શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૭. કેમ ઊઘડે શબ્દ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬૭. કેમ ઊઘડે શબ્દ?|}} <poem> કેમ ઊઘડે શબ્દ? – અરે! જો અંદરથી હું બં...")
(No difference)

Revision as of 13:17, 9 July 2022

૬૭. કેમ ઊઘડે શબ્દ?


કેમ ઊઘડે શબ્દ?
– અરે! જો અંદરથી હું બંધ!
કેમ ઊઘડે રંગ?
– અરે! જો અંદરથી હું અંધ!

કેટકેટલાં પંખી આવે?
ડાળે ડાળે કલરવ!
સવારનાં કિરણોનો કેવો
પાને પાને પદરવ!
કેમ લ્હેરખી અડે?
– શ્વાસ જો રાખે નહિ સંબંધ! –

કેટકેટલાં ચાંદરણાં લઈ
રૂમઝૂમ આવે રાતો!
કેટકેટલી દરિયાઓના
દિલની ઊછળે વાતો!
કેમ ખાલીપો ખસે?
– રહે જો હૈયે હિમ અકબંધ? –

૨૦-૧૦-૧૯૯૫

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩)