શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૪. ‘मा निषाद...’: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૪. ‘मा निषाद...’|}} <poem> રામાયણ રચવાના રસમાં ને તેથી ક્રૌંચ-વધ...")
(No difference)

Revision as of 11:47, 11 July 2022

૮૪. ‘मा निषाद...’


રામાયણ રચવાના રસમાં
ને તેથી ક્રૌંચ-વધ જોવાની તરસમાં
મારી અંદરના જ રામને
મેં એવો તો ઘા દઈ દીધો કે
રાવણ જેવો રાવણ પણ ધસી આવી
આવેશથી મને કહેવા લાગ્યો : ‘मा निषाद…’

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)