સૌરાષ્ટ્રની રસધાર/બાપનું નામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બાપનું નામ| }} {{Poem2Open}} ગોહિલવાડમાં બગડાણા ગામની બગડ નદીની વે...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 62: Line 62:
પ્રભાતને પહોરે પોતાના હજાર માણસોનો દાયરો કરીને મહારાજા વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઊગતા સૂરજની ચંપકવરણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોમાંથી કાવ્યધારા છૂટે છે કે —
પ્રભાતને પહોરે પોતાના હજાર માણસોનો દાયરો કરીને મહારાજા વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઊગતા સૂરજની ચંપકવરણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોમાંથી કાવ્યધારા છૂટે છે કે —
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
'''ગાજે ગોમતી જી કે ગાજે સાગરં,'''
'''રાજે શામળા જી કે બાજે ઝાલરં,'''
'''સોહે એરસા જી કે સ્વામી સુંદરં,'''
'''મણજાં ઝળહળ જી કે દીપક મંદરં.'''
'''મણજ ઝળળળ દીપક મણિમે, કરાં ગૌ નર કૈક,'''
'''પોહપ-માળા ચડે પૂજા, અસા જુગપત એક,'''
'''૰વીણા મરદંગ શંખ બાજે, ધરે સેવક ધ્યાન,'''
'''૰છપન કુળ જાદવાં માઝે કરે લીલા કાન.'''
'''ભગવત રાજિયા જી કે મુજ પર ભૂપતિ,'''
'''અહનશ ઊતરે જી કે ઉપર આરતી,'''
'''ગામ દુવારકાં જી કે સરિતા ગોમતી,'''
'''કંથડ લીળિયા જી કે ભાખે કીરતિ.'''
</center>
</poem>
{{Poem2Open}}
“લ્યો, મહારાજ, ગોમતી-સ્નાનની સાબદાઈ કરો.”
ડોકું ધુણાવીને મહારાજ બોલ્યા : “ના બા, એમ ગોમતીજીમાં ડિલ પલાળીને નથી ભાગવું.”
“ત્યારે ફરમાવો.”
“જુઓ, ભાઈ, આપણા સૌમાંથી જે પહેલવહેલો ગોમતીજીમાં નાય એણે દ્વારકાની ચોરાશી જમાડવી પડે.”
દ્વારકાની ચોરાશી! સાંભળીને સહુ અમીરો ચૂપ થઈ ગયા.
“સાચેસાચ, મહારાજ?” રાઘવ ભમ્મરનો અવાજ આવ્યો.
“સાચેસાચ! ગોમતીજીને કાંઠે તો સહુ સરખા. જેને અંગડે ઊલટ આવતી હોય એ પહેલો નાય. પહેલા નાવાનું પુણ્ય કાંઈ રાજાને જ કપાળે નથી લખી દીધું.”
“ત્યારે હવે વેણે પળજો, હો મહારાજ!” કહેતો રાઘવ ઊભો થયો. અમીરો એકબીજાનાં મોં સામે જોઈ રહ્યા, અને ઠાકોર હસવા લાગ્યા : “અરે મામા, તમે?”
“હાં, બાપા, હું. લ્યો ત્યારે, જે મોરલીધર!” કહીને રાઘવ ભમ્મર પહેરેલ લૂગડે અને પગરખાં સોતો દોડ્યો. કાંઠેથી ગોમતીજીને ખોળે કાયાનો ઘા કર્યો. અને કાંઠે બેઠાં બેઠાં મહારાજ ‘ખડ! ખડ!’ દાંત કાઢીને પડકારા દેવા લાગ્યા.
કાંઠા ઉપર અમીરો કોચવાઈને અંદરઅંદર વાતો કરવા મંડ્યા : “વાહ! આટલો બધો અબુધ આયર! મહારાજનીયે મરજાદ નહિ!’
“મહારાજે વિવેકમાં જરાક કહ્યું ત્યાં જ જશ લેવા દોટ દીધી!”
“મૂઢ જાત ખરી ને!” રાઘવ ભમ્મરને બાવડાં ઝાલીને મહારાજે ગોમતીજીમાંથી બહાર કાઢ્યા. પંજો લગાવીને વાંસો થાબડ્યો. પોતાના રાજના એક ઘરધણી માણસને પણ આટલો પોરસ આવ્યો ભાળીને મહારાજ રાજી થયા.
ખૂણે બેઠો બેઠો ચારણ મોં વકાસીને નીરખી રહ્યો.
બીજે દિવસે ગૂગળી બ્રાહ્મણોનાં જૂથ હલક્યાં. છાણાંના આડ મંડાઈ ગયા. ખાખરા શેકાઈ, ખારણીએ ખંડાઈ, ઘી-ગોળ ભેળાઈ, લાડવા વળાવા લાગ્યા. લાડવાના તો જાણે મોટા ડુંગરા ખડક્યા.
અમીરો આયરની જડતા ઉપર હસે છે અને મહારાજ એની ઉદારતા ઉપર મોહી મોહીને મલકે છે. આડ બળતા હતા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા તે જોઈને મહારાજે આંખો ચોળતાં ચોળતાં મીઠો મર્મ કર્યો : “મામા, હવે તો આંખ્યું બહુ બળે છે, હો! આવડો બધો ધુમાડો?”
“બાપા, આપની આંખ્યુંમાંથી પાણીડાં નીકળે એટલે જ ધુમાડે મને હજી ધરપત નથી!’
“કાં મામા? હજી વળી શું બાકી રહ્યું છે?”
“હજી તો, બાપ, દાટ્યું છે તે બહાર નીકળતું નથી!”
‘દાટ્યું’ શબ્દ સાંભળીને ચારણના કાન ચમક્યા.
“શું વળી દાટ્યું છે, મામા?”
“બાપ, દુનિયાની અમૂલખ ચીજ : ત્રિલોકમાં ન મળે એવું નાણું.” સાંભળીને ચારણને મોઢે મેશ ઢળી ગઈ.
“‘ક્યાં દાટ્યું છે.”
“બાપ, બગડ નદીની વેકૂરમાં ધરબીને દાટ્યું છે, એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે.”
“નીકળી ગયું! મારા વા’લા, નીકળી ગયું!” બોલતો ચારણ દોડ્યો; જઈને રાઘવનાં વારણાં લેવા મંડ્યો, અને ફાટતી છાતીએ દુહા બોલ્યો :
{{Poem2Close}}
<poem>
<center>
'''સંચીઅલ ધન સુમા તણું, નાણું નોંધ-પખે,'''
'''ફોળ્યું લે ફાંટે, રામાવાળું રાઘડા!'''
</center>
</poem>
{{Poem2Open}}
<small>[હે રાઘવ ભમ્મર, કંજૂસ પિતા રામા ભમ્મરનું સંચેલ દ્રવ્ય તે ફાંટે ફાંટે કાઢીને ખરચી નાખ્યું.]</small>
અને —
{{Poem2Close}}
<poem>
<center>
'''તળ ગોમતી તણે, તેં લઈ ચરુ ચડાવિયા,'''
'''(એમાં) ઢાંક્યા ધૂંવાડે, રાજાને તેં રાઘડા!'''
</center>
</poem>
{{Poem2Open}}
“મારા વા’લા! તેં આજ બાપનું નામ ઊંડે દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું. અને એમાં અચંબો કેવો? રાઘવ જેવો દીકરો બાપને ચાર જુગ જીવતો ન રાખે તો તો બીજો કોણ રાખશે?”
કહીને ચારણ ઓછો ઓછો થઈ ગયો. મહારાજને આખી વાતને જાણ થઈ. રાઘવ ભમ્મરની પીઠ મહારાજના પંજાની પ્રાછટો ખાઈ ખાઈ ને રાતીચોળ થઈ ગઈ, અને ગોમતીજી નાહવાનું પુણ્ય પોતાના પ્રજાજનને અપાવી મહારાજ બસો ઘોડે પાછા વળ્યા.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કરિયાવર
|next =
}}
26,604

edits

Navigation menu