ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂઘનાથ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂઘનાથ-૩'''</span> [ઈ.૧૮૦૬માં હયાત] : પિતાનામ વાઘજી. દેવસ્થળના વડનગરા નાગર બ્રાહ્મણ. ઈ.૧૮૫૮માં લીથોમાં છપાયેલ ‘પ્રહ્લાદના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૮૦૬/સં.૧૮૬૨, વૈશાખ સુદ-)ના ક...")
(No difference)

Revision as of 05:30, 10 September 2022


રૂઘનાથ-૩ [ઈ.૧૮૦૬માં હયાત] : પિતાનામ વાઘજી. દેવસ્થળના વડનગરા નાગર બ્રાહ્મણ. ઈ.૧૮૫૮માં લીથોમાં છપાયેલ ‘પ્રહ્લાદના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૮૦૬/સં.૧૮૬૨, વૈશાખ સુદ-)ના કર્તા. પ્રસ્તુત કૃતિના ૫૭૦ ચંદ્રાવાળા (આશરે ૩૪૨૦ પંક્તિઓ)માં શિશુપાલથી પ્રહ્લાદના રાજ્યશાસન સુધીની કથા રજૂ થઈ છે. કૃતિ : પ્રહ્લાદના ચંદ્રવાળા,-. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગુસારસ્વતો;  ૩. કદહસૂચિ; ૪. ગૂહાયાદી.[ચ.શે.]