કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૬. મન પાગલ થાયે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬. મન પાગલ થાયે|પ્રહ્લાદ પારેખ}} <poem> આજ મારું મન પાગલ થાયે ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૩૫. ધરતીનાં તપ | ||
|next = | |next = ૩૭. વાવણી | ||
}} | }} |
Latest revision as of 04:29, 25 June 2022
૩૬. મન પાગલ થાયે
પ્રહ્લાદ પારેખ
આજ મારું મન પાગલ થાયે રે,
શ્યામળ સજળ વાદળ જોઈ આભે ધાયે.
ચમકી ચમકી વીજ છુપાયે,
શોધે તેની જાયે;
મેઘ હસે એ ખેલને જોઈ,
કેમ રે વીજ ઝલાયે ? – શ્યામળ૦
વરસતાં એ વાદળ જોઈ,
વરસવાને ચાહે;
રંગ થકી જે મેઘ રંગાયે,
રંગ ધરે એ કાયે. – શ્યામળ૦
દૂરના–જોઈ—ડુંગર ભીંજે,
ખેતર ને વન ન્હાયે;
નીર તણી એ ધારમાં આજે,
મન મારું ભીંજાયે. – શ્યામળ૦
(સરવાણી, પૃ. ૧૫)