ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દિનકરસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દિનકરસાગર'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સા...")
(No difference)

Revision as of 09:45, 16 August 2022


દિનકરસાગર [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પ્રધાનસાગરના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, પોષ સુદ ૧૫), ‘ચોવીસજિન-ચરિત્ર’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, મહા સુદ ૫) તથા ૧૭ કડીના ‘માનતુંગી-સ્તવન’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, માગશર વદ ૩) - એ કૃતિઓના કર્તા. ‘માનતુંગી-સ્તવન’ની ર.સં. ૧૭૭૯ નોંધાયેલી છે તે છાપભૂલ જણાય છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]