અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/મન માને, તબ આજ્યો…: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મન માને, તબ આજ્યો {{space}}માધો, મન માને તબ આજ્યો રે. આ ઘડીએ નહીં રોકું, {...") |
(No difference)
|
Revision as of 16:21, 24 June 2021
મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
રોકાયું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. માધોo
ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોી દન અહીં થઈ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઈ જાજ્યો રે માધોo
મૂકી ગયાં જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં, ધથાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ.
હર ટહુકો દરદે તાજો રે. માધોo
મન માને તબ આજ્યો, માધો.