સોરઠી સંતવાણી/કોઈ સમજાવો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોઈ સમજાવો|}} <poem> ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે એક વાર ગોકુળ...") |
(No difference)
|
Revision as of 07:26, 27 April 2022
કોઈ સમજાવો
ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે
એક વાર ગોકુળમાં આવો!
મેં જાણ્યું રે કાનો જનમસંગાથી રે
ઓધાજી! પ્રીતું કરીને પછતાણાં રે. — એક વાર.
એક દીને સમે કામ પડશે અમારું રે
અણવાણે પાયેં અથડાશો રે. — એક વાર.
હૈડાનાં દ:ખડાં વાલા હૈડે સમાણાં રે
દજડેં સુકાણી મોરી દેયું રે. — એક વાર.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર.