ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અજિતચંદ'''</span> [ઈ.૧૬૮૦માં હયાત] : તપ-ઉપકેશગચ્છન...")
(No difference)

Revision as of 07:23, 30 July 2022


અજિતચંદ [ઈ.૧૬૮૦માં હયાત] : તપ-ઉપકેશગચ્છના જૈન સાધુ. અમીચંદના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-રાસ’ (૨. ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, આસો સુદ ૧૦)ના કર્તા. કવિએ આ વિષય પર ૨ વખત કાવ્યરચના કર્યાનો પણ ઉલ્લેખ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. [શ્ર. ત્રિ.]