19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચન્દનવૃક્ષ ઉપર છેલો પ્રહાર.|}} {{Poem2Open}} Woodman, spare that tree! Touch not a single bough ! So lon...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 96: | Line 96: | ||
કુમુદ૦– આપનું વચન સત્ય અને ઉચિત છે. | કુમુદ૦– આપનું વચન સત્ય અને ઉચિત છે. | ||
શોકની મૂર્તિ જેવી, અવસન્નતાની છાયા જેવી, અને નિ:શ્વાસની ધમની | શોકની મૂર્તિ જેવી, અવસન્નતાની છાયા જેવી, અને નિ:શ્વાસની ધમની <ref>ધમણ.</ref>જેવી બાળા સાધુઓ પાસે જવાને ઉઠીને ગઈ; અને જતાં જતાં ચારે પાસની ભીંતોના પત્થર પણ પોતાને જોતા અને કંઈક ક્હેતા હોય એમ તેમના ભણી આંખ અને કાન માંડતી, વસન્તગુફાની નીસરણી ઉપરથી, ધીમી ધીમી ઉતરી – તેને જોનારને એવું જ ભાન થાય કે આ ગમે તો પગથીયાં ગણે છે ને ગમે તો પોતાનાં પગલાં ગણે છે – આમ એ ઉતરી એની પાછળ દૃષ્ટિપાત નાંખતો, આંખનો પલકારો કર્યાવિના એને ન્યાળી ર્હેતો, સરસ્વતીચંદ્ર બેસી રહ્યો ને એ અદૃશ્ય થઈ એટલે વિચારમાં પડ્યો. | ||
| | ||
“ધાર્યું હતું કે આવો શોક જોવો ન પડે માટે આ વાત ન ક્હેવી. નવી અવસ્થાએ નવો ધર્મ ઉભો કર્યો અને મ્હારી ધારણા બદલાઈ. જ્યાં સુધી મને સ્થૂલ કામની ભીતિ હતી ત્યાં સુધી કુમુદ પોતાને અવિધવા ધર્મથી બંધાયેલી ધારે તે જ ઈષ્ટ હતું. એ ભીતિ હવે બે પક્ષની ગઈ. પોતાને અવિધવા સમજનારી હવે પોતાને વિધવા જાણેછે. સ્થૂલ કામનાં શસ્ત્ર અત્યારે ખડાં થયાં હત, તો, હું અત્યારે એમ જ સમજત કે હવે આ મ્હારી ભોગ્ય વસ્તુ છે, અને અન્ય નેક ક્રૂર અપકારોએ ક્ષત કરવા માંડેલી પણ આત્મબળે અક્ષત રાખેલી પતિવ્રતા આ પળે ક્ષત થઈ જાત ! અસ્વામિકા થયલી અનાથ બાળા કામનાં શસ્ત્રોનું અભિનન્દન કરી બેસત ! હવે એ ભય એનું પણ ગયું ને મ્હારું પણ ગયું. ઈશ્વરની પરમ કૃપાએ અને ઉભય પક્ષની કલ્યાણબુદ્ધિએ આ શમ અને દમને પુણ્ય માર્ગ પ્રત્યક્ષ કરાવ્યો ! સૂક્ષ્મ પ્રીતિએ સ્થૂલ પ્રીતિને ઉતારી નાંખી અને પોતાનું જ નિષ્કંટક રાજ્ય કરી દીધું. કુમુદ ! તું જે શોકથી અત્યારે ગ્રસ્ત થઈ છે તે હવે ત્હારું કલ્યાણ કરશે એમ ધારીને મ્હેં આ શસ્ત્રવૈદ્યના જેવી ક્રુરતા વાપરી છે. એનાં અન્ય દુ:ખ એટલાં બધાં વધ્યાં હતાં કે તેમના પ્રહાર ખમતાં ખમતાં આ કોમળ હૃદયને તે દુ:ખોમાંથી જ બોધ લેવાનો અવકાશ મળી શક્યો ન હતો. એ પ્રહારોમાંનો છેલો પ્રહાર એને મળી ચુક્યો ને શોકમાંથી વિચારકાળ હવે ઉદય પામશે. ઈશ્વરે દુ:ખ અને શોકની સૃષ્ટિ મનુષ્યોનાં સૂક્ષ્મ જીવનને સિદ્ધ કરવાને માટે જ રચી છે. દુ:ખ અને શોક જાતે આમ પરિપાક પામીને પછી નષ્ટ થાય તો જ કલ્યાણકારક છે. | “ધાર્યું હતું કે આવો શોક જોવો ન પડે માટે આ વાત ન ક્હેવી. નવી અવસ્થાએ નવો ધર્મ ઉભો કર્યો અને મ્હારી ધારણા બદલાઈ. જ્યાં સુધી મને સ્થૂલ કામની ભીતિ હતી ત્યાં સુધી કુમુદ પોતાને અવિધવા ધર્મથી બંધાયેલી ધારે તે જ ઈષ્ટ હતું. એ ભીતિ હવે બે પક્ષની ગઈ. પોતાને અવિધવા સમજનારી હવે પોતાને વિધવા જાણેછે. સ્થૂલ કામનાં શસ્ત્ર અત્યારે ખડાં થયાં હત, તો, હું અત્યારે એમ જ સમજત કે હવે આ મ્હારી ભોગ્ય વસ્તુ છે, અને અન્ય નેક ક્રૂર અપકારોએ ક્ષત કરવા માંડેલી પણ આત્મબળે અક્ષત રાખેલી પતિવ્રતા આ પળે ક્ષત થઈ જાત ! અસ્વામિકા થયલી અનાથ બાળા કામનાં શસ્ત્રોનું અભિનન્દન કરી બેસત ! હવે એ ભય એનું પણ ગયું ને મ્હારું પણ ગયું. ઈશ્વરની પરમ કૃપાએ અને ઉભય પક્ષની કલ્યાણબુદ્ધિએ આ શમ અને દમને પુણ્ય માર્ગ પ્રત્યક્ષ કરાવ્યો ! સૂક્ષ્મ પ્રીતિએ સ્થૂલ પ્રીતિને ઉતારી નાંખી અને પોતાનું જ નિષ્કંટક રાજ્ય કરી દીધું. કુમુદ ! તું જે શોકથી અત્યારે ગ્રસ્ત થઈ છે તે હવે ત્હારું કલ્યાણ કરશે એમ ધારીને મ્હેં આ શસ્ત્રવૈદ્યના જેવી ક્રુરતા વાપરી છે. એનાં અન્ય દુ:ખ એટલાં બધાં વધ્યાં હતાં કે તેમના પ્રહાર ખમતાં ખમતાં આ કોમળ હૃદયને તે દુ:ખોમાંથી જ બોધ લેવાનો અવકાશ મળી શક્યો ન હતો. એ પ્રહારોમાંનો છેલો પ્રહાર એને મળી ચુક્યો ને શોકમાંથી વિચારકાળ હવે ઉદય પામશે. ઈશ્વરે દુ:ખ અને શોકની સૃષ્ટિ મનુષ્યોનાં સૂક્ષ્મ જીવનને સિદ્ધ કરવાને માટે જ રચી છે. દુ:ખ અને શોક જાતે આમ પરિપાક પામીને પછી નષ્ટ થાય તો જ કલ્યાણકારક છે. | ||
| Line 107: | Line 105: | ||
Where sorrow's held intrusive and turn'd out, . | Where sorrow's held intrusive and turn'd out, . | ||
There wisdom will not enter, nor true power, | There wisdom will not enter, nor true power, | ||
Nor aught that dignifies humanity. | Nor aught that dignifies humanity.<ref>Sir H. Taylor.</ref> | ||
“ કુમુદ ! ત્હારા આ દુ:ખમાંથી ત્હારું હૃદય કોક પવિત્ર પરિણામ જ આણશે. પાઞ્ચાલી ! ચિરંજીવ મહાત્માઓનાં સ્વપ્ન તને દુ:ખમાંથી સિદ્ધ થતી દેખાડે છે ત્યારે કુમુદ પોતાના સૂક્ષ્મ જીવનને પણ દુ:ખમાંથી જ સિદ્ધ થતું આ જાગૃત અવસ્થામાં દેખાડે છે. | “ કુમુદ ! ત્હારા આ દુ:ખમાંથી ત્હારું હૃદય કોક પવિત્ર પરિણામ જ આણશે. પાઞ્ચાલી ! ચિરંજીવ મહાત્માઓનાં સ્વપ્ન તને દુ:ખમાંથી સિદ્ધ થતી દેખાડે છે ત્યારે કુમુદ પોતાના સૂક્ષ્મ જીવનને પણ દુ:ખમાંથી જ સિદ્ધ થતું આ જાગૃત અવસ્થામાં દેખાડે છે. | ||
| | ||
“કુમુદ ! સંસાર તને વિરોધની મૂર્ત્તિ ગણે તો તેનો શો દોષ? મ્હારા ઉપર આટલી પ્રીતિ પ્રત્યક્ષ ધારનાર હૃદયમાં પ્રમાદને માટે અત્યારે તને શોક થાય છે તેને ગમે તો સંસાર સ્ત્રીચરિતના ચાળા જેવો માને ને ગમે તો ઈશ્વરે રચેલા અનેક પરસ્પર – વિરોધી ચમત્કારોમાંનો એક ગણે નહી તો બીજું શું કરે? . તેને મન તો | “કુમુદ ! સંસાર તને વિરોધની મૂર્ત્તિ ગણે તો તેનો શો દોષ? મ્હારા ઉપર આટલી પ્રીતિ પ્રત્યક્ષ ધારનાર હૃદયમાં પ્રમાદને માટે અત્યારે તને શોક થાય છે તેને ગમે તો સંસાર સ્ત્રીચરિતના ચાળા જેવો માને ને ગમે તો ઈશ્વરે રચેલા અનેક પરસ્પર – વિરોધી ચમત્કારોમાંનો એક ગણે નહી તો બીજું શું કરે? . તેને મન તો | ||
“ Woman's at best a contradiction still !” | “ Woman's at best a contradiction still !” <ref>Popes Moral Essays</ref> | ||
“પણ આ સાધુજનોની ચિકિત્સા ત્હારી શુદ્ધ પરીક્ષા કરશે અને તને ઉત્તમ ઔષધ આપશે, ત્હારા વિરોધમાં તેઓ માત્ર વિરોધાભાસ જ જુવે છે, અને હૃદયનાં અવિરોધી સત્વોને શોધી ક્હાડી તેમનું સંગીત પ્રકટ કરશે. સંસાર ! ચંદનવૃક્ષની શાખા જેવી કુમુદને તું કેટલા પ્રહાર કરે છે? બહુ બહુ પ્રહાર ત્હેં કર્યા ! તે પ્રહારથી ઉડેલો સુગન્ધ સુન્દરગિરિ ઉપરનાં પવિત્ર સત્વોનાં હૃદય સુધી પહોચ્યો છે ! સંસાર ! હવે ત્હારા પ્રહારો બંધ કર ! ત્હારી કુહાડી હવે આ વૃક્ષને સ્પર્શ કરે એમ હું નહી થવા દઉં ! એમ ન થવા દેવાને હું અધિકારી થયો છું, અને તેમ ન થવા દેવું એ મ્હારો ધર્મ તો છે જ !” | “પણ આ સાધુજનોની ચિકિત્સા ત્હારી શુદ્ધ પરીક્ષા કરશે અને તને ઉત્તમ ઔષધ આપશે, ત્હારા વિરોધમાં તેઓ માત્ર વિરોધાભાસ જ જુવે છે, અને હૃદયનાં અવિરોધી સત્વોને શોધી ક્હાડી તેમનું સંગીત પ્રકટ કરશે. સંસાર ! ચંદનવૃક્ષની શાખા જેવી કુમુદને તું કેટલા પ્રહાર કરે છે? બહુ બહુ પ્રહાર ત્હેં કર્યા ! તે પ્રહારથી ઉડેલો સુગન્ધ સુન્દરગિરિ ઉપરનાં પવિત્ર સત્વોનાં હૃદય સુધી પહોચ્યો છે ! સંસાર ! હવે ત્હારા પ્રહારો બંધ કર ! ત્હારી કુહાડી હવે આ વૃક્ષને સ્પર્શ કરે એમ હું નહી થવા દઉં ! એમ ન થવા દેવાને હું અધિકારી થયો છું, અને તેમ ન થવા દેવું એ મ્હારો ધર્મ તો છે જ !” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits