સરસ્વતીચંદ્ર ભાગ ૩/રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
આ વચન સત્ય હતું, પણ બ્રેવને તો પેશવાઈના અધિકારથી જ વર્તવાનું હતું અને પેશવાએ જે રીતના કરાર કરેલા હતા તે જ કરારો તાજા કરવાનો અધિકાર હતો; માટે આ નવા પ્રસંગને વાસ્તે નવો અધિકાર મુંબાઈથી મેળવવો પડે એમ હતું. આ ગુંચવારાને લીધે એક આખો દિવસ નકામો ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે મલ્લરાજ ચારે પાસના રાજાઓની સેનાએ એકઠી કરી પિતાને મળ્યો, અને તે સર્વ રાજાઓના રાજપુરુષ એકઠા મળી બ્રેવ પાસે ગયા. આ સર્વ મંડળ એકઠું થયું જોઈ કર્નલ બ્રેવનો મૂળ વિચાર દૃઢ થયો, અને ઉપરી અધિકારીયોનો અભિપ્રાય મેળવવા સારુ અવહાર<ref>થોડા કાળની યુદ્ધવિશ્રાંતિ, Truce</ref> સંયોજયો. આ અવહાર થતાં તેણે ઉપરીઓને પત્ર લખ્યો કે “આ રજપૂતો શૂર છે, અભિજાત<ref>ખાનદાન; ઉંચા કુળના.</ref> છે, સત્યવચનના આસંગી છે, મૂર્ખ નથી, દુષ્ટ નથી; નીચ નથી. એ મહારાજાઓ જો કંપનીના મિત્ર થાય તો આ ભાગમાં એમની મિત્રતા હાલ ને આગળ જતાં ઘણી ઉપયોગી થશે. પરસ્પરને યુદ્ધકાલે આશ્રય આપવો, એક બીજા સાથે અથવા અન્ય રાજાઓ સાથે તકરાર થતાં કંપનીદ્વારા ન્યાય લેવો, કંપની સાથે તકરાર થતાં પંચ નીમવા અને પંચનો સરપંચ ઈંગ્રેજ ર્‌હે, ઇત્યાદિ નિર્દોષ દેખાતી સરતોના કરારવાળો સંધિ રાજાઓએ ઈંગ્રેજ સાથે કર્યો. દ્રવ્ય આપવું લેવું નથી, આપણું ધરતી અખંડિત છે, આપણું સ્વાતંત્ર્ય યથાસ્થિત છે, ઇત્યાદિ કલ્પના કરી, આ સંધિ રાજાઓએ આનંદથી સ્વીકાર્યો. માત્ર યુવાન મલ્લરાજને તે ન ગમ્યો. પરંતુ તે ન ગમવાનું કારણ સ્પષ્ટ રીતે સમજાવવાની તેનામાં શક્તિ હતી નહી, અને પિતાની પાસે બોલવા જતો ત્યાં જ કંઈક કારણથી આચકો ખાતો. અંતે સંધિ સંપૂર્ણ થયો અને તે કાળે સર્વ મંડળ ઉત્સાહમાં આવ્યું ત્યારે મલ્લરાજ ઉંડા ખેદમાં પડ્યો અને મનમાં નિ:શ્વાસ મુકી ક્‌હેવા લાગ્યો કે "આજથી આ રાજ્યને સજડ બેડી જડાઈ અને રજપુતાઈ રંડાઈ; હવે
આ વચન સત્ય હતું, પણ બ્રેવને તો પેશવાઈના અધિકારથી જ વર્તવાનું હતું અને પેશવાએ જે રીતના કરાર કરેલા હતા તે જ કરારો તાજા કરવાનો અધિકાર હતો; માટે આ નવા પ્રસંગને વાસ્તે નવો અધિકાર મુંબાઈથી મેળવવો પડે એમ હતું. આ ગુંચવારાને લીધે એક આખો દિવસ નકામો ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે મલ્લરાજ ચારે પાસના રાજાઓની સેનાએ એકઠી કરી પિતાને મળ્યો, અને તે સર્વ રાજાઓના રાજપુરુષ એકઠા મળી બ્રેવ પાસે ગયા. આ સર્વ મંડળ એકઠું થયું જોઈ કર્નલ બ્રેવનો મૂળ વિચાર દૃઢ થયો, અને ઉપરી અધિકારીયોનો અભિપ્રાય મેળવવા સારુ અવહાર<ref>થોડા કાળની યુદ્ધવિશ્રાંતિ, Truce</ref> સંયોજયો. આ અવહાર થતાં તેણે ઉપરીઓને પત્ર લખ્યો કે “આ રજપૂતો શૂર છે, અભિજાત<ref>ખાનદાન; ઉંચા કુળના.</ref> છે, સત્યવચનના આસંગી છે, મૂર્ખ નથી, દુષ્ટ નથી; નીચ નથી. એ મહારાજાઓ જો કંપનીના મિત્ર થાય તો આ ભાગમાં એમની મિત્રતા હાલ ને આગળ જતાં ઘણી ઉપયોગી થશે. પરસ્પરને યુદ્ધકાલે આશ્રય આપવો, એક બીજા સાથે અથવા અન્ય રાજાઓ સાથે તકરાર થતાં કંપનીદ્વારા ન્યાય લેવો, કંપની સાથે તકરાર થતાં પંચ નીમવા અને પંચનો સરપંચ ઈંગ્રેજ ર્‌હે, ઇત્યાદિ નિર્દોષ દેખાતી સરતોના કરારવાળો સંધિ રાજાઓએ ઈંગ્રેજ સાથે કર્યો. દ્રવ્ય આપવું લેવું નથી, આપણું ધરતી અખંડિત છે, આપણું સ્વાતંત્ર્ય યથાસ્થિત છે, ઇત્યાદિ કલ્પના કરી, આ સંધિ રાજાઓએ આનંદથી સ્વીકાર્યો. માત્ર યુવાન મલ્લરાજને તે ન ગમ્યો. પરંતુ તે ન ગમવાનું કારણ સ્પષ્ટ રીતે સમજાવવાની તેનામાં શક્તિ હતી નહી, અને પિતાની પાસે બોલવા જતો ત્યાં જ કંઈક કારણથી આચકો ખાતો. અંતે સંધિ સંપૂર્ણ થયો અને તે કાળે સર્વ મંડળ ઉત્સાહમાં આવ્યું ત્યારે મલ્લરાજ ઉંડા ખેદમાં પડ્યો અને મનમાં નિ:શ્વાસ મુકી ક્‌હેવા લાગ્યો કે "આજથી આ રાજ્યને સજડ બેડી જડાઈ અને રજપુતાઈ રંડાઈ; હવે


૧ થોડા કાળની યુદ્ધવિશ્રાંતિ, Truce
૨ખાનદાન; ઉંચા કુળના.
​આપણે ચુડીયો પ્હેરી: લ્હડવાનું ગયું, બઈરાંનું રક્ષણ આપણે કરીએ
​આપણે ચુડીયો પ્હેરી: લ્હડવાનું ગયું, બઈરાંનું રક્ષણ આપણે કરીએ
તેમ આપણું રક્ષણ ઈંગ્રેજ કરશે. ધરતી, શાંતિ, અને નામરદાઈ એ ત્રણ સ્ત્રીયો હવેથી સુહાગણ થશે અને રજપુતાઈ દુહાગણ થશે.” આવી નિરાશાથી મલ્લરાજ પિતાની ગાદીએ બેઠો. કાળક્રમે ધીમે ધીમે ઈંગ્રેજ સત્તાની રેલ નીચે સર્વ રાજ્યો ડુબી જતાં એણે દીઠાં. નાનાસાહેબનાં બંડને પ્રસંગે તે પ્રથમ તટસ્થ રહ્યો. આખા દેશમાં સમુદ્ર-મન્થન થતું હતું તેમાંથી તેણે ઉપદેશ શોધ્યો; દેશનું રક્ષણ કરવા એકલું બળ, સમર્થ નથી કળ પણ જોઈએ, તે દયા અને ક્ષમા વિના આવે એમ નથી, અને તે ઉભય સદ્‍ગુણોને ઇંગ્રજોનો આવિર્ભાવ અને સ્વદેશીઓમાં તિરોભાવ જોઈ મલ્લરાજ નિરાશ અને દુઃખી થયો. વિદ્યાચતુરના મામા જરાશંકરનો પ્રસંગ તેને આવામાં જ સજડ થયો હતો. જરાશેકરે દુ:ખી રાજાને સુખનો માર્ગ બતાવ્યો. “મહારાજ, સમર્થ અને સદ્‍ગુણીનો વિશ્વાસ અને સંબંધ કરવો યોગ્ય છે. પોતાની તરવાર, માટે પેટમાં ઘોચાતી નથી. પોતાના દેશી, માટે તેની પાસે દેશનો દાટ વળાવવો એ અકાર્ય અને મૂર્ખતા છે. દશા પ્રમાણે સુબુદ્ધિ અને કુબુદ્ધિ થાય છે. આપે જેટલી જેટલી હકીકત મને કહી છે તે સર્વ ઉપરથી મને એમ લાગે છે કે કેવળ આપના રાજ્યનું નહી પણ સર્વ રાજ્યોનું ક૯યાણ આ શાણા પરદેશીઓને પગલે છે, તેમની આંખમાં અમીદૃષ્ટિ છે, અને અંતે જય પણ તેમનો જ થશે. આ મરાઠાઓ અને મુસલમાનો ઈંગ્રેજ સામા ફાવ્યા તો સામાન્ય શત્રુનો નાશ થતાં પરસ્પર યુદ્ધ કરશે, અને તેમાં જે ફાવશે તે સર્વ રજવાડાને કનડશે અને શીયાળ અને વરુનું કામ કરશે.”
તેમ આપણું રક્ષણ ઈંગ્રેજ કરશે. ધરતી, શાંતિ, અને નામરદાઈ એ ત્રણ સ્ત્રીયો હવેથી સુહાગણ થશે અને રજપુતાઈ દુહાગણ થશે.” આવી નિરાશાથી મલ્લરાજ પિતાની ગાદીએ બેઠો. કાળક્રમે ધીમે ધીમે ઈંગ્રેજ સત્તાની રેલ નીચે સર્વ રાજ્યો ડુબી જતાં એણે દીઠાં. નાનાસાહેબનાં બંડને પ્રસંગે તે પ્રથમ તટસ્થ રહ્યો. આખા દેશમાં સમુદ્ર-મન્થન થતું હતું તેમાંથી તેણે ઉપદેશ શોધ્યો; દેશનું રક્ષણ કરવા એકલું બળ, સમર્થ નથી કળ પણ જોઈએ, તે દયા અને ક્ષમા વિના આવે એમ નથી, અને તે ઉભય સદ્‍ગુણોને ઇંગ્રજોનો આવિર્ભાવ અને સ્વદેશીઓમાં તિરોભાવ જોઈ મલ્લરાજ નિરાશ અને દુઃખી થયો. વિદ્યાચતુરના મામા જરાશંકરનો પ્રસંગ તેને આવામાં જ સજડ થયો હતો. જરાશેકરે દુ:ખી રાજાને સુખનો માર્ગ બતાવ્યો. “મહારાજ, સમર્થ અને સદ્‍ગુણીનો વિશ્વાસ અને સંબંધ કરવો યોગ્ય છે. પોતાની તરવાર, માટે પેટમાં ઘોચાતી નથી. પોતાના દેશી, માટે તેની પાસે દેશનો દાટ વળાવવો એ અકાર્ય અને મૂર્ખતા છે. દશા પ્રમાણે સુબુદ્ધિ અને કુબુદ્ધિ થાય છે. આપે જેટલી જેટલી હકીકત મને કહી છે તે સર્વ ઉપરથી મને એમ લાગે છે કે કેવળ આપના રાજ્યનું નહી પણ સર્વ રાજ્યોનું ક૯યાણ આ શાણા પરદેશીઓને પગલે છે, તેમની આંખમાં અમીદૃષ્ટિ છે, અને અંતે જય પણ તેમનો જ થશે. આ મરાઠાઓ અને મુસલમાનો ઈંગ્રેજ સામા ફાવ્યા તો સામાન્ય શત્રુનો નાશ થતાં પરસ્પર યુદ્ધ કરશે, અને તેમાં જે ફાવશે તે સર્વ રજવાડાને કનડશે અને શીયાળ અને વરુનું કામ કરશે.”
19,010

edits