ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવદાસ-૧'''</span> [ઈ.૧૫૧૧માં હયાત] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ તે માટે આધારભૂત રીતે કહેવું મુશ્કેલ છે. તેમણે પદમવાડીમાં...")
(No difference)

Revision as of 15:38, 6 September 2022


માધવદાસ-૧ [ઈ.૧૫૧૧માં હયાત] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ તે માટે આધારભૂત રીતે કહેવું મુશ્કેલ છે. તેમણે પદમવાડીમાં બેસી પદ્મનાભનું ચરિત્ર આલેખતો ‘પદ્મ-કથા’(ર.ઈ.૧૫૧૧, અંશત: મુ.) ગ્રંથ રચ્યો છે. કૃતિ : પદ્મનાભપુરાણ, પ્ર. વૈદ્ય જ્યેષ્ટારામ ગો. જોષી, ઈ.૧૯૧૬. સંદર્ભ : રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]