સોરઠિયા દુહા/57: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|57|}} <poem> નીંદર ના’વે ત્રણ જણાં, કહો સખિ! કિયાં? પ્રીત વછોયાં, બ...")
(No difference)

Revision as of 06:43, 10 June 2022


57

નીંદર ના’વે ત્રણ જણાં, કહો સખિ! કિયાં?
પ્રીત વછોયાં, બહુરણાં, ખટકે વેર હિયાં.

પોતાના પ્રીતિના પાત્રથી જે વિખૂટાં પડેલાં હોય, જેને માથે કરજનો બોજો હોય અને જેના હૈયામાં કોઈ વેર શૂળની માફક ખટક્યા કરતું હોય, એવાં ત્રણ પ્રકારનાં માનવીઓને, હે સખિ, ઊંઘ નથી આવતી.