કવિની ચોકી/1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(12 intermediate revisions by 2 users not shown)
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિવર ટાગોર અને ગાંધીજીના પારસ્પર્યમાં કડી તે ચાર્લ્સ ફ્રિઅર ઍન્ડ્રૂઝ, ગુરુદેવ અને ગાંધીજીના ચાર્લી અને દેશના દીનબંધુ. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ ગાંધીજીના મહેમાન બન્યા, હિંદનો અને ખાસ કરીને કવિ ટાગોરનો સંદેશ લઈને તેઓ દક્ષિણ આફ્રિકાની પ્રજા સમક્ષ આવ્યા. પ્રથમ મિલનથી જ ગાંધીજી અને રેવરન્ડ ઍન્ડ્રૂઝ મોહન અને ચાર્લી બન્યા, જોકે ઍન્ડ્રૂઝ તેમનું સ્વાગત કરવા આવેલા ગાંધીજીના ચરણોમાં પડીને રંગભેદી ગોરાઓનાં ભવાં જરૂર ઊંચાં કર્યાં હતાં.  
કવિવર ટાગોર અને ગાંધીજીના પારસ્પર્યમાં કડી તે ચાર્લ્સ ફ્રિઅર ઍન્ડ્રૂઝ, ગુરુદેવ અને ગાંધીજીના ચાર્લી અને દેશના દીનબંધુ. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ ગાંધીજીના મહેમાન બન્યા, હિંદનો અને ખાસ કરીને કવિ ટાગોરનો સંદેશ લઈને તેઓ દક્ષિણ આફ્રિકાની પ્રજા સમક્ષ આવ્યા. પ્રથમ મિલનથી જ ગાંધીજી અને રેવરન્ડ ઍન્ડ્રૂઝ મોહન અને ચાર્લી બન્યા, જોકે ઍન્ડ્રૂઝ તેમનું સ્વાગત કરવા આવેલા ગાંધીજીના ચરણોમાં પડીને રંગભેદી ગોરાઓનાં ભવાં જરૂર ઊંચાં કર્યાં હતાં.  
દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન ઍન્ડ્રૂઝ ટાગોરનો સંદેશો પહોંચાડવાનું કામ કરતા રહ્યા. ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને તારમાં જણાવ્યું કે ઍન્ડ્રૂઝનું કેપટાઉનના ‘સિટી હૉલ’માં રવીન્દ્રનાથ ટાગોર વિશે ભાષણ આપ્યું હતું.<ref>‘ગાંધીજીનો અક્ષરદેહ’, Vol. 12, PP. 306-307</ref>નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત થઈ ત્યારે કવિ ટાગોરને ઇંગ્લૅન્ડ અને થોડા અંશે અમેરિકા સિવાય યુરોપ યા અન્ય ખંડના વિદ્વાનો કે સાહિત્યરસિકો જાણતા ન હતા. આવા સમયે નવોન્મેશનો સંદેશો લઈ ઍન્ડૂઝ આવ્યા.આ જાહેર ભાષણ પછી તરત જ તેમણે કેપટાઉન યુનિવર્સિટીમાં ‘ટાગોર અને તેમનો સંદેશો’ વિષય પર વ્યાખ્યાન આવ્યું, જેમાં પ્રમુખપદે તે વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર હતા. 17 ફેબ્રુઆરીના આ ભાષણની નકલો ગાંધીજીએ છપાવી અને ‘‘તમે જેમના સંસર્ગમાં આવ્યા હતા એવા મોટા ભાગના લોકોને મોકલી આપવામાં આવી છે.’’<ref>3. એજન, Vol. 14, P. 454</ref> આ સમયે કવિ ટાગોર એક ‘‘પરાજિત રાષ્ટ્રના પયગંબર’’3 હતા. તેમનો સંદેશો સાંભળવામાં માત્ર રંગભેદી આફ્રિકા જ નહીં પણ યુરોપ, એશિયા અને સ્વયં બંગાળને સંકોચ હતો. ગાંધીજીના મતે આ સંદેશો દેશ દુનિયાને પહોંચે તે અનિવાર્ય હતું.
દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન ઍન્ડ્રૂઝ ટાગોરનો સંદેશો પહોંચાડવાનું કામ કરતા રહ્યા. ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને તારમાં જણાવ્યું કે ઍન્ડ્રૂઝનું કેપટાઉનના ‘સિટી હૉલ’માં રવીન્દ્રનાથ ટાગોર વિશે ભાષણ આપ્યું હતું.<ref>‘ગાંધીજીનો અક્ષરદેહ’, Vol. 12, PP. 306-307</ref> નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત થઈ ત્યારે કવિ ટાગોરને ઇંગ્લૅન્ડ અને થોડા અંશે અમેરિકા સિવાય યુરોપ યા અન્ય ખંડના વિદ્વાનો કે સાહિત્યરસિકો જાણતા ન હતા. આવા સમયે નવોન્મેશનો સંદેશો લઈ ઍન્ડૂઝ આવ્યા.આ જાહેર ભાષણ પછી તરત જ તેમણે કેપટાઉન યુનિવર્સિટીમાં ‘ટાગોર અને તેમનો સંદેશો’ વિષય પર વ્યાખ્યાન આવ્યું, જેમાં પ્રમુખપદે તે વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર હતા. 17 ફેબ્રુઆરીના આ ભાષણની નકલો ગાંધીજીએ છપાવી અને ‘‘તમે જેમના સંસર્ગમાં આવ્યા હતા એવા મોટા ભાગના લોકોને મોકલી આપવામાં આવી છે.’’<ref>એજન, Vol. 14, P. 454</ref> આ સમયે કવિ ટાગોર એક ‘‘પરાજિત રાષ્ટ્રના પયગંબર’’3 હતા. તેમનો સંદેશો સાંભળવામાં માત્ર રંગભેદી આફ્રિકા જ નહીં પણ યુરોપ, એશિયા અને સ્વયં બંગાળને સંકોચ હતો. ગાંધીજીના મતે આ સંદેશો દેશ દુનિયાને પહોંચે તે અનિવાર્ય હતું.
દક્ષિણ આફ્રિકા છોડી હિંદ પરત આવવા નીકળેલા ગાંધીજીના સત્કારમાં 8 ઑગસ્ટ, 1914ના રોજ લંડનની ‘સેસિલ હોટલ’માં સમારંભ યોજાયો. ભૂપેન્દ્રનાથ બસુના પ્રમુખપદે યોજાયેલા આ મેળાવવામાં સરોજિની નાયડુ, સચ્ચિદાનંદ સિંહા, લાલા લજપતરાય, મહંમદ અલી ઝીણા અને આલ્બર્ટ કાર્ટરાઇટ હાજર હતાં. આ સમારંભમાં ગાંધીજીએ એ ઍન્ડ્રૂઝના કામને બિરદાવતા કહ્યું; ‘‘પોતાના ગુરુ, બોલપુરના સાધુ કવિ રવીન્દ્રનાથ ટાગોર, જેમને તેમની મારફતે હું ઓળખી શક્યો છું, તેમની મારફતે હિંદુસ્તાન પ્રત્યેનું પ્રેમનું શિક્ષણ તે દક્ષિણ આફ્રિકાના લોકોને આપી રહ્યા હતા.’’<ref>4. એજન, Vol. 12, P. 457</ref>
દક્ષિણ આફ્રિકા છોડી હિંદ પરત આવવા નીકળેલા ગાંધીજીના સત્કારમાં 8 ઑગસ્ટ, 1914ના રોજ લંડનની ‘સેસિલ હોટલ’માં સમારંભ યોજાયો. ભૂપેન્દ્રનાથ બસુના પ્રમુખપદે યોજાયેલા આ મેળાવવામાં સરોજિની નાયડુ, સચ્ચિદાનંદ સિંહા, લાલા લજપતરાય, મહંમદ અલી ઝીણા અને આલ્બર્ટ કાર્ટરાઇટ હાજર હતાં. આ સમારંભમાં ગાંધીજીએ એ ઍન્ડ્રૂઝના કામને બિરદાવતા કહ્યું; ‘‘પોતાના ગુરુ, બોલપુરના સાધુ કવિ રવીન્દ્રનાથ ટાગોર, જેમને તેમની મારફતે હું ઓળખી શક્યો છું, તેમની મારફતે હિંદુસ્તાન પ્રત્યેનું પ્રેમનું શિક્ષણ તે દક્ષિણ આફ્રિકાના લોકોને આપી રહ્યા હતા.’’<ref>એજન, Vol. 12, P. 457</ref>
શું હતો આ સંદેશો ? કવિનાં ગીતોથી મુગ્ધ તો હજી ગાંધીજી ન હતા પણ તેમના માટે કવિનો મુખ્ય સંદેશો ભારતના સત્વની, તેના પ્રાણની મુક્તિનો હતો. દેશ ગુલામ હતો પણ કવિ કહેતા હતા કે હિંદનો આત્મા જ્યાં સુધી મુક્ત છે ત્યાં સુધી આ બાહ્ય ગુલામી સામે ઝઝૂમી શકાશે, તે તો માયા  રૂપ છે, માયા અસત્ય હોઈ, અજ્ઞાન હોઈ અંતે તે વિખરાશે. કંઈક આવો જ વિચાર ગાંધીજીના હિંદ સ્વરાજનો હતો; હિંદ તેમના મતે અંગ્રેજી શાસન નહીં પણ આધુનિક સુધાર નીચે કચડાઈ રહ્યું હતું અને આ મળ તો કેવળ હિંદના કિનારાને લાગેલો હતો, અંગ્રેજી શિક્ષણ અને આધુનિક સુધારના મોહાંધ લોકો જ ગુલામ હતા.  
શું હતો આ સંદેશો ? કવિનાં ગીતોથી મુગ્ધ તો હજી ગાંધીજી ન હતા પણ તેમના માટે કવિનો મુખ્ય સંદેશો ભારતના સત્વની, તેના પ્રાણની મુક્તિનો હતો. દેશ ગુલામ હતો પણ કવિ કહેતા હતા કે હિંદનો આત્મા જ્યાં સુધી મુક્ત છે ત્યાં સુધી આ બાહ્ય ગુલામી સામે ઝઝૂમી શકાશે, તે તો માયા  રૂપ છે, માયા અસત્ય હોઈ, અજ્ઞાન હોઈ અંતે તે વિખરાશે. કંઈક આવો જ વિચાર ગાંધીજીના હિંદ સ્વરાજનો હતો; હિંદ તેમના મતે અંગ્રેજી શાસન નહીં પણ આધુનિક સુધાર નીચે કચડાઈ રહ્યું હતું અને આ મળ તો કેવળ હિંદના કિનારાને લાગેલો હતો, અંગ્રેજી શિક્ષણ અને આધુનિક સુધારના મોહાંધ લોકો જ ગુલામ હતા.  
ગાંધીજી, કવિ ટાગોરના વિચારોની મહત્તા સમજી રહ્યા હતા, તેની અગત્ય અન્યો સમજાવવા તત્પર હતા એ વાતની પુષ્ટિ કરતાં તેમણે લંડનમાં ‘હિંદી ઐચ્છિક સહાય દળ’ (Indian Ambulance Corp)ને તાલીમ આપનારા ડૉ. કેન્ટલીને ટાગોરનાં પુસ્તકોનો એક ‘સેટ’ 1 ઑક્ટોબર, 1914ના રોજ  ભેટમાં આપ્યો.<ref>5. એજન, P. 467</ref>  
ગાંધીજી, કવિ ટાગોરના વિચારોની મહત્તા સમજી રહ્યા હતા, તેની અગત્ય અન્યો સમજાવવા તત્પર હતા એ વાતની પુષ્ટિ કરતાં તેમણે લંડનમાં ‘હિંદી ઐચ્છિક સહાય દળ’ (Indian Ambulance Corp)ને તાલીમ આપનારા ડૉ. કેન્ટલીને ટાગોરનાં પુસ્તકોનો એક ‘સેટ’ 1 ઑક્ટોબર, 1914ના રોજ  ભેટમાં આપ્યો.<ref>5. એજન, P. 467</ref>  
Line 26: Line 26:
ગાંધીજી આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને કળવામાં માહિર હતા. તેમનો યત્ન પણ આ બે વચ્ચેની ખાઈને શકાય તેટલી હદે પૂરવાની હતી. આ વિશે તેમણે માર્ચ મહિનાની મુલાકાત બાદ 14 માર્ચ, 1915ના રોજ મગનલાલ ગાંધીને લખ્યું, ‘‘ગુરુદેવનો આદર્શ ગમે તેવો ઊંચો હશે તોપણ જો તે આદર્શને અમલમાં મૂકનાર કોઈ નહીં જાગે તો તે આદર્શ જમાનાના ગાઢ અંધકારમાં પડી રહેવાનો અને તેથી ઊલટું, જો તે આદર્શ મુજબ વર્તનારાઓ નીકળી આવશે તો તે પોતાનો પ્રકાશ અનેકગણી રીતે ફેલાવી શકશે.’’<ref>અ. દે., Vol. 13, P. 38</ref> આથી તેમણે મગનલાલ સહિત આશ્રમવાસીઓને તપ કરવા સૂચન કર્યું.
ગાંધીજી આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને કળવામાં માહિર હતા. તેમનો યત્ન પણ આ બે વચ્ચેની ખાઈને શકાય તેટલી હદે પૂરવાની હતી. આ વિશે તેમણે માર્ચ મહિનાની મુલાકાત બાદ 14 માર્ચ, 1915ના રોજ મગનલાલ ગાંધીને લખ્યું, ‘‘ગુરુદેવનો આદર્શ ગમે તેવો ઊંચો હશે તોપણ જો તે આદર્શને અમલમાં મૂકનાર કોઈ નહીં જાગે તો તે આદર્શ જમાનાના ગાઢ અંધકારમાં પડી રહેવાનો અને તેથી ઊલટું, જો તે આદર્શ મુજબ વર્તનારાઓ નીકળી આવશે તો તે પોતાનો પ્રકાશ અનેકગણી રીતે ફેલાવી શકશે.’’<ref>અ. દે., Vol. 13, P. 38</ref> આથી તેમણે મગનલાલ સહિત આશ્રમવાસીઓને તપ કરવા સૂચન કર્યું.
જો ગાંધીજીને ગુરુદેવના આદર્શમાં શ્રદ્ધા હતી અને તેના અમલ વિશે પ્રશ્નો હતા તો શરૂઆતમાં ગુરુદેવને ફિનિક્સના આદર્શ અને આ આદર્શને અમલમાં મૂકવાની તત્પરતા બંને વિશે શંકા હતી. જોકે આ શંકા કે અવઢવ તેમને ફિનિક્સ વિદ્યાર્થીઓને પોતાના કરતાં રોકી ન શક્યા. ફિનિક્સ વિદ્યાર્થીઓ શાંતિનિકેતનમાં આશરો લેશે તે વિચારથી આનંદિત કવિએ ગાંધીજીને 17 ફેબ્રુઆરી, 1915ના રોજ પહેલો પત્ર લખ્યો. ‘મિ. ગાંધી’ને સંબોધિત પત્રમાં તેમણે લખ્યું; ‘‘આપના ફિનિક્સ કુમારો હિંદુસ્તાનમાં હોય ત્યારે મારી શાળા તેઓ માટે યોગ્ય અને સંભવિત જગ્યા છે તેવા આપના વિચારથી મને સાચો આનંદ થયો – અને જ્યારે મેં કુમારોને જોયા ત્યારે આનંદ બેવડાયો. અમો બધાને લાગે છે કે અમારા વિદ્યાર્થીઓ ઉપર તેમના સંસર્ગની અસર ઘણી કીમતી હશે અને હું આશા રાખું છું કે તેઓ પણ એવું કંઈક મેળવશે કે જેથી તેમનો શાંતિનિકેતન વાસ ફળદાયી નીવડશે. આ પત્ર હું આપનો આભાર માનવા લખું છું કે આપે આપના કુમારોને અમારા કુમાર બનવા દીધા અને આમ તેઓ આપણાં બંનેની જીવન સાધનામાં કડી બન્યાં.’’<ref>સવ્યસાચી ભટ્ટાચાર્ય (સંપા.) The Poet and The Mahatma, P. 44 મૂળ અંગ્રેજીમાંથી આ લેખકનો ગુજરાતી અનુવાદ. જ્યાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવે તે સિવાયનાં બધા મૂળ અંગ્રેજીના અનુવાદ આ લેખકના છે</ref>
જો ગાંધીજીને ગુરુદેવના આદર્શમાં શ્રદ્ધા હતી અને તેના અમલ વિશે પ્રશ્નો હતા તો શરૂઆતમાં ગુરુદેવને ફિનિક્સના આદર્શ અને આ આદર્શને અમલમાં મૂકવાની તત્પરતા બંને વિશે શંકા હતી. જોકે આ શંકા કે અવઢવ તેમને ફિનિક્સ વિદ્યાર્થીઓને પોતાના કરતાં રોકી ન શક્યા. ફિનિક્સ વિદ્યાર્થીઓ શાંતિનિકેતનમાં આશરો લેશે તે વિચારથી આનંદિત કવિએ ગાંધીજીને 17 ફેબ્રુઆરી, 1915ના રોજ પહેલો પત્ર લખ્યો. ‘મિ. ગાંધી’ને સંબોધિત પત્રમાં તેમણે લખ્યું; ‘‘આપના ફિનિક્સ કુમારો હિંદુસ્તાનમાં હોય ત્યારે મારી શાળા તેઓ માટે યોગ્ય અને સંભવિત જગ્યા છે તેવા આપના વિચારથી મને સાચો આનંદ થયો – અને જ્યારે મેં કુમારોને જોયા ત્યારે આનંદ બેવડાયો. અમો બધાને લાગે છે કે અમારા વિદ્યાર્થીઓ ઉપર તેમના સંસર્ગની અસર ઘણી કીમતી હશે અને હું આશા રાખું છું કે તેઓ પણ એવું કંઈક મેળવશે કે જેથી તેમનો શાંતિનિકેતન વાસ ફળદાયી નીવડશે. આ પત્ર હું આપનો આભાર માનવા લખું છું કે આપે આપના કુમારોને અમારા કુમાર બનવા દીધા અને આમ તેઓ આપણાં બંનેની જીવન સાધનામાં કડી બન્યાં.’’<ref>સવ્યસાચી ભટ્ટાચાર્ય (સંપા.) The Poet and The Mahatma, P. 44 મૂળ અંગ્રેજીમાંથી આ લેખકનો ગુજરાતી અનુવાદ. જ્યાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવે તે સિવાયનાં બધા મૂળ અંગ્રેજીના અનુવાદ આ લેખકના છે</ref>
ફિનિક્સ જૂથની પોતાની જાતને વંચિત રાખવાની, શિસ્તનું પાલન કરવાની તત્પરતાથી તેઓ જરૂર વિહ્વળ થયા. તેમને જણાયું કે આ કુમારોના જીવનમાં કોઈ આનંદ નથી કારણ કે શિસ્તનાં બંધનોમાં, આત્મપરિક્ષણમાં, સ્વૈચ્છિક ન હોય તેવા ત્યાગમાં આનંદ સંભવી જ ન શકે. તેમણે 14 નવેમ્બર, 1915ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ વિટંબણા રજૂ કરતાં લખ્યું; ‘‘મને ડર છે કે આ છોકરાઓ કશી પણ ઇચ્છા કરવાનું ભૂલી જશે અને ઇચ્છા તો પ્રાપ્તિની સુંદર ક્ષણ છે. આમ છતાં તેઓ આનંદમાં છે, જોકે તેમને આનંદમાં હોવાનું કોઈ કારણ નથી.’’<ref>The Myrid Minded Man., P. 418</ref> ચાર દિવસ પછીના પત્રમાં તેમણે પોતાનો અભિપ્રાય બદલ્યો. જોકે ફિનિક્સ પ્રથા અંગે તેમની શંકાઓ તો કાયમ રહી. તેમણે ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને લાગે છે કે તેઓ ખૂબ પ્રેમપાત્ર છે, જોકે હું તેમની કેળવણી પ્રથા વિશે મારી શંકામાંથી મુક્ત થઈ શકાતો નથી.’’<ref>એજન, P. 197</ref>શાંતિનિકેતન વિશે અને કવિના આદર્શને અમલમાં મૂકનારાઓ વિશે ગાંધીજીને અંદેશો ભલે હોય પણ કવિ માટે તો ભરપૂર આદર હતો. તેમણે પ્રયત્નપૂર્વક ગુજરાત અને દેશની પ્રજા સમક્ષ કવિને આદર્શ તરીકે મૂક્યા. 20 ઑક્ટોબર, 1917ના રોજ ભરૂચ ખાતે બીજી ગુજરાતી કેળવણી પરિષદ સમક્ષ ભાષણમાં કવિનો આદર્શ અને તેમનો મહિમા સમજાવતાં ગાંધીજીએ કહ્યું; ‘‘સર રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્ક્રી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે. ‘‘गीतांजलि’’ પ્રથમ બંગભાષામાં લખાઈ. આ મહાકવિ બંગાળમાં બંગાળીનો જ ઉપયોગ કરે છે... તેમણે પોતાના વિચારો અંગ્રેજી સાહિત્યમાંથી નથી લીધા... તે વિચારો આ દેશના વાતાવરણમાંથી લીધા છે. ઉપનિષદોમાંથી દોહી ક્ઢ્યા છે. હિંદુસ્તાનના આકાશમાંથી તેમની ઉપર વિચારવૃષ્ટિ થઈ છે.’’<ref>અ. દે., Vol. 14, P. 16</ref>
ફિનિક્સ જૂથની પોતાની જાતને વંચિત રાખવાની, શિસ્તનું પાલન કરવાની તત્પરતાથી તેઓ જરૂર વિહ્વળ થયા. તેમને જણાયું કે આ કુમારોના જીવનમાં કોઈ આનંદ નથી કારણ કે શિસ્તનાં બંધનોમાં, આત્મપરિક્ષણમાં, સ્વૈચ્છિક ન હોય તેવા ત્યાગમાં આનંદ સંભવી જ ન શકે. તેમણે 14 નવેમ્બર, 1915ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ વિટંબણા રજૂ કરતાં લખ્યું; ‘‘મને ડર છે કે આ છોકરાઓ કશી પણ ઇચ્છા કરવાનું ભૂલી જશે અને ઇચ્છા તો પ્રાપ્તિની સુંદર ક્ષણ છે. આમ છતાં તેઓ આનંદમાં છે, જોકે તેમને આનંદમાં હોવાનું કોઈ કારણ નથી.’’<ref>The Myrid Minded Man., P. 418</ref> ચાર દિવસ પછીના પત્રમાં તેમણે પોતાનો અભિપ્રાય બદલ્યો. જોકે ફિનિક્સ પ્રથા અંગે તેમની શંકાઓ તો કાયમ રહી. તેમણે ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને લાગે છે કે તેઓ ખૂબ પ્રેમપાત્ર છે, જોકે હું તેમની કેળવણી પ્રથા વિશે મારી શંકામાંથી મુક્ત થઈ શકાતો નથી.’’<ref>એજન, P. 197</ref> શાંતિનિકેતન વિશે અને કવિના આદર્શને અમલમાં મૂકનારાઓ વિશે ગાંધીજીને અંદેશો ભલે હોય પણ કવિ માટે તો ભરપૂર આદર હતો. તેમણે પ્રયત્નપૂર્વક ગુજરાત અને દેશની પ્રજા સમક્ષ કવિને આદર્શ તરીકે મૂક્યા. 20 ઑક્ટોબર, 1917ના રોજ ભરૂચ ખાતે બીજી ગુજરાતી કેળવણી પરિષદ સમક્ષ ભાષણમાં કવિનો આદર્શ અને તેમનો મહિમા સમજાવતાં ગાંધીજીએ કહ્યું; ‘‘સર રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્ક્રી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે. ‘‘गीतांजलि’’ પ્રથમ બંગભાષામાં લખાઈ. આ મહાકવિ બંગાળમાં બંગાળીનો જ ઉપયોગ કરે છે... તેમણે પોતાના વિચારો અંગ્રેજી સાહિત્યમાંથી નથી લીધા... તે વિચારો આ દેશના વાતાવરણમાંથી લીધા છે. ઉપનિષદોમાંથી દોહી ક્ઢ્યા છે. હિંદુસ્તાનના આકાશમાંથી તેમની ઉપર વિચારવૃષ્ટિ થઈ છે.’’<ref>અ. દે., Vol. 14, P. 16</ref>
ગાંધીજીના સ્વાશ્રયના, જાતમહેતના અધૂરા પ્રયોગની સ્મૃતિમાં દર વર્ષે 10 માર્ચે શાંતિનિકેતનમાં ‘ગાંધી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પણ આ અવસર કેવળ પ્રતીકરૂપ ન હતો. ગાંધીજીના વિચારોની અને કાર્યની સીધી અસર પણ શાંતિનિકેતનમાં પડી. ગુજરાતની પ્રજા સમક્ષ કવિના આદર્શ મૂકવાનું એક પરિણામ મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓનું શાંતિનિકેતનમાં અભ્યાસ કરવાનું આવ્યું. ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે શાંતિનિકેતનમાં 70 ગુજરાતી અને મારવાડી વિદ્યાર્થીઓ છે અને કવિ ટાગોર તેમની પ્રેમપૂર્વક સંભાળ લે છે; તેમનાં મા-બાપ આવે ત્યારે તેમનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. જવાબમાં ગાંધીજીએ લખ્યું; ‘‘બહુ ગમે તેવી નવાઈની વાત કહી, જો બધા વિદ્યાર્થીઓ ત્યાં રહે તો ગુજરાત-બંગાળ વચ્ચે કેવી સાંકળ બાંધે ? કવિ પોતાનું કામ ચાલુ રાખશે તો ગુજરાતીઓને પૂરો વખત રાખી શકશે.’’<ref>અ. દે., Vol. 15, P. 38</ref> આ વખતે પણ ગાંધીજી સફાઈની વાત યાદ કરાવવાનું ચૂક્યા નહીં. ‘‘મને એટલું પૂછવાની લાલચ થઈ આવે છે કે ત્યાંની સફાઈ પાછળ કોઈ ખાસ માણસ ધ્યાન આપે છે ખરું ? પાણીની વ્યવસ્થા બરાબર થઈ છે ખરી ?’’<ref>એજન</ref>
ગાંધીજીના સ્વાશ્રયના, જાતમહેતના અધૂરા પ્રયોગની સ્મૃતિમાં દર વર્ષે 10 માર્ચે શાંતિનિકેતનમાં ‘ગાંધી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પણ આ અવસર કેવળ પ્રતીકરૂપ ન હતો. ગાંધીજીના વિચારોની અને કાર્યની સીધી અસર પણ શાંતિનિકેતનમાં પડી. ગુજરાતની પ્રજા સમક્ષ કવિના આદર્શ મૂકવાનું એક પરિણામ મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓનું શાંતિનિકેતનમાં અભ્યાસ કરવાનું આવ્યું. ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે શાંતિનિકેતનમાં 70 ગુજરાતી અને મારવાડી વિદ્યાર્થીઓ છે અને કવિ ટાગોર તેમની પ્રેમપૂર્વક સંભાળ લે છે; તેમનાં મા-બાપ આવે ત્યારે તેમનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. જવાબમાં ગાંધીજીએ લખ્યું; ‘‘બહુ ગમે તેવી નવાઈની વાત કહી, જો બધા વિદ્યાર્થીઓ ત્યાં રહે તો ગુજરાત-બંગાળ વચ્ચે કેવી સાંકળ બાંધે ? કવિ પોતાનું કામ ચાલુ રાખશે તો ગુજરાતીઓને પૂરો વખત રાખી શકશે.’’<ref>અ. દે., Vol. 15, P. 38</ref> આ વખતે પણ ગાંધીજી સફાઈની વાત યાદ કરાવવાનું ચૂક્યા નહીં. ‘‘મને એટલું પૂછવાની લાલચ થઈ આવે છે કે ત્યાંની સફાઈ પાછળ કોઈ ખાસ માણસ ધ્યાન આપે છે ખરું ? પાણીની વ્યવસ્થા બરાબર થઈ છે ખરી ?’’<ref>એજન</ref>
1917ના ડિસેમ્બરમાં ગાંધીજી કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા ગયા. કૉંગ્રેસની કાર્યવાહીમાં હાજરી સાથે તેમણે કવિને મળવાનો લહાવો લીધો. નાતાલના દિવસે ગાંધીજી માટે ટાગોર કુટુંબના રહેઠાણ ‘જોરા શાંકો’ના વિચિત્રા હૉલમાં કવિએ 1912માં લખેલું નાટક ‘ડાકઘર’ ભજવાયું.<ref>ગોપાલકૃષ્ણ ગાંધી; Gandhi and Bengal, P. 81</ref> આની મોહિની ગાંધીજીને લાગી. 16 જાન્યુઆરી 1918ના પત્રમાં ચાર્લીના અને તેમના મિત્ર અને દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ સુશીલકુમાર રુદ્રને લખ્યું; ‘‘કલક્તામાં મને બહુ મજા પડી, પણ એ કૉંગ્રેસના મંડપમાં નહીં, બધી જ મજા મંડપની બહાર મળી. કવિ અને તેમની મંડળીએ ‘‘ડાકઘર’’ ભજવ્યું તે જોઈને હું મુગ્ધ થઈ ગયો. આ લખાવતી વખતે કવિનો જાણે અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે... બંગાળી સંગીતે મને મોહિની લગાડી.’’<ref>અ. દે., Vol. 14, PP. 128-129</ref>
1917ના ડિસેમ્બરમાં ગાંધીજી કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા ગયા. કૉંગ્રેસની કાર્યવાહીમાં હાજરી સાથે તેમણે કવિને મળવાનો લહાવો લીધો. નાતાલના દિવસે ગાંધીજી માટે ટાગોર કુટુંબના રહેઠાણ ‘જોરા શાંકો’ના વિચિત્રા હૉલમાં કવિએ 1912માં લખેલું નાટક ‘ડાકઘર’ ભજવાયું.<ref>ગોપાલકૃષ્ણ ગાંધી; Gandhi and Bengal, P. 81</ref> આની મોહિની ગાંધીજીને લાગી. 16 જાન્યુઆરી 1918ના પત્રમાં ચાર્લીના અને તેમના મિત્ર અને દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ સુશીલકુમાર રુદ્રને લખ્યું; ‘‘કલક્તામાં મને બહુ મજા પડી, પણ એ કૉંગ્રેસના મંડપમાં નહીં, બધી જ મજા મંડપની બહાર મળી. કવિ અને તેમની મંડળીએ ‘‘ડાકઘર’’ ભજવ્યું તે જોઈને હું મુગ્ધ થઈ ગયો. આ લખાવતી વખતે કવિનો જાણે અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે... બંગાળી સંગીતે મને મોહિની લગાડી.’’<ref>અ. દે., Vol. 14, PP. 128-129</ref>
Line 33: Line 33:
'''આશ્રમમાં એક રાત્રિ'''
'''આશ્રમમાં એક રાત્રિ'''
કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું.
કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું.
ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.<ref>જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. 85 સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.</ref>
ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.<ref>જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. <ref>. અ. દે. Vol. 18, P. 245</ref> સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.</ref>
7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’<ref>‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12</ref>
7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’<ref>‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12</ref>
આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’<ref>
આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’<ref>
Line 135: Line 135:
सेइ प्राणा अपरुप छन्दे ताले लय नाचि छे भुवने —  
सेइ प्राणा अपरुप छन्दे ताले लय नाचि छे भुवने —  
એ આપનો અલૌકિક અનુભવ ગુજરાતની પ્રજામાં અલ્પાંશે પણ સંક્રાન્ત થાય, આપની ‘પ્રણવરંગમાલા’નું પાન ગુજરાતની તૃષાર્ત ભારતીને થોડુંઘણું પણ થાય એ ઉત્કંઠાથી આપના વિવિધ વાગ્વિલાસ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવ્યા છે... પ્રભુ પાસે આજના શુભ પ્રસંગે અમારી પ્રાર્થના છે કે આપ દીર્ઘાર્યું થાઓ અને ભારતનું ગૌરવ હજી પણ વધે એવા અનેક મંગલ કાર્ય આપને હાથે થાઓ.
એ આપનો અલૌકિક અનુભવ ગુજરાતની પ્રજામાં અલ્પાંશે પણ સંક્રાન્ત થાય, આપની ‘પ્રણવરંગમાલા’નું પાન ગુજરાતની તૃષાર્ત ભારતીને થોડુંઘણું પણ થાય એ ઉત્કંઠાથી આપના વિવિધ વાગ્વિલાસ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવ્યા છે... પ્રભુ પાસે આજના શુભ પ્રસંગે અમારી પ્રાર્થના છે કે આપ દીર્ઘાર્યું થાઓ અને ભારતનું ગૌરવ હજી પણ વધે એવા અનેક મંગલ કાર્ય આપને હાથે થાઓ.
આ માનપત્રવાળું કાસકેટ, હારતોરા અર્પણ કર્યા પછી કવિ ટાગોરે "નિર્માણ વિરુદ્ધ સર્જન નામે વિખ્યાત થયેલું તેમનું ભાષણ વાંચી સંભળાવ્યું.<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-2</ref> તેમણે કહ્યું કે નિર્માણમાં પ્રયોજન હોય છે પણ સર્જન સર્જનને ખાતર હોય છે, સર્જનમાં એક પ્રકારની અંતિમતા છે. "એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે... સર્જન એટલે આકારોની લયલીલામાં સત્યનું દર્શન. એમાં વસ્તુ અને વક્તવ્યનું દ્વૈત હોય છે.’’<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 29</ref> તેમણે જગતના સત્યની વાત કરી. આ સત્ય વસ્તુઓના ખાલી ખડકલામાં નથી, તે તો વસ્તુઓના સંબંધમાં છે – કેવળ સંબંધમાં નહીં પણ અખિલાઈભર્યા સંબંધમાં છે. જો આ સત્ય સંબંધોના વિષયોમાં સમાયું હોય તો મનુષ્યનું કર્તવ્ય આ તાલમાં તાલ મિલાવવો રહ્યું. ‘‘માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે. કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી... આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે.’’5<ref>એજન, P. 30</ref>કવિ પણ ગાંધીજીની માફક આધુનિકતાથી વિહ્વળ છે. કવિ માટે આધુનિકતા ચીજવસ્તુનો અતિરેક કરે છે, જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારે છે. ‘‘મનુષ્યની શક્તિ બાહ્ય જગત તરફ વળી છે. એથી અઢળક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. એ આપણામાં આપણી શક્તિ અંગેનું અભિમાન પ્રેરી શકે, પણ જીવનનો આનંદ આપી ન શકે. દિનપ્રતિદિન ચીજવસ્તુઓનો ગંજાવર જથ્થો મનુષ્યની માનવતાને આંજી રહ્યો છે. જડ અને ચેતન વચ્ચેનું અંતર વધતું જાય છે. જ્યારે ચીજવસ્તુઓનો અતિરેક થાય ત્યારે જીવન સાથે એ એકરસ થતી નથી, પરિણામે એ જીવનની ભારે ખતરનાક હરીફ બની જાય છે, જેમ બળતણનો મોટો ઢગલો અગ્નિનો હરીફ બની જાય છે તેમ.’’<ref>એજન, P. 31</ref>
આ માનપત્રવાળું કાસકેટ, હારતોરા અર્પણ કર્યા પછી કવિ ટાગોરે "નિર્માણ વિરુદ્ધ સર્જન નામે વિખ્યાત થયેલું તેમનું ભાષણ વાંચી સંભળાવ્યું.<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-2</ref> તેમણે કહ્યું કે નિર્માણમાં પ્રયોજન હોય છે પણ સર્જન સર્જનને ખાતર હોય છે, સર્જનમાં એક પ્રકારની અંતિમતા છે. "એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે... સર્જન એટલે આકારોની લયલીલામાં સત્યનું દર્શન. એમાં વસ્તુ અને વક્તવ્યનું દ્વૈત હોય છે.’’<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 29</ref> તેમણે જગતના સત્યની વાત કરી. આ સત્ય વસ્તુઓના ખાલી ખડકલામાં નથી, તે તો વસ્તુઓના સંબંધમાં છે – કેવળ સંબંધમાં નહીં પણ અખિલાઈભર્યા સંબંધમાં છે. જો આ સત્ય સંબંધોના વિષયોમાં સમાયું હોય તો મનુષ્યનું કર્તવ્ય આ તાલમાં તાલ મિલાવવો રહ્યું. ‘‘માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે. કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી... આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે.’’5<ref>એજન, P. 30</ref> કવિ પણ ગાંધીજીની માફક આધુનિકતાથી વિહ્વળ છે. કવિ માટે આધુનિકતા ચીજવસ્તુનો અતિરેક કરે છે, જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારે છે. ‘‘મનુષ્યની શક્તિ બાહ્ય જગત તરફ વળી છે. એથી અઢળક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. એ આપણામાં આપણી શક્તિ અંગેનું અભિમાન પ્રેરી શકે, પણ જીવનનો આનંદ આપી ન શકે. દિનપ્રતિદિન ચીજવસ્તુઓનો ગંજાવર જથ્થો મનુષ્યની માનવતાને આંજી રહ્યો છે. જડ અને ચેતન વચ્ચેનું અંતર વધતું જાય છે. જ્યારે ચીજવસ્તુઓનો અતિરેક થાય ત્યારે જીવન સાથે એ એકરસ થતી નથી, પરિણામે એ જીવનની ભારે ખતરનાક હરીફ બની જાય છે, જેમ બળતણનો મોટો ઢગલો અગ્નિનો હરીફ બની જાય છે તેમ.’’<ref>એજન, P. 31</ref>
હિંદ સ્વરાજમાં ગાંધીજીએ આધુનિક સુધાર જે ખરેખર કુધાર છે તેને બહિરની શોધમાં સાર્થક્ય અને પુરુષાર્થની શોધ ગણાવ્યો હતો. બંને માટે આધુનિકતા જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારનારી અને આથી માનવ હોવાપણાનો, તેની સર્જનશક્તિનો હ્રાસ કરનારી વ્યવસ્થા છે. આથી તે માનવને તેના સત્યથી, પરમેશ્વરથી, નીતિપરાયણતાથી દૂર લઈ જનારી વ્યવસ્થા બને છે. કવિ તો વિકાસનો અર્થ પણ ચીજવસ્તુઓના સંવર્ધન એમ ન થાય તેવું કહે છે. ચીજવસ્તુ પોતાની રીતે, તેની ભૌતિકતામાં અર્થસભર નથી હોતી પણ "જ્યારે કોઈ જીવંત વિચાર સાથે એ ઓતપ્રોત થાય છે ત્યારે જ એમને એમનું સત્ય પ્રાપ્ત થાય છે; પણ જ્યાં લગી માત્ર સંગ્રહ કરવાની તીવ્ર ઇચ્છા જ મનુષ્યના મનમાં વસી હોય છે ત્યાં લગી આ ઓતપ્રોતતા પણ અશક્ય હોય છે. ત્યાં લગી તો જીવનનાં પરિબળોને પણ સર્જન કરવાના એના મહાન કાર્યને માટે વિશેષ અવકાશ હોતો નથી.<ref>એજન, P. 33</ref>
હિંદ સ્વરાજમાં ગાંધીજીએ આધુનિક સુધાર જે ખરેખર કુધાર છે તેને બહિરની શોધમાં સાર્થક્ય અને પુરુષાર્થની શોધ ગણાવ્યો હતો. બંને માટે આધુનિકતા જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારનારી અને આથી માનવ હોવાપણાનો, તેની સર્જનશક્તિનો હ્રાસ કરનારી વ્યવસ્થા છે. આથી તે માનવને તેના સત્યથી, પરમેશ્વરથી, નીતિપરાયણતાથી દૂર લઈ જનારી વ્યવસ્થા બને છે. કવિ તો વિકાસનો અર્થ પણ ચીજવસ્તુઓના સંવર્ધન એમ ન થાય તેવું કહે છે. ચીજવસ્તુ પોતાની રીતે, તેની ભૌતિકતામાં અર્થસભર નથી હોતી પણ "જ્યારે કોઈ જીવંત વિચાર સાથે એ ઓતપ્રોત થાય છે ત્યારે જ એમને એમનું સત્ય પ્રાપ્ત થાય છે; પણ જ્યાં લગી માત્ર સંગ્રહ કરવાની તીવ્ર ઇચ્છા જ મનુષ્યના મનમાં વસી હોય છે ત્યાં લગી આ ઓતપ્રોતતા પણ અશક્ય હોય છે. ત્યાં લગી તો જીવનનાં પરિબળોને પણ સર્જન કરવાના એના મહાન કાર્યને માટે વિશેષ અવકાશ હોતો નથી.<ref>એજન, P. 33</ref>
કવિ આધુનિક વિજ્ઞાનને પણ અમર્યાદ નફાખોરી, સમાજની ખંડિત સમતુલા અને નૈતિક ઉદાસીનતા અને સૌંદર્ય પ્રતિ નષ્ટ થઈ રહેલા પૂજ્ય ભાવ સાથે સાંકળે છે.
કવિ આધુનિક વિજ્ઞાનને પણ અમર્યાદ નફાખોરી, સમાજની ખંડિત સમતુલા અને નૈતિક ઉદાસીનતા અને સૌંદર્ય પ્રતિ નષ્ટ થઈ રહેલા પૂજ્ય ભાવ સાથે સાંકળે છે.
Line 141: Line 141:
હિંદ સ્વરાજ જાતને ઓળખવામાં, નીતિપરાયણ અને ફરજપાલનમાં અને તે દ્વારા સ્વયં ઉપર પોતાનું રાજ કરવાની શક્યતામાં મુક્તિ અને સ્વરાજ બંને જુએ છે. ગાંધીજી માટે આધુનિકતા માનવઅસ્તિત્વની અનેક શક્યતાઓમાંની એક શક્યતા છે; એવી શક્યતા કે જે પોતે પેટાવેલા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જશે. આધુનિકતા નાશકારી અને નાશવંત બંને છે.
હિંદ સ્વરાજ જાતને ઓળખવામાં, નીતિપરાયણ અને ફરજપાલનમાં અને તે દ્વારા સ્વયં ઉપર પોતાનું રાજ કરવાની શક્યતામાં મુક્તિ અને સ્વરાજ બંને જુએ છે. ગાંધીજી માટે આધુનિકતા માનવઅસ્તિત્વની અનેક શક્યતાઓમાંની એક શક્યતા છે; એવી શક્યતા કે જે પોતે પેટાવેલા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જશે. આધુનિકતા નાશકારી અને નાશવંત બંને છે.
તે દિવસે સાંજે ગાંધીજીએ લાલદરવાજાના મેદાનમાં ‘‘સમાજની દૃષ્ટિએ સાહિત્ય વિષય પર જાહેર વ્યાખ્યાન આપ્યું.’’<ref>આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3</ref>
તે દિવસે સાંજે ગાંધીજીએ લાલદરવાજાના મેદાનમાં ‘‘સમાજની દૃષ્ટિએ સાહિત્ય વિષય પર જાહેર વ્યાખ્યાન આપ્યું.’’<ref>આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3</ref>
‘‘સાહિત્યરસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂક્યો કે કેમ ? જો તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ... આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એક્દ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે.’’<ref>અ. દે., Vol. 17, P. 287</ref> તેમણે કહ્યું કે પ્રજા જ્યારે ભયભીત હોય ત્યારે ન તો કવિત્વની ધારા છૂટે, સત્ય પણ નહીં તરે. ‘‘હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો; પરંતુ તેના મોંમા તો બિભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમજ આપણા પ્રમુખ સાહેબ પાસે માંગું છું.’’<ref>એજન.</ref> પ્રજા અને એથી સાહિત્ય પાસે તેમને એક જ અપેક્ષા હતી; ‘‘આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.’’<ref>એજન, P. 290</ref>તેમણે કવિવરનો સંદેશો પણ જન સમક્ષ મૂક્યો. ‘‘આધુનિક સંસ્કૃતિની નીપજ તરીકેનો એમણે કરેલો કલકત્તાનો ઉલ્લેખ એમની સ્વાભાવિક ખાનદાની અને નમ્રતાની સુંદર નિશાની છે. સાઠથી વધારે મિલોવાળા અને વેપારી બુદ્ધિવાળા અમદાવાદમાં આ સત્ય ઉચ્ચારવાનું એમના માટે જરૂરી હતું. એમણે અમદાવાદના લોકોને એટલું કહેવું પડે એમ હતું કે ઈશ્વરની સાધનાને લક્ષ્મીની સાધના કરતાં મોટી ગણવી જોઈએ. એમણે કલકત્તા સ્થિતિનું વર્ણન કરીને આ કાર્ય અત્યંત કુશળતાપૂર્વક કરી બતાવ્યું. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના લોકો કવિનો આ સંદેશો પોતાના હૃદયમાં ઉતારશે. એની સાચી કદર એ રીતે જ થશે.’’<ref>એજન, P. 294</ref>
‘‘સાહિત્યરસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂક્યો કે કેમ ? જો તેઓ ‘હા’માં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ... આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એક્દ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે.’’<ref>અ. દે., Vol. 17, P. 287</ref> તેમણે કહ્યું કે પ્રજા જ્યારે ભયભીત હોય ત્યારે ન તો કવિત્વની ધારા છૂટે, સત્ય પણ નહીં તરે. ‘‘હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો; પરંતુ તેના મોંમા તો બિભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમજ આપણા પ્રમુખ સાહેબ પાસે માંગું છું.’’<ref>એજન.</ref> પ્રજા અને એથી સાહિત્ય પાસે તેમને એક જ અપેક્ષા હતી; ‘‘આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.’’<ref>એજન, P. 290</ref> તેમણે કવિવરનો સંદેશો પણ જન સમક્ષ મૂક્યો. ‘‘આધુનિક સંસ્કૃતિની નીપજ તરીકેનો એમણે કરેલો કલકત્તાનો ઉલ્લેખ એમની સ્વાભાવિક ખાનદાની અને નમ્રતાની સુંદર નિશાની છે. સાઠથી વધારે મિલોવાળા અને વેપારી બુદ્ધિવાળા અમદાવાદમાં આ સત્ય ઉચ્ચારવાનું એમના માટે જરૂરી હતું. એમણે અમદાવાદના લોકોને એટલું કહેવું પડે એમ હતું કે ઈશ્વરની સાધનાને લક્ષ્મીની સાધના કરતાં મોટી ગણવી જોઈએ. એમણે કલકત્તા સ્થિતિનું વર્ણન કરીને આ કાર્ય અત્યંત કુશળતાપૂર્વક કરી બતાવ્યું. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના લોકો કવિનો આ સંદેશો પોતાના હૃદયમાં ઉતારશે. એની સાચી કદર એ રીતે જ થશે.’’<ref>એજન, P. 294</ref>
તારીખ 2 એપ્રિલે ગાંધીજીના જાહેર ભાષણ પછી કવિવર એક રાત્રિ માટે આશ્રમના મહેમાન બન્યા. 9 મે અને 16 મે, 1920ના ‘નવજીવન’માં ‘સત્યાગ્રહ આશ્રમમાં એક રાત્રિ’ નામે શ્રી પરમાનંદના લેખમાં આ મુલાકાતનું વર્ણન છે. કવિવર રાતના નવ વાગ્યાની આસપાસ આશ્રમ આવવાના હતા તેથી; ‘‘સડક ઉપર ચંદ્રની ઉજ્જ્વળતાના ઉપહાસ કરતાં શ્વેત વસ્ત્રધારી આશ્રમવાસીઓનું ટોળું એકઠું થયું હતું, અને માનવંતા મહેમાનોની બહુ આતુરતાથી રાહ જોતું હતું... આમાં આશ્રમનિવાસી બાળકોનું કુતૂહલ બહુ જ આશ્ચર્ય પમાડે તેવું હતું... દૂરથી દીપયુગ્મ દેખાયું; મોટરના અવાજ સંભળાયા; આશ્રમવાસીઓમાં અને મારા જેવા અનામંત્રિત અતિથિઓનાં ચિત્ત આમંત્રિત મહાપુરુષો માટે સવિશેષ ઉત્કંઠિત થયાં; બાળકો ઉદગ્રીવ થઈને દૃષ્ટિ દોડાવવા લાગ્યાં અને થોડીવારમાં જેની આટલી આતુરતાથી રાહ જોવાતી હતી તે દેશદીપક નરરત્ન અમારી સન્મુખ આવી પહોંચ્યા. યજમાન મહાત્મા ગાંધીજી મોટરમાંથી નીચે ઊતર્યા અને તેમને અનુસરીને મહેમાન કવિ કુલાવતંસ રવીન્દ્રનાથ પણ નીચે આવ્યા. આશ્રમમાં દાખલ થવાને એક સાદો છતાં સુંદર આશ્રમવસ્ત્ર નિર્મિત દરવાજો ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં થઈને પ્રવેશ કરતા કવિવરને ત્યાંના સંગીત શિક્ષક તથા બાળવિદ્યાર્થીઓએ નીચેના મનોહર કાવ્યથી સત્કાર કીધો : "ઓ હૃદયરવ રેલાવનારા સંત કવિ અમ દેશના, આવો અમારે આંગણે કરીએ પૂજન વાગીશના.’’<ref>નવજીવન, 9 મે, 1920, એજન, P. 510 કાવ્યની અન્ય પંક્તિઓ નીચે પ્રમાણે હતી.
તારીખ 2 એપ્રિલે ગાંધીજીના જાહેર ભાષણ પછી કવિવર એક રાત્રિ માટે આશ્રમના મહેમાન બન્યા. 9 મે અને 16 મે, 1920ના ‘નવજીવન’માં ‘સત્યાગ્રહ આશ્રમમાં એક રાત્રિ’ નામે શ્રી પરમાનંદના લેખમાં આ મુલાકાતનું વર્ણન છે. કવિવર રાતના નવ વાગ્યાની આસપાસ આશ્રમ આવવાના હતા તેથી; ‘‘સડક ઉપર ચંદ્રની ઉજ્જ્વળતાના ઉપહાસ કરતાં શ્વેત વસ્ત્રધારી આશ્રમવાસીઓનું ટોળું એકઠું થયું હતું, અને માનવંતા મહેમાનોની બહુ આતુરતાથી રાહ જોતું હતું... આમાં આશ્રમનિવાસી બાળકોનું કુતૂહલ બહુ જ આશ્ચર્ય પમાડે તેવું હતું... દૂરથી દીપયુગ્મ દેખાયું; મોટરના અવાજ સંભળાયા; આશ્રમવાસીઓમાં અને મારા જેવા અનામંત્રિત અતિથિઓનાં ચિત્ત આમંત્રિત મહાપુરુષો માટે સવિશેષ ઉત્કંઠિત થયાં; બાળકો ઉદગ્રીવ થઈને દૃષ્ટિ દોડાવવા લાગ્યાં અને થોડીવારમાં જેની આટલી આતુરતાથી રાહ જોવાતી હતી તે દેશદીપક નરરત્ન અમારી સન્મુખ આવી પહોંચ્યા. યજમાન મહાત્મા ગાંધીજી મોટરમાંથી નીચે ઊતર્યા અને તેમને અનુસરીને મહેમાન કવિ કુલાવતંસ રવીન્દ્રનાથ પણ નીચે આવ્યા. આશ્રમમાં દાખલ થવાને એક સાદો છતાં સુંદર આશ્રમવસ્ત્ર નિર્મિત દરવાજો ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં થઈને પ્રવેશ કરતા કવિવરને ત્યાંના સંગીત શિક્ષક તથા બાળવિદ્યાર્થીઓએ નીચેના મનોહર કાવ્યથી સત્કાર કીધો : "ઓ હૃદયરવ રેલાવનારા સંત કવિ અમ દેશના, આવો અમારે આંગણે કરીએ પૂજન વાગીશના.’’<ref>નવજીવન, 9 મે, 1920, એજન, P. 510 કાવ્યની અન્ય પંક્તિઓ નીચે પ્રમાણે હતી.
‘‘ઓ હૃદય... પૂજન વાગીશના. (ટેક)
‘‘ઓ હૃદય... પૂજન વાગીશના. (ટેક)
Line 172: Line 172:
"જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે, જેમના મનમાં વિધાતાએ આ આશ્રમની સૃષ્ટિ કરી છે, તે આખા ભારતવર્ષનો પ્રકાશ છે. વિશ્વ ભારતનું હૃદય તેમણે પોતાનાં જીવન વડે આજ વ્યક્ત કર્યું છે. ભારત વર્ષની તે આકાંક્ષા તેમના જીવનમાં સંજીવિત થઈ છે. આ આશ્રમનું જો ફક્ત બાહ્ય સ્વરૂપ જોઈશું તો આપણને તેનો પૂરેપૂરો પરિચય નહિ મળે. જેમણે આ આશ્રમને જન્મ આપ્યો છે તેમના જીવન સાથે મળીને ઊંડાણમાં જોઈશું તો આપણને દેખાશે કે આશ્રમમાં જે અમૃત રહેલું છે તે જ અમૃત ભારત વર્ષમાં રહેલું છે. જેઓ મહાત્માઓ છે; તેમના જીવનનું અમૃત પિરસવાનું આ એક સ્થળનિર્માણ થયું છે.
"જે મહાત્માએ આ આશ્રમ સ્થાપન કર્યો છે, જેમના મનમાં વિધાતાએ આ આશ્રમની સૃષ્ટિ કરી છે, તે આખા ભારતવર્ષનો પ્રકાશ છે. વિશ્વ ભારતનું હૃદય તેમણે પોતાનાં જીવન વડે આજ વ્યક્ત કર્યું છે. ભારત વર્ષની તે આકાંક્ષા તેમના જીવનમાં સંજીવિત થઈ છે. આ આશ્રમનું જો ફક્ત બાહ્ય સ્વરૂપ જોઈશું તો આપણને તેનો પૂરેપૂરો પરિચય નહિ મળે. જેમણે આ આશ્રમને જન્મ આપ્યો છે તેમના જીવન સાથે મળીને ઊંડાણમાં જોઈશું તો આપણને દેખાશે કે આશ્રમમાં જે અમૃત રહેલું છે તે જ અમૃત ભારત વર્ષમાં રહેલું છે. જેઓ મહાત્માઓ છે; તેમના જીવનનું અમૃત પિરસવાનું આ એક સ્થળનિર્માણ થયું છે.
"વનસ્પતિ આજે અહીં અંકુર રૂપે દેખાય છે, નવજીવનના વિહંગમોએ અહીં માળા બાંધવા આરંભ કીધો છે; ભારત વર્ષના નાના પ્રદેશથી વિધવિધ આશાઓ વહન કરીને ચોમેરનાં પક્ષીઓ આ માળામાં આવીને વસશે. આજે મારું પરમ સૌભાગ્ય છે કે આ આશ્રમલક્ષ્મીનો આશીર્વાદ-વરમાલ્યનો આપની પાસેથી મેં લાભ કીધો છે.
"વનસ્પતિ આજે અહીં અંકુર રૂપે દેખાય છે, નવજીવનના વિહંગમોએ અહીં માળા બાંધવા આરંભ કીધો છે; ભારત વર્ષના નાના પ્રદેશથી વિધવિધ આશાઓ વહન કરીને ચોમેરનાં પક્ષીઓ આ માળામાં આવીને વસશે. આજે મારું પરમ સૌભાગ્ય છે કે આ આશ્રમલક્ષ્મીનો આશીર્વાદ-વરમાલ્યનો આપની પાસેથી મેં લાભ કીધો છે.
"શુભ થાઓ, કલ્યાણ થાઓ, સત્ય, શ્રદ્ધા, નિષ્ઠા, શાંતિ અને સૌંદર્યથી સર્વ પરિપૂર્ણ થાઓ.67 આશિર્વચન બાદ કવિનું પાદપ્રક્ષાલન કરવામાં આવ્યું, આશ્રમવાસીઓએ ક્રમવાર કવિનો ચરણસ્પર્શ કર્યો, મહાનુભાવોની ઓળખાણ કરાવવામાં આવી, કેટલાંક ટૂંકા ભાષણ થયાં અને પછી કવિ આરામ લેવા અતિથિગૃહમાં પધાર્યા.
"શુભ થાઓ, કલ્યાણ થાઓ, સત્ય, શ્રદ્ધા, નિષ્ઠા, શાંતિ અને સૌંદર્યથી સર્વ પરિપૂર્ણ થાઓ.<ref>એજન, P. 511</ref> આશિર્વચન બાદ કવિનું પાદપ્રક્ષાલન કરવામાં આવ્યું, આશ્રમવાસીઓએ ક્રમવાર કવિનો ચરણસ્પર્શ કર્યો, મહાનુભાવોની ઓળખાણ કરાવવામાં આવી, કેટલાંક ટૂંકા ભાષણ થયાં અને પછી કવિ આરામ લેવા અતિથિગૃહમાં પધાર્યા.
સવારે ચાર વાગે કવિ આશ્રમ પ્રાર્થનામાં ભાગ લેવા હાજર હતા. "સૌ પોતપોતાનાં નિત્યકર્મ પતાવી આશ્રમની ઉપવનભૂમિના મધ્યભાગમાં એકઠાં થયાં અને પોતપોતાની યોગ્યતા પ્રમાણે આસનારૂઢ થયાં. કાવ્યમૂર્તિ રવીન્દ્રનાથ ઠાકુર પણ અમારી સન્મુખ આવી પહોંચ્યા અને તેમના માટે નિયત થયેલા મધ્યાસન પર બેઠા... તેમની એક બાજુએ મહાત્મા ગાંધીજી બેઠા હતા. બીજી બાજુ શ્રીમતી સરલાદેવી ચૌધરાણી તથા અનસૂયાબહેન હતાં.68 નિત્ય નિયમ પ્રમાણે સવારની પ્રાર્થના થઈ. ત્યારબાદ પંડિત ખરેએ કવિવર ટાગોરનું પદ્ય ગાયું અને વિનોબાજીએ ઉપનિષદનાં સૂત્રોનો પાઠ કર્યો. "આ પ્રાર્થનાનો ક્રમ પૂરો થયો. અમે હવે કવિશ્રી કાંઈક સંભળાવશે એ આશામાં સૌ શાંત થઈ બેઠા. પ્રાર્થનાની ગીતમાળામાં કવિશ્રી એટલા લીન થઈ ગયા હતા કે એકત્ર થયેલું મંડળ પોતાનું સંગીત સાંભળવા આતુર છે તેની તેમને વિસ્તૃતિ થઈ ગઈ અને ધ્યાન નિમગ્ન થઈ ગયા. મંડળની ધીરજની વધારે પડતી ક્સોટી થશે એ ભયથી મહાત્મા ગાંધીજીએ કવિવર ઠાકુરનું ધ્યાન ખેંચ્યું; અને કવિવરે એક પોતાનું જ બનાવેલું મધુર ગાન આરંભ્યું... ગુજરાતની સર્વ વસંતોમાં આ વસંત તો અનેરી બની કે જ્યારે આ ધવલ રાત્રિએ આજ ઘણા લાંબા વખતે એક મહાન કવિ વિહંગને સત્યાગ્રહ આશ્રમની ડાળે બેસી અવર્ણનીય કોઈ દિવ્ય કૂજન કીધું; અને નિરસ બનતી જતી ગુજરાતને રસનો મહાન પાઠ પઢાવ્યો.’’69
સવારે ચાર વાગે કવિ આશ્રમ પ્રાર્થનામાં ભાગ લેવા હાજર હતા. "સૌ પોતપોતાનાં નિત્યકર્મ પતાવી આશ્રમની ઉપવનભૂમિના મધ્યભાગમાં એકઠાં થયાં અને પોતપોતાની યોગ્યતા પ્રમાણે આસનારૂઢ થયાં. કાવ્યમૂર્તિ રવીન્દ્રનાથ ઠાકુર પણ અમારી સન્મુખ આવી પહોંચ્યા અને તેમના માટે નિયત થયેલા મધ્યાસન પર બેઠા... તેમની એક બાજુએ મહાત્મા ગાંધીજી બેઠા હતા. બીજી બાજુ શ્રીમતી સરલાદેવી ચૌધરાણી તથા અનસૂયાબહેન હતાં.<ref>‘નવજીવન’, 16 મે 1920, P. 518</ref> નિત્ય નિયમ પ્રમાણે સવારની પ્રાર્થના થઈ. ત્યારબાદ પંડિત ખરેએ કવિવર ટાગોરનું પદ્ય ગાયું અને વિનોબાજીએ ઉપનિષદનાં સૂત્રોનો પાઠ કર્યો. "આ પ્રાર્થનાનો ક્રમ પૂરો થયો. અમે હવે કવિશ્રી કાંઈક સંભળાવશે એ આશામાં સૌ શાંત થઈ બેઠા. પ્રાર્થનાની ગીતમાળામાં કવિશ્રી એટલા લીન થઈ ગયા હતા કે એકત્ર થયેલું મંડળ પોતાનું સંગીત સાંભળવા આતુર છે તેની તેમને વિસ્તૃતિ થઈ ગઈ અને ધ્યાન નિમગ્ન થઈ ગયા. મંડળની ધીરજની વધારે પડતી ક્સોટી થશે એ ભયથી મહાત્મા ગાંધીજીએ કવિવર ઠાકુરનું ધ્યાન ખેંચ્યું; અને કવિવરે એક પોતાનું જ બનાવેલું મધુર ગાન આરંભ્યું... ગુજરાતની સર્વ વસંતોમાં આ વસંત તો અનેરી બની કે જ્યારે આ ધવલ રાત્રિએ આજ ઘણા લાંબા વખતે એક મહાન કવિ વિહંગને સત્યાગ્રહ આશ્રમની ડાળે બેસી અવર્ણનીય કોઈ દિવ્ય કૂજન કીધું; અને નિરસ બનતી જતી ગુજરાતને રસનો મહાન પાઠ પઢાવ્યો.’’<ref>એજન.</ref>
કવિવરના સ્વાગતની વિધિ અને તે અંગેના ‘ખોટા’ ખર્ચાને લઈને મગનલાલ ગાંધી અને વિનોબાએ ‘મોટી ધમાલ મચાવી.’70 ગાધીજીએ મગનલાલને ગુરુદેવ ‘અલૌકિક’ છે તેમ જણાવતાં લખ્યું; ‘‘ગુરુદેવ વિશે હું માત્ર સાક્ષી જ રહ્યો. તમારી બધાંની ઇચ્છાને વશ વર્ત્યો છું. હું પોતે કમાન વ.માં ન પડત. તેમની પૂજા કરવાનો કંઈક અલ્પ પ્રયાસ શોધી કાઢત. જે થયું તેના વિશે હું તદ્દન તટસ્થ છું. તેમનું સુંદર રીતે સ્વાગત કરવું એ આપણી ફરજ હતી એમ માનું છું. વિદ્યાર્થીઓ તેમાં રોકાઈ ગયા તેથી કાંઈ નુક્સાન થયું એવું મને નથી લાગ્યું. તેમનામાં રહેલો સેવાભાવ તેઓએ, આચાર્યોએ વાત યાદ રાખવા જેવી છે. વળી ગુરુદેવ બહુ અસાધારણ વ્યક્તિ ગણાય. તેમનામાં કવિત્વ સાધુતા અને દેશપ્રેમ છે. એ મેળવણી અલૌકિક છે. તે પૂજા યોગ્ય છે. તેમની સરળતા
કવિવરના સ્વાગતની વિધિ અને તે અંગેના ‘ખોટા’ ખર્ચાને લઈને મગનલાલ ગાંધી અને વિનોબાએ ‘મોટી ધમાલ મચાવી.’<ref>એજન</ref> ગાધીજીએ મગનલાલને ગુરુદેવ ‘અલૌકિક’ છે તેમ જણાવતાં લખ્યું; ‘‘ગુરુદેવ વિશે હું માત્ર સાક્ષી જ રહ્યો. તમારી બધાંની ઇચ્છાને વશ વર્ત્યો છું. હું પોતે કમાન વ.માં ન પડત. તેમની પૂજા કરવાનો કંઈક અલ્પ પ્રયાસ શોધી કાઢત. જે થયું તેના વિશે હું તદ્દન તટસ્થ છું. તેમનું સુંદર રીતે સ્વાગત કરવું એ આપણી ફરજ હતી એમ માનું છું. વિદ્યાર્થીઓ તેમાં રોકાઈ ગયા તેથી કાંઈ નુક્સાન થયું એવું મને નથી લાગ્યું. તેમનામાં રહેલો સેવાભાવ તેઓએ, આચાર્યોએ વાત યાદ રાખવા જેવી છે. વળી ગુરુદેવ બહુ અસાધારણ વ્યક્તિ ગણાય. તેમનામાં કવિત્વ સાધુતા અને દેશપ્રેમ છે. એ મેળવણી અલૌકિક છે. તે પૂજા યોગ્ય છે. તેમની સરળતા
કેવી ?’’71
કેવી ?’’<ref>એજન</ref>
3 જી એપ્રિલ ભોળાનાથ સારાભાઈ લેડિઝ ઇન્સ્ટિટ્યૂટમાં ભરાયેલું સાહિત્ય અને કળાનું પ્રદર્શન મુંબઈના ‘કલા રસિક અને કલા સંગ્રાહક’ શેઠ પુરુષોત્તમ વિશ્રામજી માવજીના હાથે ખુલ્લું મુકાયું.72 આ દિવસે સાંજે લાલ દરવાજા મેદાન ઉપર કવિનું જાહેર વ્યાખ્યાન હતું; "ટાગોરે ‘વસંતના વધામણાં’ એ વિષય પર કવિત્વમય વ્યાખ્યાન કર્યું. તે પૂરું થયું કે લોકોમાંથી માંગણી આવી કે ‘એનું ગુજરાતી કહો.’ આપણા શ્રેષ્ઠ સાક્ષરો આનંદશંકરભાઈ, નરસિંહરાવ, રમણભાઈ વગેરે કવિવરની બાજુમાં બેઠા હતા.
3 જી એપ્રિલ ભોળાનાથ સારાભાઈ લેડિઝ ઇન્સ્ટિટ્યૂટમાં ભરાયેલું સાહિત્ય અને કળાનું પ્રદર્શન મુંબઈના ‘કલા રસિક અને કલા સંગ્રાહક’ શેઠ પુરુષોત્તમ વિશ્રામજી માવજીના હાથે ખુલ્લું મુકાયું.<ref></ref> આ દિવસે સાંજે લાલ દરવાજા મેદાન ઉપર કવિનું જાહેર વ્યાખ્યાન હતું; "ટાગોરે ‘વસંતના વધામણાં’ એ વિષય પર કવિત્વમય વ્યાખ્યાન કર્યું. તે પૂરું થયું કે લોકોમાંથી માંગણી આવી કે ‘એનું ગુજરાતી કહો.’ આપણા શ્રેષ્ઠ સાક્ષરો આનંદશંકરભાઈ, નરસિંહરાવ, રમણભાઈ વગેરે કવિવરની બાજુમાં બેઠા હતા.
આનંદશંકરભાઈ અને સૌને તે Untranslatable લાગ્યું. નરસિંહરાવે તો ઊભા રહીને કહી દીધું કે ‘‘It is impossible’’. (એ અશક્ય છે.) એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. પરિસ્થિતિ સમજીને તેમણે તરત કવિનું ટાઇપ કરેલું ભાષણ હાથમાં લઈ તેના પર નજર નાંખી લીધી અને પછી શરૂ કર્યું. ‘કવિ કહે છે, વસંત આવી છે.’ એમ કહીને સાદી ભાષામાં આખું ભાષણ લોકોને સમજાવ્યું. એમાં સાક્ષરોને કવિની શૈલી બરાબર ન ઊતરી તેથી રસક્ષતિ લાગી, પણ કવિવરના વિચારો તો ઘણાંને પહોંચ્યા.’’73
આનંદશંકરભાઈ અને સૌને તે Untranslatable લાગ્યું. નરસિંહરાવે તો ઊભા રહીને કહી દીધું કે ‘‘It is impossible’’. (એ અશક્ય છે.) એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. પરિસ્થિતિ સમજીને તેમણે તરત કવિનું ટાઇપ કરેલું ભાષણ હાથમાં લઈ તેના પર નજર નાંખી લીધી અને પછી શરૂ કર્યું. ‘કવિ કહે છે, વસંત આવી છે.’ એમ કહીને સાદી ભાષામાં આખું ભાષણ લોકોને સમજાવ્યું. એમાં સાક્ષરોને કવિની શૈલી બરાબર ન ઊતરી તેથી રસક્ષતિ લાગી, પણ કવિવરના વિચારો તો ઘણાંને પહોંચ્યા.’’<ref>એજન, P. 290 ‘વસંતના વધામણા’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-4. શૈલેષ પારેખ નોંધે છે કે તે જ દિવસે સાંજે રવીન્દ્રનાથે, તેઓ 42 વર્ષ પહેલાં જ્યાં રહ્યા હતા તે શાહજહાંના મહેલની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે ક્ષિતિમોહન સેન, સંતોષચંદ્ર, કરુણાશંકર ભટ્ટ ઇત્યાદિ હતા. 17 વર્ષની વયે, તેમના મોટા ભાઈ, સત્યેન્દ્રનાથના ગ્રંથાગારમાંથી મળેલા અમરુશતક અને ગીતગોવિંદ, અરધું-પરધું સમજીને માત્ર ધ્વનિ-લાલિત્યના આકર્ષણથી વાંચ્યાં હતાં –તેની સ્મૃતિને ઢંઢોળીને જાગ્રત કરી. કરુણાશંકરના કહેવાથી રવીન્દ્રનાથે અમરુશતકની બે-એક શ્લોકની પંક્તિનું સ્મરણ કર્યું હતું અને તેની પાદપૂર્તિ કરી હતી ક્ષિતિમોહન અને કરુણાશંકરે. ત્યારે એ શ્લોકના છંદ સંવાદ અંગે રવીન્દ્રનાથે અદભુત આલોચના કરી હતી. અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 48</ref>
પરિષદના અંતિમ દિવસે 4 એપ્રિલના રોજ સાંજે કવિશ્રીના ‘મુક્ત મિલન’ માટે વિક્ટોરિયા ગાર્ડનમાં ઉદ્યાન-સમારંભ રાખ્યો હતો. રવિશંકર રાવળ સ્મરે છે; ‘‘એમાં હજારો આમંત્રિતો માટે ટેબલ પર ખાદ્ય પદાર્થો ગોઠવાયા હતા. ત્યાં બેઠા બેઠા સૌ સાબરમતીના દીર્ઘ પર જોઈ શકે એવી એની રસિકતાભરી જે ગોઠવણ હતી તેમાં ડૉ. હરિપ્રસાદનો જ આગ્રહ હતો. તે સાથે બીજી જે સુંદર વાનગી તેમણે રજૂ કરી હતી તે શહેરના ભજનિકોની નાની મંડળીઓને તેમના તંબુરા, કાંતિયા, પખવાજ, મંજીરાં વગેરે સાથે એકઠી કરી ભજન ગાતી ઠેરઠેર ગોઠવી હતી. એવામાં ટાગોર અને ગાંધીજી, શ્રીમતી સરલાદેવી સારાભાઈ જોડે બાગને દરવાજેથી પ્રવેશ્યાં અને આ ભજનિકોને જોઈ ટાગોર ઊભા જ રહી ગયા, અને ધ્યાનપૂર્વક સાંભળીને બોલ્યા કે આપણાં લોકજીવનમાં આધ્યાત્મિક ભાવના આ લોકો જ સજીવન રાખે છે, તેમને સાચવજો... વળી શારદાબહેન સુમંત મહેતાની હિમાયતથી ત્યાં ગરબા પણ રાખેલા. કવિએ જોઈ સાંભળીને કહેલું કે ‘અમારી બંગાળી કન્યાઓને આ ગરબા શીખવવા માટે તમારી સારી ગરબા ગાનારી કન્યાઓને શાંતિનિકેતન મોકલો. તેમને હું મારી પુત્રીઓની જેમ સાચવીશ.’ આવા રસિક પ્રસંગોથી કવિને ખૂબ આનંદ થયો, પણ સૌ મિજબાની ટેબલ પર પહોંચે તે પહેલાં તો તરુણો-કૉલેજિયનોનાં ધાડાએ દોટ મૂકીને આગળ પહોંચી ઘણી રકાબીઓ સાફ કરી નાખી હતી. સદભાગ્યે મુખ્ય મહેમાનો માટે એક જુદું જ મેજ ગોઠવી રાખ્યું હતું.’’74
પરિષદના અંતિમ દિવસે 4 એપ્રિલના રોજ સાંજે કવિશ્રીના ‘મુક્ત મિલન’ માટે વિક્ટોરિયા ગાર્ડનમાં ઉદ્યાન-સમારંભ રાખ્યો હતો. રવિશંકર રાવળ સ્મરે છે; ‘‘એમાં હજારો આમંત્રિતો માટે ટેબલ પર ખાદ્ય પદાર્થો ગોઠવાયા હતા. ત્યાં બેઠા બેઠા સૌ સાબરમતીના દીર્ઘ પર જોઈ શકે એવી એની રસિકતાભરી જે ગોઠવણ હતી તેમાં ડૉ. હરિપ્રસાદનો જ આગ્રહ હતો. તે સાથે બીજી જે સુંદર વાનગી તેમણે રજૂ કરી હતી તે શહેરના ભજનિકોની નાની મંડળીઓને તેમના તંબુરા, કાંતિયા, પખવાજ, મંજીરાં વગેરે સાથે એકઠી કરી ભજન ગાતી ઠેરઠેર ગોઠવી હતી. એવામાં ટાગોર અને ગાંધીજી, શ્રીમતી સરલાદેવી સારાભાઈ જોડે બાગને દરવાજેથી પ્રવેશ્યાં અને ભજનિકોને જોઈ ટાગોર ઊભા જ રહી ગયા, અને ધ્યાનપૂર્વક સાંભળીને બોલ્યા કે આપણાં લોકજીવનમાં આધ્યાત્મિક ભાવના આ લોકો જ સજીવન રાખે છે, તેમને સાચવજો... વળી શારદાબહેન સુમંત મહેતાની હિમાયતથી ત્યાં ગરબા પણ રાખેલા. કવિએ જોઈ સાંભળીને કહેલું કે ‘અમારી બંગાળી કન્યાઓને આ ગરબા શીખવવા માટે તમારી સારી ગરબા ગાનારી કન્યાઓને શાંતિનિકેતન મોકલો. તેમને હું મારી પુત્રીઓની જેમ સાચવીશ.’ આવા રસિક પ્રસંગોથી કવિને ખૂબ આનંદ થયો, પણ સૌ મિજબાની ટેબલ પર પહોંચે તે પહેલાં તો તરુણો-કૉલેજિયનોનાં ધાડાએ દોટ મૂકીને આગળ પહોંચી ઘણી રકાબીઓ સાફ કરી નાખી હતી. સદભાગ્યે મુખ્ય મહેમાનો માટે એક જુદું જ મેજ ગોઠવી રાખ્યું હતું.’’<ref>ગુજરાતમાં કલાના પગરણ, P. 291</ref>
સમયગાળા દરમિયાન નવજીવનમાં શાંતિનિકેતન કાજે ફાળો કરવાની ‘અપીલ’ આવતી રહી. 4 એપ્રિલના સાંજનાં નોંધ આવી : ‘‘આ મહાકવિની ગુજરાતમાં પધરામણી થઈ છે એ જેવી તેવી વાત નથી. કવિત્વમાં તેમની જોડી હિંદુસ્તાનમાં તો નથી જ પણ યુરોપ, અમેરિક્માં એ ભાગ્યે જ હશે. તેમને સારામાં સારું માન આપવાનો રસ્તો તેમના કાર્યમાં મદદ કરવી એ જ હોઈ શકે. તેમનું સ્થાયી કાર્ય શાંતિનિકેતન છે એમ તેમની માન્યતા છે. હાલ કેટલોક કાળ થયો તેઓ શાંતિનિકેતનને પોતાનો મુખ્ય વખત આપ્યા કરે છે. તેને લગતી શાળામાં ખર્ચ દર વરસે વધતું જાય છે. તે ખર્ચ તેઓ ફીમાંથી અને લોકો તરફથી ભેટો મળે છે તેમાંથી ચલાવે છે. આ કાર્યમાં દરેક માણસ મદદ કરી શકે છે. તેથી અમારી ઉમેદ છે કે જ્યાં જ્યાં તેઓશ્રી ગુજરાતમાં જાય ત્યાં ત્યાં તેમને શાંતિનિકેતનને સારુ ભેટ આપવામાં આવે તે યોગ્ય ગણાશે.’’75
આ સમયગાળા દરમિયાન નવજીવનમાં શાંતિનિકેતન કાજે ફાળો કરવાની ‘અપીલ’ આવતી રહી. 4 એપ્રિલના સાંજનાં નોંધ આવી : ‘‘આ મહાકવિની ગુજરાતમાં પધરામણી થઈ છે એ જેવી તેવી વાત નથી. કવિત્વમાં તેમની જોડી હિંદુસ્તાનમાં તો નથી જ પણ યુરોપ, અમેરિક્માં ભાગ્યે જ હશે. તેમને સારામાં સારું માન આપવાનો રસ્તો તેમના કાર્યમાં મદદ કરવી એ હોઈ શકે. તેમનું સ્થાયી કાર્ય શાંતિનિકેતન છે એમ તેમની માન્યતા છે. હાલ કેટલોક કાળ થયો તેઓ શાંતિનિકેતનને પોતાનો મુખ્ય વખત આપ્યા કરે છે. તેને લગતી શાળામાં ખર્ચ દર વરસે વધતું જાય છે. તે ખર્ચ તેઓ ફીમાંથી અને લોકો તરફથી ભેટો મળે છે તેમાંથી ચલાવે છે. આ કાર્યમાં દરેક માણસ મદદ કરી શકે છે. તેથી અમારી ઉમેદ છે કે જ્યાં જ્યાં તેઓશ્રી ગુજરાતમાં જાય ત્યાં ત્યાં તેમને શાંતિનિકેતનને સારુ ભેટ આપવામાં આવે તે યોગ્ય ગણાશે.’’<ref>‘નવજીવન’, 4 એપ્રિલ, 1920, P. 462</ref>
કવિના સત્કારથી અને સાહિત્ય પરિષદના વિચારસત્રોની ગુણવત્તાથી ગાંધીજીને સંતોષ થયો નહિ. 11 એપ્રિલના ‘નવજીવન’માં નોંધાયું; ‘‘આપણા દેશના અને સારી દુનિયાના શ્રેષ્ઠ કવિવરના પુનિત પગલાંથી આ રાજનગર ગયા અઠવાડિયામાં પાવન થયું. તેમની મહત્તાને અનુરૂપ કંઈ સન્માન પ્રજા કે પરિષદ તરફથી થઈ શક્યું નહિ, અથવા ખરું કહીએ તો તેમના જેવા પ્રતિભાશાળી મહાપુરુષને કેવી રીતે માન આપવું આપણને સમજાયું નહિ.’’76
કવિના સત્કારથી અને સાહિત્ય પરિષદના વિચારસત્રોની ગુણવત્તાથી ગાંધીજીને સંતોષ થયો નહિ. 11 એપ્રિલના ‘નવજીવન’માં નોંધાયું; ‘‘આપણા દેશના અને સારી દુનિયાના શ્રેષ્ઠ કવિવરના પુનિત પગલાંથી આ રાજનગર ગયા અઠવાડિયામાં પાવન થયું. તેમની મહત્તાને અનુરૂપ કંઈ સન્માન પ્રજા કે પરિષદ તરફથી થઈ શક્યું નહિ, અથવા ખરું કહીએ તો તેમના જેવા પ્રતિભાશાળી મહાપુરુષને કેવી રીતે માન આપવું એ આપણને સમજાયું નહિ.’’<ref>‘નવજીવન’, 11 એપ્રિલ 1920, P. 466</ref>
અંકમાં સાહિત્ય પરિષદનો હેવાલ છપાયો જેમાં પ્રમુખીય ભાષણોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી. ‘‘પ્રો. ઠાકોર સિવાયના બીજા પ્રમુખોએ કાં તો સાહિત્ય મંદિરના માર્ગે કે આંગણે રમત કરી છે, અથવા તો તેની ઈંટો અને ચૂનો અને પાલકોનું વિવરણ કર્યું છે. પણ તેમણે મંદિરના રસદેવતાનું પૂજન કર્યું નથી કે તેના ઘૂમટે ઘૂમટે અને ગોખે ગોખે પ્રસરેલા પરિમલથી આપણને મોહિત કર્યા નથી.’’77
આ જ અંકમાં સાહિત્ય પરિષદનો હેવાલ છપાયો જેમાં પ્રમુખીય ભાષણોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી. ‘‘પ્રો. ઠાકોર સિવાયના બીજા પ્રમુખોએ કાં તો સાહિત્ય મંદિરના માર્ગે કે આંગણે રમત કરી છે, અથવા તો તેની ઈંટો અને ચૂનો અને પાલકોનું વિવરણ કર્યું છે. પણ તેમણે મંદિરના રસદેવતાનું પૂજન કર્યું નથી કે તેના ઘૂમટે ઘૂમટે અને ગોખે ગોખે પ્રસરેલા પરિમલથી આપણને મોહિત કર્યા નથી.’’<ref>એજન, P. 468 કાકાસાહેબ કાલેલકરે જુદા લેખમાં કલા-પ્રદર્શનનો હેવાલ આપ્યો : ‘‘પરદેશી રિવાજો અને પરદેશી કળાનું અનુકરણ કરવાથી આપણી સંસ્કૃતિના આદર્શોને કેટલો ધોકો પહોંચે છે અને સમાજમાંથી દહાડે દહાડે ખાનદાનીનો કેવો નાશ થાય છે એટલું જો આપણાં સુશિક્ષિત સ્ત્રીપુરુષોને સમજાયું હોત તો પ્રદર્શનમાં સુશિક્ષિત સ્ત્રીઓએ મોકલેલાં ચિત્ર-વિચિત્ર કપડાં પ્રદર્શનની શોભાને વણસાવત નહીં. એજન, P. 470</ref>
11 જુલાઈ, 1920ના ‘નવજીવન’માં ફરી એક વાર ગાંધીજીએ શાંતિનિકેતન પ્રત્યે ગુજરાતની ફરજમાં રહેલી ઊણપ દર્શાવી, પ્રજાને ફાળો એકઠો કરવા અરજ કરી. ‘‘મને લાગે છે કે ગુજરાતે પોતાની ફરજ કવિના આગમન સમયે પૂરી નથી બજાવી. અવાજો વડે અને ફૂલના હારો વડે આવકાર આપવો એ વિવેક છે, એ ફરજ બજાવવાની શરૂઆત છે, તેની પૂર્ણતા નથી. જો આપણે કવિશ્રીને અલૌકિક પુરુષ રૂપે ઓળખતા હોઈએ, ને આપણે એમની વિદ્વત્તાની કદર કરવા માગતા હોઈએ તો તેમના કાર્યમાં તેમને સહાય કરવી એ આપણો ધર્મ છે... જો આપણે કવિશ્રીના ઉદ્દેશને માન આપતા હોઈએ, રાષ્ટ્રીય કેળવણી રાષ્ટ્રીય હાથમાં રાખવાનો અખતરો આપણને પસંદ હોય, કવિશ્રીની કળા આપણાં બાળકોમાં પણ કંઈક અંશે ઊતરે એમ આપણે ઇચ્છતા હોઈએ તો આપણે તે સંસ્થાને નિભાવવી જોઈએ... કવિશ્રીની પૂજા કરવી ને તેમની સંસ્થાને મદદ ન કરવી એ વિરોધી વાત થઈ... તેમનો કાઠિયાવાડનો પ્રવાસ નિરર્થક ગયો એમ કહી શકાય. ભાવનગરે કંઈ જ ન કર્યું એમ ગણાય. વડોદરામાં પણ એમ જ થયું. અમદાવાદે તેના ગજાના પ્રમાણમાં થોડું જ કર્યું કહેવાય. મારી ઉમેદ છે કે ખામીને આપણે હજુ સુધારી લઈ આપણા સત્કારની પૂરણી કરીશું.’’78
11 જુલાઈ, 1920ના ‘નવજીવન’માં ફરી એક વાર ગાંધીજીએ શાંતિનિકેતન પ્રત્યે ગુજરાતની ફરજમાં રહેલી ઊણપ દર્શાવી, પ્રજાને ફાળો એકઠો કરવા અરજ કરી. ‘‘મને લાગે છે કે ગુજરાતે પોતાની ફરજ કવિના આગમન સમયે પૂરી નથી બજાવી. અવાજો વડે અને ફૂલના હારો વડે આવકાર આપવો વિવેક છે, એ ફરજ બજાવવાની શરૂઆત છે, તેની પૂર્ણતા નથી. જો આપણે કવિશ્રીને અલૌકિક પુરુષ રૂપે ઓળખતા હોઈએ, ને આપણે એમની વિદ્વત્તાની કદર કરવા માગતા હોઈએ તો તેમના કાર્યમાં તેમને સહાય કરવી એ આપણો ધર્મ છે... જો આપણે કવિશ્રીના ઉદ્દેશને માન આપતા હોઈએ, રાષ્ટ્રીય કેળવણી રાષ્ટ્રીય હાથમાં રાખવાનો અખતરો આપણને પસંદ હોય, કવિશ્રીની કળા આપણાં બાળકોમાં પણ કંઈક અંશે ઊતરે એમ આપણે ઇચ્છતા હોઈએ તો આપણે તે સંસ્થાને નિભાવવી જોઈએ... કવિશ્રીની પૂજા કરવી ને તેમની સંસ્થાને મદદ કરવી એ વિરોધી વાત થઈ... તેમનો કાઠિયાવાડનો પ્રવાસ નિરર્થક ગયો એમ કહી શકાય. ભાવનગરે કંઈ જ ન કર્યું એમ ગણાય. વડોદરામાં પણ એમ જ થયું. અમદાવાદે તેના ગજાના પ્રમાણમાં થોડું જ કર્યું કહેવાય. મારી ઉમેદ છે કે આ ખામીને આપણે હજુ સુધારી લઈ આપણા સત્કારની પૂરણી કરીશું.’’<ref>અ. દે. Vol. 18, P. 31</ref>
ગાંધીજીની આ ટહેલ અને ટીકાની તીખી પ્રતિક્રિયા પણ આવી. 18 જુલાઈ, 1920ના નવજીવનમાં કંચનલાલ મ. ખાંડવાલાએ ચર્ચાપત્ર લખ્યું. ‘‘આપ લખો છો કે ગુજરાતે પોતાની ફરજ કવિશ્રીના આગમન સમયે પૂરી બજાવી નથી, વાંચી ખરેખર મ્હને તથા મ્હરા કેટલાક મિત્રોને ઘણું જ આશ્ચર્ય થયું છે. કવિશ્રીની વિદ્વત્તાની કદર ગુજરાત કેટલા પૈસા આપે તો થઈ કહેવાય એવું માપ કાઢવું અશક્ય છે; પરંતુ એ પ્રશ્ન બાજુએ મૂકતા એક બીજો પ્રશ્ન માત્ર છે કે જે આજે અનેક દિશામાં ચર્ચાયોગ્ય છે, તે એ છે કે બંગાળપ્રાંતની સંસ્થાઓને બંગાળ પોતે કેમ નથી પોષતું અને તેને પૈસાની મદદ માટે બહાર કેમ કરુણાજનક વિનંતીઓ કરવી પડે છે ! બંગાળમાં મ્હોટા મ્હોટા જમીનદારો છે, બંગાળમાં બીજા પણ લક્ષાધિપતિઓ પડેલા છે, છતાં બંગાળ આમ પોતાના ઉત્તમમાં ઉત્તમ પુરુષોને તેઓની સંસ્થા ચલાવવામાં મદદ કેમ નથી કરતું ? વળી ખાસ વિચિત્રતા તો એ છે કે બંગાળને બીજા પ્રાંતો જ્યારે ત્યારે મદદ કરે છે, પણ બંગાળ બીજા પ્રાંતોના દુ:ખની વહારે ક્વચિત જ થાય છે. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે પાંચ-સાત લાખ રૂપિયા આખા દેશમાંથી ભેગા કરવામાં આવ્યા હતા તેમાંથી બંગાળે પૂરા દસ હજાર પણ આપ્યા નહોતા. જલિયાનવાળા બાગના ફંડમાં બંગાળે પૂરા વીસ હજાર રૂપિયા પણ નથી આપ્યા. જ્યારે ગુજરાત અને ગુજરાતીઓએ લગભગ ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. ઓરિસા દુકાળ ફંડને માટે ગુજરાતે જેટલું કર્યું છે, તેટલું બીજા કોઈ પ્રાંતે કર્યું નથી; પરંતુ બંગાળ જો પોતાનાં દુ:ખો વખતે બહાર મદદ માગે છે, તો શા માટે બંગાળે બીજાનાં દુ:ખો વખતે થોડી પણ સહાય આપવા તત્પર ન થવું જોઈએ ? બાંકુરામાં દુકાળ પડ્યો ત્યારે પણ ગુજરાતે હજારો રૂપિયા આપ્યા હતા. સર જગદીશચંદ્ર બોઝને પણ ગુજરાતીઓએ જ લાખો રૂપિયા આપ્યા છે. ટાગોરને પણ ગુજરાતે બનતી સહાય કરી છે. ગુજરાતે પોતાની ફરજ પૂર્ણપણે નથી બજાવી એ કહેવું વધારે પડતું છે; એ તદ્દન વ્યર્થ છે. બંગાળે ગયે વર્ષે ગુજરાતમાં દુકાળ હતો ત્યારે ગુજરાતને કેટલી મદદ કરી ? ગુજરાતની કઈ સંસ્થાઓને થોડે ઘણે અંશે પણ તેણે પોષી છે ? આપનો આશ્રમ કે જે રાષ્ટ્રીય શિક્ષણની દિશામાં પ્રયત્નો કરે છે, તેને બંગાળ તરફથી કેટલી મદદ મળી છે ? બંગાળની સહાય માટેની બૂમ નકામી છે. જો બંગાળ બીજા પ્રાંતોને મદદ કરતું હોય, તો તેને બીજા પ્રાંતો પાસે મદદ માંગવાનો હક છે, જો તે તેમ ન કરી શકે, તો તેને મદદ માગવાનો બિલકુલ હક નથી. બંગાળીઓને આ સત્ય જાણવાની બહુ જરૂર છે. બાકી ગુજરાતે પોતાની શક્તિ અનુસાર, ન્યાત જાત, ધર્મ કે પ્રાંતના તફાવત વગર મદદ આપી છે અને આપશે. ગુજરાતને વ્યર્થ ટોણા મારવાથી કંઈ મદદ મેળવી શકાય નહિ.’’79 ગાધીજીએ આ ટીકા ‘ખુશી થઈને’ છાપી. "બંગાળને આપણે તેની ફરજ કેમ બતાવી શકીએ ? કાળે કરીને પોતાની ફરજ ઓળખશે... બંગાળે પૈસો નથી આપ્યો તો વિદ્વત્તાનું દાન કર્યું છે. ગુજરાતે કર્યું છે તે નવાઈની વાત નથી લાગતી. ગુજરાતની પાસે ઘણું છે, તેને આપતાં આવડ્યું છે ને તે આપે છે. બંગાળને આપતાં નથી આવડતું તેથી એ નથી આપતું. કવિશ્રીને જેથી મદદની જરૂર પડે છે તેનો અર્થ એ જ કે તેમની પિછાન બંગાળે પૂરી નથી કરી. તો આપણે નહીં કરીએ ?’’80
ગાંધીજીની આ ટહેલ અને ટીકાની તીખી પ્રતિક્રિયા પણ આવી. 18 જુલાઈ, 1920ના નવજીવનમાં કંચનલાલ મ. ખાંડવાલાએ ચર્ચાપત્ર લખ્યું. ‘‘આપ લખો છો કે ગુજરાતે પોતાની ફરજ કવિશ્રીના આગમન સમયે પૂરી બજાવી નથી, એ વાંચી ખરેખર મ્હને તથા મ્હરા કેટલાક મિત્રોને ઘણું જ આશ્ચર્ય થયું છે. કવિશ્રીની વિદ્વત્તાની કદર ગુજરાત કેટલા પૈસા આપે તો થઈ કહેવાય એવું માપ કાઢવું અશક્ય છે; પરંતુ એ પ્રશ્ન બાજુએ મૂકતા એક બીજો પ્રશ્ન માત્ર છે કે જે આજે અનેક દિશામાં ચર્ચાયોગ્ય છે, તે એ છે કે બંગાળપ્રાંતની સંસ્થાઓને બંગાળ પોતે કેમ નથી પોષતું અને તેને પૈસાની મદદ માટે બહાર કેમ કરુણાજનક વિનંતીઓ કરવી પડે છે ! બંગાળમાં મ્હોટા મ્હોટા જમીનદારો છે, બંગાળમાં બીજા પણ લક્ષાધિપતિઓ પડેલા છે, છતાં બંગાળ આમ પોતાના ઉત્તમમાં ઉત્તમ પુરુષોને તેઓની સંસ્થા ચલાવવામાં મદદ કેમ નથી કરતું ? વળી ખાસ વિચિત્રતા તો એ છે કે બંગાળને બીજા પ્રાંતો જ્યારે ત્યારે મદદ કરે છે, પણ બંગાળ બીજા પ્રાંતોના દુ:ખની વહારે ક્વચિત જ થાય છે. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે પાંચ-સાત લાખ રૂપિયા આખા દેશમાંથી ભેગા કરવામાં આવ્યા હતા તેમાંથી બંગાળે પૂરા દસ હજાર પણ આપ્યા નહોતા. જલિયાનવાળા બાગના ફંડમાં બંગાળે પૂરા વીસ હજાર રૂપિયા પણ નથી આપ્યા. જ્યારે ગુજરાત અને ગુજરાતીઓએ લગભગ ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. ઓરિસા દુકાળ ફંડને માટે ગુજરાતે જેટલું કર્યું છે, તેટલું બીજા કોઈ પ્રાંતે કર્યું નથી; પરંતુ બંગાળ જો પોતાનાં દુ:ખો વખતે બહાર મદદ માગે છે, તો શા માટે બંગાળે બીજાનાં દુ:ખો વખતે થોડી પણ સહાય આપવા તત્પર ન થવું જોઈએ ? બાંકુરામાં દુકાળ પડ્યો ત્યારે પણ ગુજરાતે હજારો રૂપિયા આપ્યા હતા. સર જગદીશચંદ્ર બોઝને પણ ગુજરાતીઓએ લાખો રૂપિયા આપ્યા છે. ટાગોરને પણ ગુજરાતે બનતી સહાય કરી છે. ગુજરાતે પોતાની ફરજ પૂર્ણપણે નથી બજાવી એ કહેવું વધારે પડતું છે; એ તદ્દન વ્યર્થ છે. બંગાળે ગયે વર્ષે ગુજરાતમાં દુકાળ હતો ત્યારે ગુજરાતને કેટલી મદદ કરી ? ગુજરાતની કઈ સંસ્થાઓને થોડે ઘણે અંશે પણ તેણે પોષી છે ? આપનો આશ્રમ કે જે રાષ્ટ્રીય શિક્ષણની દિશામાં પ્રયત્નો કરે છે, તેને બંગાળ તરફથી કેટલી મદદ મળી છે ? બંગાળની સહાય માટેની બૂમ નકામી છે. જો બંગાળ બીજા પ્રાંતોને મદદ કરતું હોય, તો તેને બીજા પ્રાંતો પાસે મદદ માંગવાનો હક છે, જો તે તેમ ન કરી શકે, તો તેને મદદ માગવાનો બિલકુલ હક નથી. બંગાળીઓને આ સત્ય જાણવાની બહુ જ જરૂર છે. બાકી ગુજરાતે પોતાની શક્તિ અનુસાર, ન્યાત જાત, ધર્મ કે પ્રાંતના તફાવત વગર મદદ આપી છે અને આપશે. ગુજરાતને વ્યર્થ ટોણા મારવાથી કંઈ મદદ મેળવી શકાય નહિ.’’<ref>‘નવજીવન’, 18 જુલાઈ 1920, P. 592</ref> ગાધીજીએ આ ટીકા ‘ખુશી થઈને’ છાપી. "બંગાળને આપણે તેની ફરજ કેમ બતાવી શકીએ ? કાળે કરીને પોતાની ફરજ ઓળખશે... બંગાળે પૈસો નથી આપ્યો તો વિદ્વત્તાનું દાન કર્યું છે. ગુજરાતે કર્યું છે તે નવાઈની વાત નથી લાગતી. ગુજરાતની પાસે ઘણું છે, તેને આપતાં આવડ્યું છે ને તે આપે છે. બંગાળને આપતાં નથી આવડતું તેથી એ નથી આપતું. કવિશ્રીને જેથી મદદની જરૂર પડે છે તેનો અર્થ એ જ કે તેમની પિછાન બંગાળે પૂરી નથી કરી. તો આપણે નહીં કરીએ ?’’<ref>અ. દે. Vol. 18, P. 56</ref>
શાંતિનિકેતનમાં એક સપ્તાહ  
શાંતિનિકેતનમાં એક સપ્તાહ  
ગાંધીજી 7 સપ્ટેમ્બર, 1920ના રોજ કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા અને બંગાળના પ્રવાસે ગયા. 8 સપ્ટેમ્બરે, કૉંગ્રેસે ‘અસહકાર’નો ઠરાવ બહુમતીથી પસાર કર્યો. તે જ દિવસે ઝીણાના પ્રમુખપદે લીગની બેઠક કૉલકાતામાં મળી, જેમાં પણ ગાંધીજીએ હાજરી આપી. આ પ્રવાસ દરમિયાન ગાંધીજીની તબિયત કથળી. તેઓ આરામ માટે દાર્જીલિંગ જવાના વિચારમાં હતા. ત્યાં પ્રેમાળ મિ. ઍન્ડ્રૂઝનો તાર આવ્યો : ‘‘શાંતિનિકેતનમાં તમને જેવી શાંતિ અને આરામ મળશે તેવાં કોઈ દાર્જીલિંગ નહીં આપી શકે; અહીં જ આવો.’’81 11મી સપ્ટેમ્બરના રોજ ગાંધીજી, કસ્તૂરબા, દેવદાસ ગાંધી, જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ અને અન્યોની સાથે ઍન્ડ્રૂઝના આમંત્રણ અને આગ્રહથી શાંતિનિકેતન જવા નીકળ્યા. તારીખ 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર ત્યાં રહ્યા. આ સમયે કવિ યુરોપના પ્રવાસે હતા. તેઓ 1920ના જૂનમાં વિલાયત ગયા અને યુરોપ તથા અમેરિકનો લાંબો પ્રવાસ કરી 1921ના જૂનમાં  હિંદ પરત આવ્યા. આથી ગાંધીજી અને કવિની મુલાકાત ન થઈ. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈએ આપ્યું છે. ‘‘આ રમ્ય વાતાવરણમાં વૃક્ષો તળે બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને અભ્યાસ સિવાયના સમયમાં રવિબાબુનાં ગીતો લલકારતા ફરે છે. હું એટલે સુધી તો ન જ કહું કે ત્યાંનું જીવન સંગીતમય છે, પણ એટલું તો કહું કે કોઈ પણ ઘડીક માટે ત્યાં જનારને લાગ્યા વિના ન રહે કે સંગીત એ જ જાણે તેમનું જીવન છે.’’82 ગાંધીજીને કવિના ઘરમાં રાખ્યા હતા જ્યાં અપાર શાંતિ હતી. ‘‘અને રહ્યા તે દરમિયાન વરસાદ આખો દિવસ પડતો હતો એટલે ગાંધીજીને જે સૂકી હવા જોઈતી હતી તે તો ન મળી, પણ શાંતિ અને આરામથી જે લાભ થાય તેટલો તો થયો જ.’’83 પણ આ શાંતિ કરતાં મોટી શાંતિ દેનારો તો ત્યાંનો સત્સમાગમ હતો. મોહનમૂર્તિ ઍન્ડ્રૂઝ અને ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ઠાકુરે પ્રેમમાં નવરાવ્યા. મહાદેવભાઈ નોંધે છે કે ‘બડોદાદા’ એ ‘અસહકાર’ને અગ્રગણ્ય સ્થાન આપ્યું. ‘‘એ ઓ અસહકાર ઉપર આશક છે એ તો તેઓ ગાંધીજીને મળવા આવ્યા ત્યારે જ જોયું. બહુ ઉમંગથી વાતો કરતા એમણે કહ્યું, ‘જે વસ્તુ મારો રોબી-રવીન્દ્રબાબુ લેખો દ્વારા, કાવ્યો દ્વારા, પત્રો દ્વારા ઉપદેશ અને પ્રચાર કરી રહ્યો છે તેને તમે આચરી રહ્યા છો – અને દેશની સમક્ષ આચારને માટે મૂકી રહ્યા છો. એથી મારા હર્ષની સીમા નથી રહેતી. તમે દેશની આગળ જે એક સિદ્ધાંત મૂકવા જેવો છે તે મૂક્યો છે. અસહકાર વિના આપણી આ રાજ્યકર્તાઓ પ્રત્યે બીજી કોઈ વૃત્તિ હોઈ શકે જ નહીં. સહકાર સરખેસરખા વચ્ચે હોય, ગુલામ અને ગુલામના માલેક વચ્ચે ના હોઈ શકે. અંગ્રેજો આપણને બરોબરિયા માનતા નથી; તેમની સાથે બરોબરિયાપણું આપણે ન અનુભવીએ ત્યાં સુધી સહકારની વાત મારે મન ભ્રમણા છે. અને આ વિષમતા જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી સહકારમાં હું આપણો નાશ જ જોઉં છું. પૃથ્વી બિચારી સૂર્ય સાથે સહકાર કરવા જાય તો ભસ્મ ન થઈ જાય ?’’84
ગાંધીજી 7 સપ્ટેમ્બર, 1920ના રોજ કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા અને બંગાળના પ્રવાસે ગયા. 8 સપ્ટેમ્બરે, કૉંગ્રેસે ‘અસહકાર’નો ઠરાવ બહુમતીથી પસાર કર્યો. તે જ દિવસે ઝીણાના પ્રમુખપદે લીગની બેઠક કૉલકાતામાં મળી, જેમાં પણ ગાંધીજીએ હાજરી આપી. આ પ્રવાસ દરમિયાન ગાંધીજીની તબિયત કથળી. તેઓ આરામ માટે દાર્જીલિંગ જવાના વિચારમાં હતા. ત્યાં પ્રેમાળ મિ. ઍન્ડ્રૂઝનો તાર આવ્યો : ‘‘શાંતિનિકેતનમાં તમને જેવી શાંતિ અને આરામ મળશે તેવાં કોઈ દાર્જીલિંગ નહીં આપી શકે; અહીં જ આવો.’’<ref>મહાદેવભાઈની ડાયરી’, Vol. 5, P. 241</ref> 11મી સપ્ટેમ્બરના રોજ ગાંધીજી, કસ્તૂરબા, દેવદાસ ગાંધી, જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ અને અન્યોની સાથે ઍન્ડ્રૂઝના આમંત્રણ અને આગ્રહથી શાંતિનિકેતન જવા નીકળ્યા. તારીખ 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર ત્યાં રહ્યા. આ સમયે કવિ યુરોપના પ્રવાસે હતા. તેઓ 1920ના જૂનમાં વિલાયત ગયા અને યુરોપ તથા અમેરિકનો લાંબો પ્રવાસ કરી 1921ના જૂનમાં  હિંદ પરત આવ્યા. આથી ગાંધીજી અને કવિની મુલાકાત ન થઈ. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈએ આપ્યું છે. ‘‘આ રમ્ય વાતાવરણમાં વૃક્ષો તળે બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને અભ્યાસ સિવાયના સમયમાં રવિબાબુનાં ગીતો લલકારતા ફરે છે. હું એટલે સુધી તો ન જ કહું કે ત્યાંનું જીવન સંગીતમય છે, પણ એટલું તો કહું કે કોઈ પણ ઘડીક માટે ત્યાં જનારને લાગ્યા વિના ન રહે કે સંગીત એ જ જાણે તેમનું જીવન છે.’’<ref>એજન, P. 242</ref> ગાંધીજીને કવિના ઘરમાં રાખ્યા હતા જ્યાં અપાર શાંતિ હતી. ‘‘અને રહ્યા તે દરમિયાન વરસાદ આખો દિવસ પડતો હતો એટલે ગાંધીજીને જે સૂકી હવા જોઈતી હતી તે તો ન મળી, પણ શાંતિ અને આરામથી જે લાભ થાય તેટલો તો થયો જ.’’<ref>એજન</ref> પણ આ શાંતિ કરતાં મોટી શાંતિ દેનારો તો ત્યાંનો સત્સમાગમ હતો. મોહનમૂર્તિ ઍન્ડ્રૂઝ અને ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ઠાકુરે પ્રેમમાં નવરાવ્યા. મહાદેવભાઈ નોંધે છે કે ‘બડોદાદા’ એ ‘અસહકાર’ને અગ્રગણ્ય સ્થાન આપ્યું. ‘‘એ ઓ અસહકાર ઉપર આશક છે એ તો તેઓ ગાંધીજીને મળવા આવ્યા ત્યારે જ જોયું. બહુ ઉમંગથી વાતો કરતા એમણે કહ્યું, ‘જે વસ્તુ મારો રોબી-રવીન્દ્રબાબુ લેખો દ્વારા, કાવ્યો દ્વારા, પત્રો દ્વારા ઉપદેશ અને પ્રચાર કરી રહ્યો છે તેને તમે આચરી રહ્યા છો – અને દેશની સમક્ષ આચારને માટે મૂકી રહ્યા છો. એથી મારા હર્ષની સીમા નથી રહેતી. તમે દેશની આગળ જે એક સિદ્ધાંત મૂકવા જેવો છે તે મૂક્યો છે. અસહકાર વિના આપણી આ રાજ્યકર્તાઓ પ્રત્યે બીજી કોઈ વૃત્તિ હોઈ શકે જ નહીં. સહકાર સરખેસરખા વચ્ચે હોય, ગુલામ અને ગુલામના માલેક વચ્ચે ના હોઈ શકે. અંગ્રેજો આપણને બરોબરિયા માનતા નથી; તેમની સાથે બરોબરિયાપણું આપણે ન અનુભવીએ ત્યાં સુધી સહકારની વાત મારે મન ભ્રમણા છે. અને આ વિષમતા જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી સહકારમાં હું આપણો નાશ જ જોઉં છું. પૃથ્વી બિચારી સૂર્ય સાથે સહકાર કરવા જાય તો ભસ્મ ન થઈ જાય ?’’<ref>એજન, PP. 242-243</ref>
આ અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓએ ‘વાલ્મીકિ-પ્રતિભા’ બે વખત ભજવી બતાવ્યું. ગાંધીજીને તો બધાય દિવસ શાંતિ જ આપી હતી. છેલ્લે દિવસે, 17 સપ્ટેમ્બર, 1920ના રોજ, તેઓ સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળ્યા અને બપોરે મહિલાઓ સાથે ખાસ મુલાકાત કરી. આ મુલાકાત ‘પ્રાર્થના મંદિર’માં થઈ જે સાદું આરસની પરસાળનું મકાન હતું. "એક નાના આસન ઉપર ગાંધીજી બિરાજ્યા હતા, સામે ગંધપુષ્પ રાખેલાં હતાં, અને સામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેળા બેઠા હતા અને એક બાજુએ બહેનો બેઠી હતી.’’85
આ અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓએ ‘વાલ્મીકિ-પ્રતિભા’ બે વખત ભજવી બતાવ્યું. ગાંધીજીને તો બધાય દિવસ શાંતિ જ આપી હતી. છેલ્લે દિવસે, 17 સપ્ટેમ્બર, 1920ના રોજ, તેઓ સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળ્યા અને બપોરે મહિલાઓ સાથે ખાસ મુલાકાત કરી. આ મુલાકાત ‘પ્રાર્થના મંદિર’માં થઈ જે સાદું આરસની પરસાળનું મકાન હતું. "એક નાના આસન ઉપર ગાંધીજી બિરાજ્યા હતા, સામે ગંધપુષ્પ રાખેલાં હતાં, અને સામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેળા બેઠા હતા અને એક બાજુએ બહેનો બેઠી હતી.’’<ref>એજન, P. 243</ref>
આ મેળાપનો આરંભ કવિના પ્રસિદ્ધ ગીતથી થયો :
આ મેળાપનો આરંભ કવિના પ્રસિદ્ધ ગીતથી થયો :
‘‘અંતર મમ વિકસિત કરો
‘‘અંતર મમ વિકસિત કરો
અંતરતર હે !
:: અંતરતર હે !
નિર્મળ કરો, ઉજ્જ્વળ કરો,
નિર્મળ કરો, ઉજ્જ્વળ કરો,
સુંદર કરો હે !’’
:: સુંદર કરો હે !’’
ગાંધીજી અંગ્રેજીમાં બોલ્યા : ‘‘તમારી સાથે થોડા દિવસના આનંદનો સહવાસ મળ્યો તે અવર્ણનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા અહીં આવેલો, અને તમને આનંદ થશે કે હું તદ્દન સાજો થઈને નહીં, તોપણ સારી રીતે સુધરીને તો અહીંથી જઈશ જ.
ગાંધીજી અંગ્રેજીમાં બોલ્યા : ‘‘તમારી સાથે થોડા દિવસના આનંદનો સહવાસ મળ્યો તે અવર્ણનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા અહીં આવેલો, અને તમને આનંદ થશે કે હું તદ્દન સાજો થઈને નહીં, તોપણ સારી રીતે સુધરીને તો અહીંથી જઈશ જ.
બંગાળીમાં તમારી સાથે હું વાત કરી ન શકું એ મને વસમું લાગે છે. મને લાગે છે કે કોઈ દિવસ તમારી સાથે બંગાળીમાં વાત કરવાની મારી આશા બરોબર ન હોય તોપણ મારી હિંદુસ્તાની તમો સમજી શકશો એવી મારી આશા તો અયોગ્ય નથી જ. હિંદુસ્તાની તમારી શાળામાં ફરજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લો ત્યાં સુધી તમારી કેળવણી સંપૂર્ણ નહીં કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતો કે તમારી શાળાને જ તે દહાડે અતિશય ઉદ્યમી મધમાખોથી ભરેલો રૂડો મધપૂડો થઈ રહેલી જોવાની હું આશા રાખું છું. આપણા હૃદયની સાથે આપણા હસ્તોનો સુંદર સહકાર નહીં જામે ત્યાં સુધી આપણું જીવન ખરું જીવન નહીં બને.’’86 પછી હિંદુ-મુસલમાન ઐક્યની, અસહકાર અને અહિંસાધર્મની વાત કહી.
બંગાળીમાં તમારી સાથે હું વાત કરી ન શકું એ મને વસમું લાગે છે. મને લાગે છે કે કોઈ દિવસ તમારી સાથે બંગાળીમાં વાત કરવાની મારી આશા બરોબર ન હોય તોપણ મારી હિંદુસ્તાની તમો સમજી શકશો એવી મારી આશા તો અયોગ્ય નથી જ. હિંદુસ્તાની તમારી શાળામાં ફરજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લો ત્યાં સુધી તમારી કેળવણી સંપૂર્ણ નહીં કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતો કે તમારી શાળાને જ તે દહાડે અતિશય ઉદ્યમી મધમાખોથી ભરેલો રૂડો મધપૂડો થઈ રહેલી જોવાની હું આશા રાખું છું. આપણા હૃદયની સાથે આપણા હસ્તોનો સુંદર સહકાર નહીં જામે ત્યાં સુધી આપણું જીવન ખરું જીવન નહીં બને.’’<ref>.અ. દે. Vol. 18, P. 245</ref> પછી હિંદુ-મુસલમાન ઐક્યની, અસહકાર અને અહિંસાધર્મની વાત કહી.
અંતે કહ્યું; ‘‘એ અનુભવોના પરિણામે જ આ ભયંકર છતાં ઉદાત્ત અને યશસ્વી યુદ્ધ મેં ઉઠાવ્યું છે અને તમોને બધાંને તેમાં શામિલ કરવા મથી રહ્યો છું. આ ધર્મમંદિરમાં હું તમારી પાસે એટલું જ માગું કે આત્મવિકાસના આ યુદ્ધમાં મને ઈશ્વર આરોગ્ય અને સન્મતિ આપે, દોષ અને કાયતાથી મને સદાય વેગળો રાખે એવી તમે પ્રાર્થના કરો.’’87
અંતે કહ્યું; ‘‘એ અનુભવોના પરિણામે જ આ ભયંકર છતાં ઉદાત્ત અને યશસ્વી યુદ્ધ મેં ઉઠાવ્યું છે અને તમોને બધાંને તેમાં શામિલ કરવા મથી રહ્યો છું. આ ધર્મમંદિરમાં હું તમારી પાસે એટલું જ માગું કે આત્મવિકાસના આ યુદ્ધમાં મને ઈશ્વર આરોગ્ય અને સન્મતિ આપે, દોષ અને કાયતાથી મને સદાય વેગળો રાખે એવી તમે પ્રાર્થના કરો.’’<ref>એજન, P. 247</ref>
ગાંધીજીના અંતિમ શબ્દોમાં કરેલી વિનંતીનો શાંતિનિકેતનવાસીઓએ કવિના ગીતથી અનુપમ ઔચિત્યવાળો ઉત્તર વાળ્યો :
ગાંધીજીના અંતિમ શબ્દોમાં કરેલી વિનંતીનો શાંતિનિકેતનવાસીઓએ કવિના ગીતથી અનુપમ ઔચિત્યવાળો ઉત્તર વાળ્યો :
‘‘આમાદેર જાત્રા હલો શુરૂ, એખન ઓગો કર્ણધાર !
‘‘આમાદેર જાત્રા હલો શુરૂ, એખન ઓગો કર્ણધાર !
તો મારે કરિ નમસ્કાર;
::: તો મારે કરિ નમસ્કાર;
એખાન બાતાસ છુટુક, તુફાન ઉઠુક,
એખાન બાતાસ છુટુક, તુફાન ઉઠુક,
ફિરબો નાગો આર,
::: ફિરબો નાગો આર,
તો મારે કરિ નમસ્કાર.’’88
તો મારે કરિ નમસ્કાર.’’<ref>‘અમારી જાત્રા હવે શરૂ થઈ છે, હવે એ કર્ણધાર તને અમારા નમસ્કાર હો; હવે ભલે પવન ફૂંકાઓ, તુફાન ઊઠો, તોપણ અમે પાછાં ફરીશું નહીં. તને અમારા નમસ્કાર હો.’ મહાદેવભાઈની ડાયરી, Vol. 5, P. 247</ref>
આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં.’’89 આ મુલાકાત પછી પ્રથા બંધ કરવામાં આવી. પરિણામે ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓ શાંતિનિકેતન છોડવા લાગ્યા. ગાંધીજીને આની જાણ ઍન્ડ્રૂઝે કરી. તેમને 23 નવેમ્બર, 1920ના જવાબમાં લખ્યું; "ગુજરાતી બાળકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં તેથી મને નવાઈ નથી લાગી. એથી તમે કંઈ પણ ગુમાવ્યું હોય એમ મને લાગ્યું નથી. એક પણ છોકરાને રાખવા માટે તમે કંઈ સિદ્ધાંતને મોળો નહીં બનાવી શકો.’’90
આ મુલાકાતનું એક અણધાર્યું પરિણામ આવ્યું, શાંતિનિકેતનમાંથી જ્ઞાતિભેદ દૂર કરવામાં આવ્યો. ગાંધીજીની આ મુલાકાત સુધી શાંતિનિકેતનમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની ભોજનવ્યવસ્થા અલાયદી રહેતી અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણેતર શિક્ષકોને પગે પડી વંદન કરતા નહીં.’’<ref>The Myrid Minded Man, P. 135</ref> આ મુલાકાત પછી પ્રથા બંધ કરવામાં આવી. પરિણામે ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓ શાંતિનિકેતન છોડવા લાગ્યા. ગાંધીજીને આની જાણ ઍન્ડ્રૂઝે કરી. તેમને 23 નવેમ્બર, 1920ના જવાબમાં લખ્યું; "ગુજરાતી બાળકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં તેથી મને નવાઈ નથી લાગી. એથી તમે કંઈ પણ ગુમાવ્યું હોય એમ મને લાગ્યું નથી. એક પણ છોકરાને રાખવા માટે તમે કંઈ સિદ્ધાંતને મોળો નહીં બનાવી શકો.’’<ref>અ. દે., Vol. 19, P. 12</ref>
આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો.
આ વખતે અસહકાર અને ખિલાફલનું આંદોલન જોરમાં હતું. દેશનો એક મોટો વર્ગ આના જુવાળમાં ખેંચાયો હતો.
અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ.
અસહકાર આંદોલન સાથે કવિ ટાગોર અને ગાંધીજીના વૈચારિક, દાર્શનિક, રાજકીય મતભેદો સ્પષ્ટપણે ઊભરી આવ્યા; દેશજનતા સમક્ષ મૂક્યા અને તેમના સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ.
 
{{સ-મ||'''* * *'''}}
1. ‘ગાંધીજીનો અક્ષરદેહ’, Vol. 12, PP. 306-307
2. એજન, P. 333
3. એજન, Vol. 14, P. 454
4. એજન, Vol. 12, P. 457
5. એજન, P. 467
6. ‘સત્યના પ્રયોગો’ અથવા ‘આત્મકથા’, P. 344, હવે પછી આત્મકથા
7. અ. દે., Vol. 12, P. 483
7a. 18 ફેબ્રુઆરીએ કવિએ ઍન્ડ્રૂઝને પત્રમાં લખ્યું; "હું આશા રાખું છું કે મહાત્મા અને શ્રીમતી ગાંધી બલિપુર પહોંચ્યા હશે અને શાંતિનિકેતને તેઓને આપણને અને તેમને છાજે તેમ સત્કાર કર્યો હશે. અમે મળીશું ત્યારે હું પ્રત્યક્ષપણે તેઓને મારો પ્રેમ આપીશ. સી.એફ. ઍન્ડ્રૂઝ, Letters to a friend,  P. 35
8. જુઓ, ગોપાલકૃષ્ણ ગાંધી, Gandhi and Bengal : A Difficult Friendship, P. 52 હવે Gandhi And Bengal
9. અ. દે., Vol. 13, PP. 23-24
10. આત્મકથા, PP. 351-352
11. અ. દે., Vol. 13, P. 151
12. આત્મકથા, P. 359
13. એજન, P. 352-353 (આત્મકથા લખતી વખતે શાંતિનિકેતનની પહેલી બે મુલાકાતો વચ્ચેનું અંતર ભૂંસાઈ ગયું છે. આ અખતરો બીજી મુલાકાત દરમિયાન થયો. પણ આનું વિવરણ આપ્યા બાદ ગાંધીજી ગોખલેના અવસાનના તારને કારણે શાંતિનિકેતન છોડવું પડ્યું તેમ નોંધે છે.)
14. ક્રિષ્ના દત્ત, ઍન્ડ્રૂઝ રોબિન્સન; Rabindranath Tagore : The Myriad-Minded Man, P. 196
15. અ. દે., Vol. 13, P. 38
16. સવ્યસાચી ભટ્ટાચાર્ય (સંપા.) The Poet and The Mahatma, P. 44 મૂળ અંગ્રેજીમાંથી આ લેખકનો ગુજરાતી અનુવાદ. જ્યાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવે તે સિવાયનાં બધા મૂળ અંગ્રેજીના અનુવાદ આ લેખકના છે.
17. The Myrid Minded Man., P. 418
18. એજન, P. 197
19. અ. દે., Vol. 14, P. 16
20. અ. દે., Vol. 15, P. 38
21. એજન.
22. ગોપાલકૃષ્ણ ગાંધી; Gandhi and Bengal, P. 81
23. અ. દે., Vol. 14, PP. 128-129
24. અ. દે., Vol. 14, P. 137
25. અ. દે., Vol. 14, P. 335
26. એજન
27. એજન
28. જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. 85 સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.
29. ‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12
30. ‘‘જ્યાં મન નિર્ભય રહે સદાયે,
મસ્તક ઊંચું રાખી શકાય,
જ્યહાં જ્ઞાન છે સ્વતંત્ર, વસતું
વચન દરેક સત્યની માંહ્ય.
દુનિયા નહિં વ્હેંચાઈ-કપાઈ
દીવાલ અનેક વડે જ્યહાં,
ટુકડા થઈ સેંકડો સાંકડી
કૌટુમ્બિક કોટડીઓ માંહ્ય.
ઉત્તમતા મેળવવા યત્નો
જ્યહાં નિરંતર ચાલુ રહેજ,
નહિ થાક ને નહિં વેદના 
નિષ્ફળતા નહિ રોકી શકે જ.
બુદ્ધિનું નિર્મળ ઝરણું જ્યાં
વ્હયાં કરે છે પ્રબળ હંમેશ,
ચેતનહીન રૂઢિના રણમાં,
ભૂલી પન્થ ન ડૂબે લેશ.
નિત્ય વિકાસતાં વિચાર-કર્મો
વિશે તુંથી મન જ્યાં પ્રેરાય
સ્વતંત્રતાના એ સ્વર્ગે
પ્રિય બાપુજી ! આમ દેશ જગાવ્ય.’’
આના અનુવાદક રામમોહનરાય જસવંતરાય દેસાઈ છઠ્ઠી સાહિત્ય પરિષદના કાર્યવાહક મડંળના સભ્ય પણ હતા. ‘નવજીવન’ના પ્રથમ અંકમાં કવિ ટાગોરની કૃતિનો અનુવાદ સૂચક છે.
31. રવિશંકર રાવળ, ગુજરાતમાં કલાનાં પગરણ, PP. 282-283
32. એજન, P. 283
33. અ. દે., Vol. 16, P. 229-230
34. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો હેવાલ નોંધે છે કે; "...એમ માની લીધેલું કે ડિસેમ્બર માસમાં સુલેહના તહેવારોની રજા બધાંને અનુકૂળ થઈ પડશે; પરંતુ પાછળથી માલૂમ પડ્યું કે કેળવણી ખાતામાં કામ કરતો શિક્ષક વર્ગ, જે પરિષદના કામક્જમાં રસપૂર્વક ભાગ લે છે તે બીજાં જરૂરી રોક્ણને લીધે તે વખતે પરિષદમાં સમૂળગો હાજરી આપી શકશે નહિ. આ મુશ્કેલીની ખબર કમિટીને કાને આવતાં તા. 13મી નવેમ્બરે કારોબારી કમિટીની સભા મેળવી પરિષદની બેઠક સન 1920ના ઇસ્ટરના તહેવારમાં ભરવાનો છેવટનો નિર્ણય કરવામાં આવ્યો. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, PP. 12-13, શૈલેષ પારેખ; અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 8 પર નોંધાયેલું.)
35. અ. દે., Vol. 16, P. 459
36.                              I
અતીત ગૌરવવાહિની મેરી વાણિ, ગાઓ અબ (2) હિંદુસ્તાન
મહાસભા ઉન્માદિની મેરી વાણિ, ગાઓ અબ (2) હિન્દુસ્તાન
કરો વિક્રમ વિભવ યશ: સૌરભ
પૂરિત વહી નામ ગાન,
બંગ, બિહાર, અયોધ્યા, ઉત્કલ
મંદ્રજ, મરાઠ, ગુર્જર, નેપલ
પંજાબ રાજપૂતાન,
હિંદુ, પારસી, જૈન, ઇસાઈ
શીખ, મુસલમાન,
ગાઓ સકલ કંઠે, સકલ ભાવે,
નમો હિન્દુસ્તાન
હર હર હર જય હિંદુસ્તાન,
સત શ્રિય ક્લ હિંદુસ્તાન,
અલ્લાહો અકબર હિંદુસ્તાન
નમો હિન્દુસ્તાન
II
ભેદ રિપુ નાશિનિ મેરી વાણિ, ગાઓ અજ (2) ઐક્ય ગાન,
મહાબલ વિધાયિની મેરી વાણિ, ગાઓ અજ (2) ઐક્ય ગાન.
મિલાઓ દુ:ખે સૌખ્યે, સખ્ય લક્ષ્યે
કાય મન: પ્રાણ
બંગ વિહાર... . ... ... ... ... નમો હિંદુસ્તાન
હરે મુરારે હિંદુસ્તાન
દાદા હોર્મઝદ હિંદુસ્તાન
અલ્લાહો અકબર હિંદુસ્તાન
નમો હિંદુસ્તાન.
III
સકલજન ઉત્સાહની મેરી વાણિ, ગાઓ અજ (2) નવતાન.
મહાજાતિ સંગઠિનિ મેરી વાણિ, ગાઓ અજ (2) નવતાન
ઉઠાઓ કર્મ નિશાન, ધર્મ વિજ્ઞાન
બજાઓ ચિતાએ પ્રાણ,
બંગ બિહાર... ... ... ... ... ... નમો હિંદુસ્તાન
જય જય બ્રહ્મ હિંદુસ્તાન
જય જીહોવા હિંદુસ્તાન
અલ્લાહો અકબર હિંદુસ્તાન નમો હિંદુસ્તાન.
‘નવજીવન’, 7 માર્ચ, 1920, P. 201
37. અ. દે., Vol. 17, P. 73
38. એજન, P. 87
39. એજન. કવિશ્રી તથા તેમની સાથે આવેલા આચાર્ય ક્ષિતિમોહન સેન, ઍન્ડ્રૂઝ તથા વિલ્યમ પિયર્સને એક રાત આશ્રમમાં ગાળી, બાકીના દિવસો શેઠ અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીના મહેમાન તરીકે તેમના શાહીબાગના નિવાસસ્થાન ‘રિટ્રીટ’માં રહ્યા.
40. અહીં નોંધવું જોઈએ કે આ સમયે ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ટાગોર હયાત હતા અને શાંતિનિકેતનમાં નિવાસ કરતા હતા. આત્માનો અર્થ અહીં સત્ત્વનો છે.
41. નવજીવન, 21 માર્ચ, 1920, P. 432
42. અ. દે., Vol. 17, P. 281
43. નવજીવન, 28 માર્ચ 1920, PP. 440-441
44. એજન, P. 442
45. એજન, PP. 442-443
46. એજન, PP. 444-445 આ જ અંકમાં પાન 452 ઉપર  1 એપ્રિલ 1920થી 8 એપ્રિલ 1920 સુધી યોજાનાર ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકોની વિગતવાર યાદી આપવામાં આવી.
47. રવિશંકર રાવળ, ગુજરાતમાં કલાનાં પગરણ, P. 289
48. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, P. 12, શૈલેષ પારેખ, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 14, ઉપર
49. એજન, P. 15
50. માનપત્રના પૂરા પાઠ માટે જુઓ પરિશિષ્ટ-1
52. ‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-2
53. ‘નિર્માણ વિરુદ્ધ સર્જન’, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 29
54. એજન, P. 30
55. એજન, P. 31
56. એજન, P. 33
57. એજન, P. 40
58. આ વ્યાખ્યાનના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-3.
59. અ. દે., Vol. 17, P. 287
60. એજન.,
61. એજન, P. 290
62. એજન, P. 294
63. નવજીવન, 9 મે, 1920, એજન, P. 510 કાવ્યની અન્ય પંક્તિઓ નીચે પ્રમાણે હતી.
‘‘ઓ હૃદય... પૂજન વાગીશના. (ટેક)
તમ વેણુ ને વીણા તણો સૂર જીવનમાં ઉતારજો;
દ્રવી દિવ્ય પૂજન અમી રસે અમ અંતરો અજવાળજો. (1) ઓ.
પ્રગટો હૃદય રશ્મિ તમે વિકસો વિમળ ઉદ્યતિ ત્યાં,
બંધન તણી બેડી હણી વિલસાવજો ચિત્ત મહીનાં;
પળવાર તમ સ્વર લીન હૃદ તલ્લીન તન્મય થઈ અમે;
આશા નિરાશા દુ:ખ સુખને જય પરાજય ભૂલીએ. (2) ઓ.
ગતિમાન ગાન વિમાન તમ ઊંચા ઊડે ગગનાંગણે,
સ્વર્ગીય કવિતા આપની લઈ જાય છે પ્રભુ બારણે;
રસ પ્રેમ કોકિલ બુલબુલો શ્રુતિ મધુર ગાયન જ્યાં ભણે,
અમ આત્મપંખી ત્યાં વહાવો પથ ચઢાવો તમ તણે. (3) ઓ.
64. એજન
65. એજન.
66.
‘‘ठाकुर तव शरणाई आयो
उतर गया मेरो मन का संशय
अब तेरा दर्शन पायो ।।
अब बोलत मेरी वृथा जानी
अपना नाम जपायी
बाह पकड लीने जन अपने
गृह अंध कुप ते पायो ।
दुख नोट सुखसे हेत समायो
आनंद आनंद गुण गायो
कहे नानक हरि बंधन काटे
बिछुरत आन मिलायो ।’’
67. એજન, P. 511
68. ‘નવજીવન’, 16 મે 1920, P. 518
69. એજન.
70. ‘ગાંધીજીની દિનવારી’, P. 100
71. અ. દે. Vol. 17, P. 370
72. ગુજરાતમાં કલાના પગરણ, P. 289 માં રવિશંકર રાવળ નીચેનો કિસ્સો નોંધે છે : ‘‘હું પ્રદર્શન ઉપર છેલ્લી નજર નાખતો હતો ત્યાં જનાર્દન ટાગોરનો આગલા દિવસે પાડેલો ફોટો 17 × 23ના કદમાં એન્લાર્જ કરી, તેમાં રંગભરી કાચની તકતીમાં મઢીને લઈ આવ્યા. લાગલો જ તેને પ્રવેશદ્વારની સામેના દ્વાર પર લટકાવી દેવાઈ ગયો. તેના ઉપર કિંમતને સ્થાને ‘ઑફર’ શબ્દ લખાયો... આનંદશંકરભાઈએ મને કહેણ મોકલ્યું. તેઓ ટાગોરની છબિવાળા દ્વાર પાસે રાહ જોતા ઊભા હતા. મને કહે ‘આ ઑફર (રકમની માંગણી) કેટલે સુધી રાખેલી છે ?’ મેં તરત નજીકમાં ઊભેલા જનાર્દન તરફ નજર કરી એટલે તે બોલ્યા : ‘એક ખાસ ઝડપી કામ લંબે તો રૂ. 150 કિંમત મૂકી શકાય.’ તરત શ્રી આનંદશંકરભાઈ બોલ્યા : ‘મારી પાસે રકમ લઈ ચિત્ર મને પહોંચાડજો. લેબલ કાઢી નાંખો.’ હું સમજ્યો કે ટાગોર જેવા મહેમાનની છાતી પર ‘ઑફર’ મૂકવી એ ઘણું અઘટિત વર્તન હતું.
73. એજન, P. 290 ‘વસંતના વધામણા’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-4. શૈલેષ પારેખ નોંધે છે કે તે જ દિવસે સાંજે રવીન્દ્રનાથે, તેઓ 42 વર્ષ પહેલાં જ્યાં રહ્યા હતા તે શાહજહાંના મહેલની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે ક્ષિતિમોહન સેન, સંતોષચંદ્ર, કરુણાશંકર ભટ્ટ ઇત્યાદિ હતા. 17 વર્ષની વયે, તેમના મોટા ભાઈ, સત્યેન્દ્રનાથના ગ્રંથાગારમાંથી મળેલા અમરુશતક અને ગીતગોવિંદ, અરધું-પરધું સમજીને માત્ર ધ્વનિ-લાલિત્યના આકર્ષણથી વાંચ્યાં હતાં –તેની સ્મૃતિને ઢંઢોળીને જાગ્રત કરી. કરુણાશંકરના કહેવાથી રવીન્દ્રનાથે અમરુશતકની બે-એક શ્લોકની પંક્તિનું સ્મરણ કર્યું હતું અને તેની પાદપૂર્તિ કરી હતી ક્ષિતિમોહન અને કરુણાશંકરે. ત્યારે એ શ્લોકના છંદ સંવાદ અંગે રવીન્દ્રનાથે અદભુત આલોચના કરી હતી. અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 48
74. ગુજરાતમાં કલાના પગરણ, P. 291
75. ‘નવજીવન’, 4 એપ્રિલ, 1920, P. 462
76. ‘નવજીવન’, 11 એપ્રિલ 1920, P. 466
77. એજન, P. 468 કાકાસાહેબ કાલેલકરે જુદા લેખમાં કલા-પ્રદર્શનનો હેવાલ આપ્યો : ‘‘પરદેશી રિવાજો અને પરદેશી કળાનું અનુકરણ કરવાથી આપણી સંસ્કૃતિના આદર્શોને કેટલો ધોકો પહોંચે છે અને સમાજમાંથી દહાડે દહાડે ખાનદાનીનો કેવો નાશ થાય છે એટલું જો આપણાં સુશિક્ષિત સ્ત્રીપુરુષોને સમજાયું હોત તો આ પ્રદર્શનમાં સુશિક્ષિત સ્ત્રીઓએ મોકલેલાં ચિત્ર-વિચિત્ર કપડાં પ્રદર્શનની શોભાને વણસાવત નહીં. એજન, P. 470
78. અ. દે. Vol. 18, P. 31
79. ‘નવજીવન’, 18 જુલાઈ 1920, P. 592
80. અ. દે. Vol. 18, P. 56
81. ‘મહાદેવભાઈની ડાયરી’, Vol. 5, P. 241
82. એજન, P. 242
83. એજન
84. એજન, PP. 242-243
85. એજન, P. 243
86. અ. દે. Vol. 18, P. 245
87. એજન, P. 247
88. ‘અમારી જાત્રા હવે શરૂ થઈ છે, હવે એ કર્ણધાર તને અમારા નમસ્કાર હો; હવે ભલે પવન ફૂંકાઓ, તુફાન ઊઠો, તોપણ અમે પાછાં ફરીશું નહીં. તને અમારા નમસ્કાર હો.’ મહાદેવભાઈની ડાયરી, Vol. 5, P. 247
89. The Myrid Minded Man, P. 135
90. અ. દે., Vol. 19, P. 12
{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{Reflist}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રારંભિક
|next =  
|next = 2
}}
}}
<br>
19,010

edits