રંગ છે, બારોટ/પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 275: Line 275:
પૂર્વજન્મમાં કરેલાં કૃત્યો અને એની આ જન્મે સાંપડેલી પરિણતિ, એ બે વચ્ચે જે સુમેળ આ સોરઠી વાર્તામાં જોવા મળે છે તે ઉપર નિર્દેશેલી કોઈ પણ વાર્તામાં નથી. તે છતાં મારો મુદ્દો એ નથી કે આ તમામ કથાઓનું મૂળ સોરઠી પાઠમાં છે. મારો મુદ્દો તો આવી કોઈ પણ કથાના બંગાળામાં પ્રવર્તતા પ્રકાર પરથી એનું મૂળ પ્રભાવસ્થાન બંગાળાનાં આંબાવાડિયાંની ઘેરી ઘટામાં ઊભેલાં સુંદર ગ્રામઘરોમાં રહેનારી વનિતાઓ છે એમ ન કહી શકાય, અથવા એમ પણ અનુમાન ન કરાય કે બંગાળાને સાગરતીરેથી જ આ કથાઓ ઈરાન, અરબસ્તાન ને યુરોપ પહોંચી, કારણ કે ગુજરાત–કાઠિયાવાડનો દરિયાકાંઠો પણ બંગાળાના જેટલો જ સફરી વ્યાપારે ધીકતો હતો. એનાં જહાજો પણ ઈરાની અરબી સાગરતીરે જઈ નાંગરતાં હતાં, તેમ ઈરાની-અરબી નાવિકો પણ સોરઠ-ગુર્જર દેશને બંદરે આવતા, અહીં જાથૂકનોયે નિવાસ કરતાં. વળી આ કથાઓ બૌદ્ધકાળની પેદાશો છે એમ શ્રી સેન કહે છે તે સાચું હોય તો પણ, સૌરાષ્ટ્ર દેશને ફાળે એની ઉત્પત્તિ ન જાય તેવું કારણ નથી. અહીં પણ મગધ સામ્રાજ્યનો બૌદ્ધકાળ એક વાર તપ્યો હતો. અન્ય ભારત-પ્રદેશોની ભૂમિ પણ બૌદ્ધ સંસ્કારસાહિત્યજળે સીંચાઈ હતી. એ વાવેતર અખિલ હિંદી હતું. એનાં બિયાં ઠેરઠેર વેરાયાં હતાં.
પૂર્વજન્મમાં કરેલાં કૃત્યો અને એની આ જન્મે સાંપડેલી પરિણતિ, એ બે વચ્ચે જે સુમેળ આ સોરઠી વાર્તામાં જોવા મળે છે તે ઉપર નિર્દેશેલી કોઈ પણ વાર્તામાં નથી. તે છતાં મારો મુદ્દો એ નથી કે આ તમામ કથાઓનું મૂળ સોરઠી પાઠમાં છે. મારો મુદ્દો તો આવી કોઈ પણ કથાના બંગાળામાં પ્રવર્તતા પ્રકાર પરથી એનું મૂળ પ્રભાવસ્થાન બંગાળાનાં આંબાવાડિયાંની ઘેરી ઘટામાં ઊભેલાં સુંદર ગ્રામઘરોમાં રહેનારી વનિતાઓ છે એમ ન કહી શકાય, અથવા એમ પણ અનુમાન ન કરાય કે બંગાળાને સાગરતીરેથી જ આ કથાઓ ઈરાન, અરબસ્તાન ને યુરોપ પહોંચી, કારણ કે ગુજરાત–કાઠિયાવાડનો દરિયાકાંઠો પણ બંગાળાના જેટલો જ સફરી વ્યાપારે ધીકતો હતો. એનાં જહાજો પણ ઈરાની અરબી સાગરતીરે જઈ નાંગરતાં હતાં, તેમ ઈરાની-અરબી નાવિકો પણ સોરઠ-ગુર્જર દેશને બંદરે આવતા, અહીં જાથૂકનોયે નિવાસ કરતાં. વળી આ કથાઓ બૌદ્ધકાળની પેદાશો છે એમ શ્રી સેન કહે છે તે સાચું હોય તો પણ, સૌરાષ્ટ્ર દેશને ફાળે એની ઉત્પત્તિ ન જાય તેવું કારણ નથી. અહીં પણ મગધ સામ્રાજ્યનો બૌદ્ધકાળ એક વાર તપ્યો હતો. અન્ય ભારત-પ્રદેશોની ભૂમિ પણ બૌદ્ધ સંસ્કારસાહિત્યજળે સીંચાઈ હતી. એ વાવેતર અખિલ હિંદી હતું. એનાં બિયાં ઠેરઠેર વેરાયાં હતાં.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>'''ભારતીય કથાતત્ત્વ વિ. અરબી–ઈરાની કથાતત્ત્વ'''</center>
{{Poem2Open}}
શ્રી સેનની એક વાત સાચી છે, કે પૌરસ્ત્ય સંસ્કારોએ ઝગારા મારતી પાશ્ચાત્ય લોકકથાઓને અરબી કે ઈરાની પેદાશ માનવામાં અને એને ‘અરેબિયન નાઈટ્સ’ની એક હજાર ને એક વાર્તાઓની જોડે ગૂંચવી મારવામાં પાશ્ચાત્ય વિવેચકો ભીંત ભૂલ્યા છે. શુદ્ધ ઈરાની-અરબી લોકકથાઓની ને શુદ્ધ ભારતવર્ષીય લોકવાર્તાઓની વચ્ચે મહત્ત્વનો ભેદ છે. ઈરાની-અરબી પેદાશના કથાસાહિત્યમાં નીતિતત્ત્વ પ્રત્યેનો ઝોક ઓછો હોય છે. ઘણીખરી હિન્દી લોકકથાઓમાં પ્રાણી-પાત્રો આવે છે ત્યારે ઈરાની-અરબી કથાઓમાં જીન, ખવીસ અને પરીઓ વિશેષ રમણ કરે છે. મુસ્લિમ દુનિયાની વાર્તાઓમાં દિવ્ય સત્ત્વો ચમત્કારો કરે છે, અને પ્રેમના વ્યાપારોમાં આવતાં વર્ણનો વધુ પડતાં વાસનોત્તેજક હોય છે, ત્યારે ભારતીય વાર્તાઓમાં વધુ જોર સદ્ગુણ અને શીલ પર ત્રૂઠવાની વાતને તેમજ નમ્ર અને નિર્બળ પક્ષની વહાર કરવાના મુદ્દાને અપાયું છે. પહેલા પ્રકારમાં જે ભાગ પરીઓ ભજવે છે તે બીજા પ્રકારમાં સ્વર્ગની અપ્સરા ભજવતી હોય છે. ‘અરેબિયન નાઈટ્સ’નું વાતાવરણ જાદુથી, બેલગામ તરંગોથી અને સુંવાળી અશક્યતાઓથી ગૂંગળાવી નાખે છે. માનવસહજ મનોર્મિઓ અને સંવેદનો હિંદી વાર્તાસૃષ્ટિમાં લીલા ખેલે છે.
{{Poem2Close}}
<center>'''પ્રાંતભેદે વ્યક્તિગત કલાવિધાન'''</center>
{{Poem2Open}}
હિંદ દેશની લોકવાર્તાઓનાં મૂળિયાં આમ પ્રાચીન બૃહત્કથા, કથાસરિત્સાગર, જાતકકથાઓ વગેરેની વાર્તાભૂમિમાંથી પોષણ મેળવે છે તે તો નિર્વિવાદ છે. છતાં પ્રાંતપ્રાંતની કથાઓને પોતપોતાનું નિરાળું વ્યક્તિત્વ છે તે પણ એટલું જ નિશ્ચિત છે. વ્યક્તિત્વ એના વિશિષ્ટ શિલ્પવિધાનમાં રહેલું છે; ‘દાદાજીની વાતો’ અને ‘રંગ છે, બારોટ!’ બેઉમાં એ સ્વયંપ્રતીત છે. વિક્રમ અને ખાપરાની પહેલી જ વાતમાં પાત્રોના વાર્તાલાપ, પ્રસંગોની મેળવણી, વાર્તાનો ઉપાડ, અંદર આવતાં મંત્રો, પાત્રવર્ણનો બધું જ સોરઠી શિલ્પની સ્પષ્ટ છાપ ધરાવે છે. એનું જે કંઠસ્થ સ્વરૂપ છે તે જ ગ્રંથસ્થ આવૃત્તિમાં અણીશુદ્ધ રાખવામાં આવ્યું છે. એ વાર્તાઓમાં જણાઈ આવતા પદ્યાંશોમાં બે ભાત પડે છે. એક છે તે પ્રત્યેક વાર્તાનો વ્યક્તિગત વિભાગ છે. ‘બાપુ ભાલાળો’, ‘કાઠીકુળ’, ‘દરિયાપીરની દીકરી’, ‘જનમના જોગી’, ‘ચંદણ મેણાંગરી’, એમાં આવતા પદ્યવિભાગ એના પોતાના જ છે. અન્ય કથામાં વીર, વિયોગ, શોક, હાસ્ય વગેરે રસના ઉદ્દીપક પદ્યખંડો, અગર તો નિદ્રાવિહીનોની દશા વર્ણવતા દુહા, પદ્મણી વગેરે નારીઓના પ્રકારો વર્ણવતી પદ્યપંક્તિઓ, નાગનાં નવ કુળની ટીપ, ચૌદ વિદ્યાઓની પિછાનની કાવ્યપંક્તિઓ એ તો વાર્તાકારની નિજનિજની રીતે ટંકાતાં, લોકવાણીના મહાસિંધુમાં તરતાં સાર્વજનિક સુભાષિતો છે.
મેં સંગ્રહેલી વાર્તાઓમાં લોકકથાઓ જે સ્વરૂપે અને ભાષામાં મને મળેલ છે તે સ્વરૂપ ને ભાષાને અકબંધ મૂકવાની મારી દૃષ્ટિ છે. પરંતુ ‘દરિયાપીરની દીકરી’ અને ‘ખાનિયો’ જેવી કથાઓ અસલ લોકવાર્તાકાર પાસેથી સીધી નહિ પણ અન્ય માધ્યમો દ્વારા સાંપડી હોઈ તેને મારી શૈલીએ મૂકવી પડી છે. બાકી ઘટનાઓ અગર ભાવો તો મૂળ હતાં તેમ જ સાચવ્યાં છે.
‘ચંદણ–મેણાંગરી’ની લોકકથામાં મારવાડી બોલીની છાંટ છે, કારણ કે એ કથનાર લુહારિયા લોકો અસલ થરાદ તરફથી ઊતરી આવેલા, અને ગુજરાતમાં ત્રણ પેઢીથી ચિરવાસ કરી રહેલ તથાપિ પોતાનાં રીતરિવાજની માફક પોતાની બોલીને પણ શુદ્ધ તળપદે સ્વરૂપે સાચવી રહેલ છે.
‘કાઠીકુળ’ એ આ સંગ્રહમાં જુદી ભાત પાડે છે. એ ઇતિહાસના પ્રદેશમાં જાય તેવી છે, છતાં જેઠા બારોટના કથા-ભંડોળમાંની સામગ્રી હોઈ એક નમૂના લેખે મૂકી છે.
‘જનમના જોગી’ એ રાજવી ભર્તૃહરિની જાણીતી કથાને સંઘરતું કાવ્ય છે. એ રાણી પીંગલાના દુશ્ચારિત્ર્યની, એના કહેવાતા પ્રેમિક અશ્વપાલની, અગર તો અમરફળની જે બીના ભર્તૃહરિને વૈરાગ્ય તરફ વાળી જનારી લેખે પ્રચલિત છે, તેનો આ ભજનમાં લેશમાત્ર ઉલ્લેખ નથી. નહિ તો એવી આકર્ષક સામગ્રીને લોકકાવ્ય જતી કરે નહિ. એ પરથી વધુ જોરથી કહી શકાય કે મજકૂર બીના ક્ષેપક અને આધુનિક હોવી જોઈએ.
વાર્તા પહેલી ‘વિક્રમ ને ખાપરો’માં અંતે વિક્રમે ભાણમતી રાણીને માથું મૂંડાવી કાઢી મૂકી, એ બીના બરાબર નથી. વિક્રમનો તો તમામ વિક્રમ-કથાઓમાં એ જ ઉચ્ચ સંસ્કાર છે કે પોતાનું બૂરું કરનારને પણ પોતે કષ્ટ દેતો નથી. એ દોષ સ્મૃતિભ્રંશને લીધે મારો જ થયો છે, જેઠા બારોટનો નહિ.
આ પ્રવેશક લખવામાં ‘મોટિફ’ના વિષય પર મને મૂલ્યવંત માહિતી શ્રી વેરીઅર એલ્વિનના નવા પ્રકટ થયેલ અંગ્રેજી પુસ્તક ‘ધ ફોક-ટેઈલ્સ ઑફ મહાકોશલ’માંથી મળી છે.
લોકસાહિત્યના વાર્તાપ્રદેશ પર આ તો મારા તરફથી પથનિર્દેશ જ છે. જેઓ સંશોધન કરવા પ્રેરાશે તેઓને પોતપોતાનાં ગામોમાંથી પણ પુષ્કળ સામગ્રી મળી શકશે. સૂચના એટલી જ કે મૂળ કંઠસ્થ સ્વરૂપ કશા ફેરફાર વગર પકડી લેવું.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મુખપૃષ્ઠ-2
|next = 1. વિક્રમ અને ખાપરો
}}
<br>
26,604

edits

Navigation menu