સોરઠિયા દુહા/86: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|86| }} <poem> પાટાપિંડ ઉપાય, તન લાગ્યાં તરવરિયાં; વડે જીભના ઘાવ, ર...")
(No difference)

Revision as of 09:33, 10 June 2022


86

પાટાપિંડ ઉપાય, તન લાગ્યાં તરવરિયાં;
વડે જીભના ઘાવ, રતિ ન ઓખદ રાજિયા.

આ શરીર ઉપર તલવારના ઝાટકા પડ્યા હોય તો તેના પાટાપિંડો અને બીજા અનેક ઉપચાર થઈ શકે છે. પણ હે રાજિયા! કોઈના શબ્દના ઘા પડ્યા હોય તો એનું ઓસડ કાંઈ મળતું નથી.