સોરઠિયા દુહા/112: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|112|}} <poem> સજણાં પર ઘર જઈ કરી, દુઃખ ન ગાયીં રોય; ભરમ ગમાવે આપણો, વ...")
(No difference)

Revision as of 10:29, 10 June 2022


112

સજણાં પર ઘર જઈ કરી, દુઃખ ન ગાયીં રોય;
ભરમ ગમાવે આપણો, વેંચી ન લિયે કોય.

હે સજણ! પારકે ઘેર જઈને આપણાં દુઃખ રોઈએ નહિ, કારણ કે પારકાં માનવીઓ આપણા દુઃખમાં ભાગીદાર બનવાના નથી; એથી તો ઊલટી આપણી આબરૂ જ જાય છે.