સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/‘મીરાં, તમે ઘેરે જાવને!’: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘મીરાં, તમે ઘેરે જાવને!’|}} {{Poem2Open}} રોઈદાસ તો કાશીના. મીરાંને...") |
(No difference)
|
Revision as of 06:46, 6 May 2022
‘મીરાં, તમે ઘેરે જાવને!’
રોઈદાસ તો કાશીના. મીરાંને એનો ભેટો કાશીધામે થયો હતો. મીરાં એ ચમારની યે ચેલી બની હતી. એનું ભજન છે — મીરાંના નામનું : ચમાર સંત મીરાંનાં મમત્વને ખાળવા કેવા કાલાવાલા કરે છે :
એ જી મારી સેવાના શાળગરામ!
મીરાં, તમે ઘેરે જાવને!
તમે રે રાજાની કુંવરી, ને
અમે છૈયેં જાતના ચમાર :
જાણશે તો મેવાડો કોપશે,
ચિતરોડો ચોંપે દેશે ગાળ —
મીરાં, તમે ઘેરે જાવને!
અને છેલ્લી પંક્તિ!
કાશી રે નગરના ચોકમાં રે
ગરુ મને મળ્યા રોઈદાસ —
મીરાં, તમે ઘેરે જાવને!
આ ભજનના ટાઢાબોળ શબ્દોમાં દુલાભાઈ ચારણ પોતાના ગળાના કેવા પ્રાણવંતા સૂરો સીંચે છે!