ઋણાનુબંધ/નદીએ દરિયાને કહ્યું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નદીએ દરિયાને કહ્યું|}} <poem> કોઈ પણ પ્રકારનાં ત્રાગાં વિના છણ...")
(No difference)

Revision as of 11:06, 19 April 2022

નદીએ દરિયાને કહ્યું

કોઈ પણ પ્રકારનાં ત્રાગાં વિના
છણકા વિના
વેદનાના સણકા વિના
નદીએ દરિયાને કહી દીધું:
‘જા! તારી સાથે રહેવું પણ નથી
કે
તારામાં વહેવું પણ નથી.

હું તારે સ્વાધીન થાઉં
એ તો જરૂર હશે
કોઈ ગયા જનમની વાત!’