દેજો સુખ કંટાં કરીને,
શક્તિ દેજો દુઃખમાં એહવી કે
દુઃખો મારાં શાંત મોંયે હસીને
પોતે પોતાની જ પામે ઉપેક્ષા.
શકિત દેજો ભક્તિની નાથ એવી ૧૦

જેણે મારાં કર્મ સાફલ્ય પામે,
જેણે મારા દુન્યવી સ્નેહ પ્રેમ
મ્હેકી ઊઠે પુણ્યનાં પોયણાં શાં.

કંગાલોને જ્ઞાનહીણાં કરું ના, ૧૫
જાલીમોને પાપ ઝકી પડું ના,
ઊંચે માથે ક્ષુદ્રતાની વચાળે ચાલું
એવી શક્તિ આપો પ્રભુજી!

શક્તિ દેજો–આપને પાય નામી
પોતાને હું સ્થિર રાખું સદૈવ. ૨૦