અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/જ્યારે આ આયખું ખૂટે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જ્યારે આ દેહ મહીં દેવે {{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે, {{space}}{{space}}જીવનન...")
 
No edit summary
Line 2: Line 2:
જ્યારે આ દેહ મહીં દેવે
જ્યારે આ દેહ મહીં દેવે
{{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે,
{{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે,
{{space}}{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}{{space}}જીવનનો તાંતણો તૂટે.<br>
જેવી રીતે માત નીંદરતું બાળ
જેવી રીતે માત નીંદરતું બાળ
{{space}}ધીમેથી અંકમાં લિયે,
{{space}}ધીમેથી અંકમાં લિયે,
Line 10: Line 10:
{{space}}તારામાં સમાવી દેજે;
{{space}}તારામાં સમાવી દેજે;
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}જીવનનો તાંતણો તૂટે.<br>
જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
{{space}}બાળકના શીશને સૂંઘે,
{{space}}બાળકના શીશને સૂંઘે,
Line 18: Line 18:
{{space}}મને તું તેડી લેજે;
{{space}}મને તું તેડી લેજે;
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}જીવનનો તાંતણો તૂટે.<br>
જેવા મહાન કવિના બસ જરા
જેવા મહાન કવિના બસ જરા
{{space}}એક શબ્દને સ્પર્શે,
{{space}}એક શબ્દને સ્પર્શે,
Line 26: Line 26:
{{space}}તારે રસ વર્ષજે મુને;
{{space}}તારે રસ વર્ષજે મુને;
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}જીવનનો તાંતણો તૂટે.<br>
જેવી રીત માળી ખરેલાં પાન
જેવી રીત માળી ખરેલાં પાન
{{space}}ક્યારામાં વાળી લિયે,
{{space}}ક્યારામાં વાળી લિયે,
નવા અંકુર પાંગરવા કાજ
નવા અંકુર પાંગરવા કાજ
{{space}}એ પાનને બાળી દિયે;
{{space}}એ પાનને બાળી દિયે;<br>
તેમ મુજ જીવનના સૌ શેષનું
તેમ મુજ જીવનના સૌ શેષનું
{{space}}કોઈને ખાતર કરજે,
{{space}}કોઈને ખાતર કરજે,

Revision as of 17:08, 21 June 2021

જ્યારે આ દેહ મહીં દેવે
                  ધીરેલું આયખું ખૂટે,
                  જીવનનો તાંતણો તૂટે.

જેવી રીતે માત નીંદરતું બાળ
         ધીમેથી અંકમાં લિયે,
માસે માસે અમાસને દિન
         દેવો મયંકને પિયે;
         તેવી રીત ગોદમાં લેજે,
         તારામાં સમાવી દેજે;
         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો તૂટે.

જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
         બાળકના શીશને સૂંઘે,
થાકેલું બાપને ખભે ડોક
         નાખી નિરાંતે ઊંઘે;
         તેમ ખંખેરી લેજે,
         મને તું તેડી લેજે;
         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો તૂટે.

જેવા મહાન કવિના બસ જરા
         એક શબ્દને સ્પર્શે,
ભાવક પ્રવેશે તેને વિશ્વ
         સ્વયં બસ રસને હર્ષે;
         તેવો આકર્ષજે મુને,
         તારે રસ વર્ષજે મુને;
         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો તૂટે.

જેવી રીત માળી ખરેલાં પાન
         ક્યારામાં વાળી લિયે,
નવા અંકુર પાંગરવા કાજ
         એ પાનને બાળી દિયે;

તેમ મુજ જીવનના સૌ શેષનું
         કોઈને ખાતર કરજે,
         કો’માં નવજીવન ભરજે,
         મારો કો’ને લોપ ન નડશો,
         મારો કોઈ શોક ન કરશો;
         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો તૂટે.
(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)