કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧.કારણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧.કારણ|}} <poem> કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો એ જ ઇચ્છા છે, હવે એ પણ...")
(No difference)

Revision as of 09:15, 11 June 2022


૧.કારણ

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)