સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/સુવ્યવસ્થા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 2: Line 2:




માણસે જગતમાં જે સુવ્યવસ્થા ઊભી કરી છે, ત્ાથા એને સર્વત્ર સુવ્યવસ્થા જડી આવી છે, તે એને માટે ઘણા ગૌરવની વાત છે.
માણસે જગતમાં જે સુવ્યવસ્થા ઊભી કરી છે, તથા એને સર્વત્ર સુવ્યવસ્થા જડી આવી છે, તે એને માટે ઘણા ગૌરવની વાત છે.
ખગોળશાસ્ત્રી આંખ ઉઠાવીને તારાઓનું અવલોકન કરે છે અને આકાશનો એક નકશો બનાવે છે. તે આકાશી ગોળાઓના નિયમિત ભ્રમણનો અભ્યાસ કરે છે, સૂર્યની આસપાસ થતી રહેતી ગ્રહોની ગતિને તે ગણે છે. વળી જે ક્ષણે ચંદ્ર પૃથ્વી અને સૂર્યના બિંબ વચ્ચે થઈને પસાર થતો હોય છે ત્યારે આપણે જેને ગ્રહણ થતું કહીએ છીએ તે વિશે એ આપણને અગાઉથી ખબર આપતો રહે છે. ખગોળવિદ્યાનું આખુંયે શાસ્ત્ર આમ સુવ્યવસ્થાના સિદ્ધાંત ઉપર મંડાયેલું છે.
ખગોળશાસ્ત્રી આંખ ઉઠાવીને તારાઓનું અવલોકન કરે છે અને આકાશનો એક નકશો બનાવે છે. તે આકાશી ગોળાઓના નિયમિત ભ્રમણનો અભ્યાસ કરે છે, સૂર્યની આસપાસ થતી રહેતી ગ્રહોની ગતિને તે ગણે છે. વળી જે ક્ષણે ચંદ્ર પૃથ્વી અને સૂર્યના બિંબ વચ્ચે થઈને પસાર થતો હોય છે ત્યારે આપણે જેને ગ્રહણ થતું કહીએ છીએ તે વિશે એ આપણને અગાઉથી ખબર આપતો રહે છે. ખગોળવિદ્યાનું આખુંયે શાસ્ત્ર આમ સુવ્યવસ્થાના સિદ્ધાંત ઉપર મંડાયેલું છે.
એ જ રીતે ગણિતશાસ્ત્ર પણ એક સુવ્યવસ્થાનું શાસ્ત્ર છે. એક નાનું બાળક પણ તે ખરા ક્રમ પ્રમાણે આંકડા ગણે છે ત્યારે આનંદ અનુભવે છે. પોતાનાં આંગળાં કે લખોટા ગણતાં ગણતાં એને એકદમ ખબર પડી જાય છે કે એક, પાંચ, ત્રણ, દસ... એમ બોલવાનો કશો અર્થ નથી. એ તો એક, બે, ત્રણ, ચાર.. એમ જ ગણે છે. અને આખું ગણિતશાસ્ત્ર અહીંથી જ આરંભ પામે છે.
એ જ રીતે ગણિતશાસ્ત્ર પણ એક સુવ્યવસ્થાનું શાસ્ત્ર છે. એક નાનું બાળક પણ તે ખરા ક્રમ પ્રમાણે આંકડા ગણે છે ત્યારે આનંદ અનુભવે છે. પોતાનાં આંગળાં કે લખોટા ગણતાં ગણતાં એને એકદમ ખબર પડી જાય છે કે એક, પાંચ, ત્રણ, દસ... એમ બોલવાનો કશો અર્થ નથી. એ તો એક, બે, ત્રણ, ચાર.. એમ જ ગણે છે. અને આખું ગણિતશાસ્ત્ર અહીંથી જ આરંભ પામે છે.