ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર ઉપાધ્યાય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસાગર (ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરા...")
(No difference)

Revision as of 05:01, 15 August 2022


જ્ઞાનસાગર (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય શ્રીપાલરાજા અને મદનસુંદરીની જાણીતી કથા વર્ણવતા ૨૭૨ કડીના ‘શ્રીપાલનરેન્દ્ર-રાસ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૫ કે ૧૪૭૫/સં. ૧૫૨૧ કે ૧૫૩૧, માગશર સુદ ૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. નયુકવિઓ;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]