સરસ્વતીચંદ્ર ભાગ ૩/નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ.: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 78: Line 78:
જરાશંકર અને વિદ્યાચતુર સાથે આ નવા યુગની દશા અવલોકતાં અને ચર્ચતાં મલ્લરાજ બોલી ઊઠ્યો: “અહા ! એ જ દેશ ! એ જ ઉપદેશ ! પણ કાળ જુદો છે. પાંડવો જેવા પાંચાલીને પાત્ર હતા તેમ આ આપણા રાજાઓ કંઈ રાજલક્ષ્મીને પાત્ર નથી. જરાશંકર ! ક્ષીણ પુણ્ય થતાં પૃથ્વીપર પડતા એક ઈન્દ્રને ત્યજી સ્વર્ગના રાજ્યને પાત્ર થતા નવા સુપાત્ર ઈન્દ્રને માત્ર પુણ્યની જ સહધર્મચારિણી ઈન્દ્રાણી વરે છે તેવી જ રાજાઓની રાજલક્ષ્મી છે ! રાજલક્ષ્મી રાજત્વને વરે છે અને ગુણને આધારે વેલી પેઠે ચ્હડે છે. પ્રજાપીડક રાજા તે રાજા નથી. રાજત્વવિહીન રાજાઓને અંગે ઉઠી ર્‌હેલો દુર્ગન્ધ નાસિકા આગળ આવતાં જ સુઘડ પદ્મિની રાજલક્ષ્મી ત્રાસે છે અને ન્હાસે છે. ઈંગ્રેજ તેને યોગ્ય છે તો રાજલક્ષ્મી તેને વરે છે. જે સ્વામી રાજલક્ષ્મીને અયોગ્ય થાય છે તેની પાસે એ ઈન્દ્રાણી ર્‌હેતી પણ નથી. નક્કી, આમાં કાંઈ અયોગ્ય હોય એવું લાગવાનું કાંઈ કારણ દેખાતું નથી – સૂક્ષ્મ દૃષ્ટિએથી જોઈએ તો.”
જરાશંકર અને વિદ્યાચતુર સાથે આ નવા યુગની દશા અવલોકતાં અને ચર્ચતાં મલ્લરાજ બોલી ઊઠ્યો: “અહા ! એ જ દેશ ! એ જ ઉપદેશ ! પણ કાળ જુદો છે. પાંડવો જેવા પાંચાલીને પાત્ર હતા તેમ આ આપણા રાજાઓ કંઈ રાજલક્ષ્મીને પાત્ર નથી. જરાશંકર ! ક્ષીણ પુણ્ય થતાં પૃથ્વીપર પડતા એક ઈન્દ્રને ત્યજી સ્વર્ગના રાજ્યને પાત્ર થતા નવા સુપાત્ર ઈન્દ્રને માત્ર પુણ્યની જ સહધર્મચારિણી ઈન્દ્રાણી વરે છે તેવી જ રાજાઓની રાજલક્ષ્મી છે ! રાજલક્ષ્મી રાજત્વને વરે છે અને ગુણને આધારે વેલી પેઠે ચ્હડે છે. પ્રજાપીડક રાજા તે રાજા નથી. રાજત્વવિહીન રાજાઓને અંગે ઉઠી ર્‌હેલો દુર્ગન્ધ નાસિકા આગળ આવતાં જ સુઘડ પદ્મિની રાજલક્ષ્મી ત્રાસે છે અને ન્હાસે છે. ઈંગ્રેજ તેને યોગ્ય છે તો રાજલક્ષ્મી તેને વરે છે. જે સ્વામી રાજલક્ષ્મીને અયોગ્ય થાય છે તેની પાસે એ ઈન્દ્રાણી ર્‌હેતી પણ નથી. નક્કી, આમાં કાંઈ અયોગ્ય હોય એવું લાગવાનું કાંઈ કારણ દેખાતું નથી – સૂક્ષ્મ દૃષ્ટિએથી જોઈએ તો.”


*જેની સાથે યુદ્ધ કરવું દુસ્તર રહે તેવા
† જેનાં શાસન દુર્વાર છે તેવા.
‡લૌકિક પદમાંથી.
​ચારે પાસ સળગી રહેલી આગને જોનારાંની પાસે બળવાન
​ચારે પાસ સળગી રહેલી આગને જોનારાંની પાસે બળવાન
કાળપવને એ આગનો ઝપાટો લગાડ્યો, પવનના અચીન્તયા ઝપાટાથી આગના ભડકાથી એક ઉંચી શિખ આડી થઈ મલ્લરાજના રાજ્યગૃહસાથે ઝપટાઈ અને રત્નનગરીના સર્વ રાજ્યાધિકારીઓ, નિદ્રામાંથી એકદમ ચમકી, જાગી, ઉભા થઈ સજ્જ થઈ ગયા.
કાળપવને એ આગનો ઝપાટો લગાડ્યો, પવનના અચીન્તયા ઝપાટાથી આગના ભડકાથી એક ઉંચી શિખ આડી થઈ મલ્લરાજના રાજ્યગૃહસાથે ઝપટાઈ અને રત્નનગરીના સર્વ રાજ્યાધિકારીઓ, નિદ્રામાંથી એકદમ ચમકી, જાગી, ઉભા થઈ સજ્જ થઈ ગયા.