શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૯. હું તાે મારા હુંને કહું છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦૯. હું તાે મારા હુંને કહું છું|}} <poem> હું તો મારા હુંને કહુ...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૯)}}
{{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૦૮. એક તાંતણો એવો વણીએ –
|next = ૧૧૦. આમ મારું હોવું
}}

Latest revision as of 10:33, 15 July 2022

૧૦૯. હું તાે મારા હુંને કહું છું


હું તો મારા હુંને કહું છું : ‘બ્હાર નીકળ, તું બ્હાર!’
હું તો મારા મનને કહું છું : ‘માર મમતને, માર!’ –
પાંખ ભીડી બેસી ર્‌હેનારો
કદી થાય શું ખગ?
તેલ-વાટ વિણ કેમ કોડિયે
પ્રગટ થાય કો શગ?

ભીંતો વચ્ચે ઘરમાં ક્યાંથી ગગન કરે સંચાર?
ખોલવાં પડે બંધ સૌ દ્વાર! –

અંદર જેથી ખવાણ ચાલે
એ સાકર શું ખપની?
ભીતર ભૂખી ભમે ભુતાવળ,
એ ભાખર શું અપની?
હું-ને કહું છું : ‘ઉતાર તારો દશમાથાળો ભાર!
આપણે જવું પંડની પાર!’ –

૨૪-૧૧-૨૦૧૩
૩-૧૨-૨૦૧૩
૨૭-૦૨-૨૦૧૪

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૯)