રાણો પ્રતાપ/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 14: Line 14:
જગતને, ખાસ કરીને ભારતવર્ષને, આજ દ્વિજેન્દ્રલાલ સમા બળશાળી લેખકોની જરૂર છે, કે જેની લેખિનીમાંથી અંગાર વરસી શકે. એટલો પ્રખર છતાંયે કેટલો સુકોમળ! મહેર દૌલત અને ઇરાની મૂર્તિઓ શું એ જ હાથે ઘડેલી, જે હાથે રાજસ્થાનનાં રણવાસની જ્વાળાઓને ઝીલી ઝીલી એમાંથી જોશીબાઈ જેવી રજપૂતાણી પેદા કરી! એકનો એક એ હાથ! સાચા બળવંતની એ જ બલિહારી છે. પ્રભાતે ફૂલોને પંપાળીને હસાવનારાં સૂર્યદેવનાં એનાં એ કિરણો મધ્યાહ્ને મોતની વરાળો છોડે છે, ને સાંજે પાછાં સરોવર પરની કોઈ પોયણીને શીતળ ચુંબન આપી હસાવી લે છે. બલહીનના ઉચ્ચારમાં જોશ નથી હોતું; રીસ હોય છે, બકવાદ હોય છે.
જગતને, ખાસ કરીને ભારતવર્ષને, આજ દ્વિજેન્દ્રલાલ સમા બળશાળી લેખકોની જરૂર છે, કે જેની લેખિનીમાંથી અંગાર વરસી શકે. એટલો પ્રખર છતાંયે કેટલો સુકોમળ! મહેર દૌલત અને ઇરાની મૂર્તિઓ શું એ જ હાથે ઘડેલી, જે હાથે રાજસ્થાનનાં રણવાસની જ્વાળાઓને ઝીલી ઝીલી એમાંથી જોશીબાઈ જેવી રજપૂતાણી પેદા કરી! એકનો એક એ હાથ! સાચા બળવંતની એ જ બલિહારી છે. પ્રભાતે ફૂલોને પંપાળીને હસાવનારાં સૂર્યદેવનાં એનાં એ કિરણો મધ્યાહ્ને મોતની વરાળો છોડે છે, ને સાંજે પાછાં સરોવર પરની કોઈ પોયણીને શીતળ ચુંબન આપી હસાવી લે છે. બલહીનના ઉચ્ચારમાં જોશ નથી હોતું; રીસ હોય છે, બકવાદ હોય છે.
નાટકોનાં પાત્રોને મુખે તીખા તમતમતા શેરો બોલાવવાની ને વાતચીતમાં પણ પ્રાસાનુપ્રાસ ઠોકી બેસાડવાની આદત આપણા ગુજરાતી નાટ્યકારોને બહુ પડી છે. બીજી ઘણીયે આદતોએ આપણી લોકરુચિને વણસાડી છે. કોઈ ગુજરાતી નાટ્યકાર દ્વિજેન્દ્રની કળાને ધીરજથી તપાસે તો સારું.
નાટકોનાં પાત્રોને મુખે તીખા તમતમતા શેરો બોલાવવાની ને વાતચીતમાં પણ પ્રાસાનુપ્રાસ ઠોકી બેસાડવાની આદત આપણા ગુજરાતી નાટ્યકારોને બહુ પડી છે. બીજી ઘણીયે આદતોએ આપણી લોકરુચિને વણસાડી છે. કોઈ ગુજરાતી નાટ્યકાર દ્વિજેન્દ્રની કળાને ધીરજથી તપાસે તો સારું.
રાણપુર : સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 21-7-’23 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
રાણપુર : સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 21-7-’23 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>[બીજી આવૃત્તિ]</center>
આ વખતે બંગાળી ગીતો ગુજરાતીમાં ઉતારવાનો યત્ન કર્યો છે. ગયે વખતે એક હકીકતનું નિવેદન રહી ગયું હતું : પૃથ્વીરાજના પાત્રની આ નાટ્યકારે નિરર્થક હાંસી કરી છે. પૃથ્વીરાજ એક જબરા કવિ હતા. ચારણી સાહિત્યમાં એમનું સ્થાન અતિ ઉચ્ચ છે. એમનામાં વિદૂષકપણું નહોતું. રાણા પ્રતાપનું પતન એમના જ પત્રથી અટક્યું હતું. એમનાં પ્રથમ પત્નીનું નામ લેલાં હતું. લેલાંનું અનુપમ સૌંદર્ય સાંભળીને અકબરશાહે પોતાની બેગમની મારફત એને રાજમહેલમાં એનું રૂપ જોવા માટે આણેલી. અકબરશાહ પોતાને દેખી ગયો તે લજ્જાથી લેલાં પેટમાં કટારી નાખીને મરી હોવાનું કહેવાય છે. એ પરથી જ જોશીબાઈના નવરોજવાળા પ્રસંગનું અને આત્મહત્યાનું આલેખન થયું લાગે છે. એની બીજી પત્નીનું નામ ચંપાવતી હતું. જોશીબાઈ નામનો આધાર કાંઈ જણાતો નથી.
શ્રાવણ વદિ પાંચમ : 1980 [ઈ. સ. 1924] {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>[ત્રીજી આવૃત્તિ]</center>
મુખપૃષ્ઠ પરનું ‘ચેતક-સવાર રાણા’નું ચિત્ર અસલ ઉદયપુર રાજયના મંત્રી સ્વ. રાય મહેતા પન્નાલાલજીના રંગીન ચિત્ર પરથી રા. બ. ગૌરીશંકર ઓઝાએ પોતાના માટે ઉતરાવેલું, તેની આ નકલ છે. આ બદલ શ્રી ઓઝાજીના ઋણી છીએ.
રાણપુર : 1-2-’29 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>[પાંચમી આવૃત્તિ]</center>
બરાબર અઢાર વર્ષે આ પુસ્તકની પાંચમી આવૃત્તિ થતી જોવા પામું છું. પ્રતોની સંખ્યાના હિસાબે આને છઠ્ઠી આવૃત્તિ કહી શકાય.
આ છપાતું હતું તે અરસામાં દિલ્હીના અંગ્રેજી સાપ્તાહિક ‘ધ રોયઝ વીકલી’ના તા. 22 જૂન, 1941 ના અંકમાં શાહજહાંની કરુણામૂર્તિ અને કાવ્યમૂર્તિ ચિરકુમારી જહાનઆરાની રોજનીશીના દસ્તાવેજી પુરાવાવાળો ઉદેપુરના રાજપૂતકુમાર સાથેનો પ્રેમકિસ્સો પ્રસિદ્ધ થયો, તે વાંચવામાં આવ્યો. આ કિસ્સાનો જ આધાર લઈને સ્વ. દ્વિજેન્દ્રલાલે આ નાટકમાંનો શક્તસિંહ-દૌલતનો તેમજ મહેર-શક્તસિંહનો કિસ્સો કલ્પ્યો હોવો જોઈએ, એવું અનુમાન સરલ બન્યું. જહાનઆરા અને ઉદેપુરના કુમાર વચ્ચેના દસ્તાવેજી પત્રવ્યવહારની તેમજ વાર્તાલાપની અંદર એક હૃદયદ્રાવક ને રોમાંચક પ્રકરણ પડ્યું છે. હિન્દુ-મુસ્લિમ જાતિ-મિલનને માટે ઝૂરતી અને એ દ્વારા આખા ભારતવર્ષની રાષ્ટ્રીય એકતાનું સ્વપ્ન સેવતી જહાનઆરા આવા લગ્નની આડે પોતાના પિતામહ અકબરશાહે બાંધી રાખેલી કોમી દીવાલ પર માથું અફળાવતી આલેખાઈ છે. એ જહાનઆરાને જ દ્વિજેન્દ્ર મહેરરૂપે આંહીં પ્રતિષ્ઠિત કરી લાગે છે. મુગલ શાહજાદા રાજપૂત રાજકન્યા સાથે પરણી શકે, પણ, એથી ઊલટું, મુગલ રાજકન્યા ક્ષત્રિય રાજપુત્રનું પાણિગ્રહણ ન કરી શકે એવી એકપક્ષી પ્રણાલિકા જો અકબરે બાંધી ન હોત, પરિણામે જહાનઆરા જેવી તેજસ્વી સંસ્કારમૂર્તિ એવા જ સમોવડ સંસ્કાર ધરાવતા એ હિન્દુ રાજપુત્ર સાથે પરણી શકી હોત, તો સંભવ છે કે ભારતવર્ષનો આજનો ઇતિહાસ કોઈ જુદી જ રીતે લખાત.


5-7-’41 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits