અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/રસજયોત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એક જ્વાલા જલે તુજ નેનનમાં, {{space}}રસજ્યોત નિહાળી નમું, હું નમું; એક વ...")
 
No edit summary
Line 16: Line 16:
અને આત્માએ આત્મન્‌ને ઓળખ્યો;
અને આત્માએ આત્મન્‌ને ઓળખ્યો;
{{space}}રસજ્યોત નિહાળી નમું, હું નમું.
{{space}}રસજ્યોત નિહાળી નમું, હું નમું.
(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)
{{Right|(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)}}
</poem>
</poem>

Revision as of 16:34, 21 June 2021

એક જ્વાલા જલે તુજ નેનનમાં,
         રસજ્યોત નિહાળી નમું, હું નમું;
એક વીજ જલે નભમંડળમાં,
         રસજ્યોત નિહાળી નમું. હું નમું.

મધરાતના પહોર અઘોર હતા,
અન્ધકારના દોર જ ઑર હતા,
તુજ નેનમાં મોર ચકોર હતા;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.

અહા! વિશ્વનાં દ્વાર ખૂલ્યાં — ઊછળ્યાં,
અહા! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા! લોચન લોચન માંહી ઢળ્યાં;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.

દૃગબાણથી પ્રારબ્ધલેખ લખ્યા,
કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;
અને આત્માએ આત્મન્‌ને ઓળખ્યો;
         રસજ્યોત નિહાળી નમું, હું નમું.
(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)