કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૬. જલધિમોજ શો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. જલધિમોજ શો|}} <poem> તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો : નહી...") |
(No difference)
|
Revision as of 05:47, 24 June 2022
૧૬. જલધિમોજ શો
તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો :
નહીં જલધિમોજ એ કદીય ચિત્ત ચિંતા ધરે.
પ્રફુલ્લ સુખ, – ઉરગીત સહુ અંગથી નાચતાં, –
વહી સતત કાંઠડે ભીષણ પર્વતે આથડે.
હું યે જલધિમોજ શો, ક્યમ કદીય ચિંતા ધરું :
‘તૂટે મનુજદુઃખનો અડગ શે ઊભો પ્હાડ આ ?’
ઉરે હું લઈ ગીત, ને સ્મિત તણી ધરી દીવડી,
યુગોયુગ તણા પહાડ પર જૈ પડું આથડી !
(બારી બહાર, પૃ. ૯૨)