સોરઠિયા દુહા/131: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|131|}} <poem> જો વિસારું વલહા, ઘડી એક મુંજા ઘટમાં; (તો તો) ખાંપણમાં...")
(No difference)

Revision as of 11:21, 10 June 2022


131

જો વિસારું વલહા, ઘડી એક મુંજા ઘટમાં;
(તો તો) ખાંપણમાંય ખતા, (મુંને) મરણ સજાયું નહ મળે.

હે પિયુ! તને જો હું ઘડીભર પણ મારા હૃદયથી વિસારું તો તો મારું મોત બગડજો, મૃત્યુ વખતે મને સારી મરણપથારી પણ ન મળજો — અરે મારી લાશ કફનના ટુકડા વગરની ઉઘાડી રઝળજો!