સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/પ્રેમભક્તોનું યાત્રાધામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમભક્તોનું યાત્રાધામ|}} {{Poem2Open}} ગીરના સીમાડા પર એકલવિહા...") |
(No difference)
|
Revision as of 06:49, 6 May 2022
પ્રેમભક્તોનું યાત્રાધામ
ગીરના સીમાડા પર એકલવિહારી ઊભેલા કનડા ડુંગરાને તો તે પછીના બીજા પ્રવાસમાં જોયો. પ્રભુભક્તોનાં જેમ તીર્થસ્થાનો છે, તેમ પ્રેમભક્તોનાં ય યાત્રાધામો મુકરર થયાં નથી. એ થશે ત્યારે સોરઠનો આ કનડો ડુંગર, હાલારનું રાવલ નામે ગામડું, ગોહિલવાડના સાગરતીરનું ચાંચુડા મહાદેવનું મંદિર, અને ગરવા ગીરનારનાં પેલી રાણકને પુકારે પડું પડું થઈ અટકી રહેલાં શતકોજૂનાં ચોસલાં વગેરે વગેરેની પરકમ્મા કરવા માટે પંથીઓ શિરીં-ફરહાદના તેમજ સુહિણી-મેહારના મુલકોમાંથી પણ ઊતરશે.