કાવ્યચર્ચા/નર્મદ એક મૂલ્યાંકન: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''નર્મદ: એક મૂલ્યાંકન'''}} ---- {{Poem2Open}} આજે નર્મદને યાદ કરીએ છીએ ત્યારે એ...")
 
No edit summary
Line 11: Line 11:


કાવ્યરચના પરત્વે એનો જેટલો પરિશ્રમ હતો તેટલી જ જો સાધના હોત તો કદાચ એ થોડી પણ સારી કવિતા રચી શક્યો હોત. એની ચંચળતા ને એની અધીરાઈ એવી કશી સાધનાને પ્રતિકૂળ હતાં. આથી જ તો કવિતાને એક લાગણીનો સ્વયંભૂ ઊભરો માની બેઠો, પ્રશાન્તિની પળોમાં એ લાગણીઓનું અનુરણન સાંભળવા જેટલી એનામાં ધીરજ નહોતી. નર્મકવિતાના પ્રારમ્ભમાં જ એ મંગળાચરણમાં પોતાની કવિતાને નર્મશર્મસૂચક કહીને ઓળખાવે છે, ને એનો અર્થ સમજાવતાં પોતાની કવિતામાં શૃંગારનું અને શાન્ત રસનું સુખ સિદ્ધ કરવા ઇચ્છે છે એમ પણ કહે છે. અલબત્ત, આ એની અભિલાષા છે. એને એ સિદ્ધ કરી શક્યો નથી તેની એને પણ ખબર છે. આથી જ તો એ પોતે કહે છે:
કાવ્યરચના પરત્વે એનો જેટલો પરિશ્રમ હતો તેટલી જ જો સાધના હોત તો કદાચ એ થોડી પણ સારી કવિતા રચી શક્યો હોત. એની ચંચળતા ને એની અધીરાઈ એવી કશી સાધનાને પ્રતિકૂળ હતાં. આથી જ તો કવિતાને એક લાગણીનો સ્વયંભૂ ઊભરો માની બેઠો, પ્રશાન્તિની પળોમાં એ લાગણીઓનું અનુરણન સાંભળવા જેટલી એનામાં ધીરજ નહોતી. નર્મકવિતાના પ્રારમ્ભમાં જ એ મંગળાચરણમાં પોતાની કવિતાને નર્મશર્મસૂચક કહીને ઓળખાવે છે, ને એનો અર્થ સમજાવતાં પોતાની કવિતામાં શૃંગારનું અને શાન્ત રસનું સુખ સિદ્ધ કરવા ઇચ્છે છે એમ પણ કહે છે. અલબત્ત, આ એની અભિલાષા છે. એને એ સિદ્ધ કરી શક્યો નથી તેની એને પણ ખબર છે. આથી જ તો એ પોતે કહે છે:
 
વિરસ વિકટ મુજ કવન
            વિરસ વિકટ મુજ કવન
છે ગ્રીષ્મ તણું એ ઘાસ
છે ગ્રીષ્મ તણું એ ઘાસ


અને એનું કારણ પણ પૂરી સમજથી આ પ્રમાણે આપે છે:
અને એનું કારણ પણ પૂરી સમજથી આ પ્રમાણે આપે છે:
 
વ્યગ્ર ચિત્તથી કાવ્ય કીધ
            વ્યગ્ર ચિત્તથી કાવ્ય કીધ
તેથી તે બેહાલ.
તેથી તે બેહાલ.


Line 24: Line 22:
એની શરૂઆતની રચનામાં સમાજસુધારણાનો વિષય જ પ્રાધાન્ય ભોગવે છે. કેટલીક વાર કોઈ બીજી ભાષાની સારી રચના જોવામાં આવતી તો એ પ્રકારની રચના કરવાનું એને મન થતું. વામન પંડિતનું મરેઠી ‘ગોપી’ જોઈને એવી રીતે રચના કરવાનું મન થયું, પણ એ ચોપડી લેવાના પૈસા નહિ, તેથી એક શ્રીમાળી બ્રાહ્મણની પાસેથી આનાના પૈસા ઉછીના લઈને ચોપડી ખરીદીને લલિત છન્દ શીખી લીધો. ઋતુવર્ણન કરવાનો વિચાર કર્યો ત્યારે સૌપ્રથમ તો એને ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ નામના કાવ્યમાં ગરીબોના બાર મહિના કેવા જાય છે તે વર્ણવ્યા. આ કદાચ અર્વાચીન કવિતાનું સૌપ્રથમ દલિતપીડિતોનું કાવ્ય હશે, એનો ઉદ્દેશ કદાચ ગરીબો પ્રત્યે સમભાવ ઉત્પન્ન કરવાનો હશે એમ છતાં નર્મદની સચ્ચાઈભરી અનુકમ્પા એમાં છતી થાય જ છે. આ જ રીતે 1857ના બળવામાં હણાયેલા અંગ્રેજ યોદ્ધાઓની વિધવાઓ તથા નિરાશ્રિત કુટુમ્બીઓને માટે શિબિર ફંડ ઉઘરાવવાને ટાઉનહોલમાં સભા મળેલી ત્યારે એને તો દેશના પરદેશી સત્તા નીચેના સદાના નિરાશ્રિતો જ યાદ આવ્યા. અંગ્રેજ અમલદારો આગળ પોતાનું નામ ને વટ જાળવવા નીચી મૂંડીએ આંકડો માંડી આપતા ધનિકોને એ ઠપકારે છે:
એની શરૂઆતની રચનામાં સમાજસુધારણાનો વિષય જ પ્રાધાન્ય ભોગવે છે. કેટલીક વાર કોઈ બીજી ભાષાની સારી રચના જોવામાં આવતી તો એ પ્રકારની રચના કરવાનું એને મન થતું. વામન પંડિતનું મરેઠી ‘ગોપી’ જોઈને એવી રીતે રચના કરવાનું મન થયું, પણ એ ચોપડી લેવાના પૈસા નહિ, તેથી એક શ્રીમાળી બ્રાહ્મણની પાસેથી આનાના પૈસા ઉછીના લઈને ચોપડી ખરીદીને લલિત છન્દ શીખી લીધો. ઋતુવર્ણન કરવાનો વિચાર કર્યો ત્યારે સૌપ્રથમ તો એને ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ નામના કાવ્યમાં ગરીબોના બાર મહિના કેવા જાય છે તે વર્ણવ્યા. આ કદાચ અર્વાચીન કવિતાનું સૌપ્રથમ દલિતપીડિતોનું કાવ્ય હશે, એનો ઉદ્દેશ કદાચ ગરીબો પ્રત્યે સમભાવ ઉત્પન્ન કરવાનો હશે એમ છતાં નર્મદની સચ્ચાઈભરી અનુકમ્પા એમાં છતી થાય જ છે. આ જ રીતે 1857ના બળવામાં હણાયેલા અંગ્રેજ યોદ્ધાઓની વિધવાઓ તથા નિરાશ્રિત કુટુમ્બીઓને માટે શિબિર ફંડ ઉઘરાવવાને ટાઉનહોલમાં સભા મળેલી ત્યારે એને તો દેશના પરદેશી સત્તા નીચેના સદાના નિરાશ્રિતો જ યાદ આવ્યા. અંગ્રેજ અમલદારો આગળ પોતાનું નામ ને વટ જાળવવા નીચી મૂંડીએ આંકડો માંડી આપતા ધનિકોને એ ઠપકારે છે:


            ટાઉનહોલમાં ભૂપને જોઈ
ટાઉનહોલમાં ભૂપને જોઈ
સટોસટ્ટ કરો સહુ સોઇ
સટોસટ્ટ કરો સહુ સોઇ
રખે માનવજન વટ જાએ
રખે માનવજન વટ જાએ
Line 34: Line 32:
કાવ્યોમાં એણે વિષયવિસ્તાર સાધ્યો એની ના નહિ, પણ નવા વિષયોની કાવ્યક્ષમતા એ હંમેશાં જ પ્રકટ કરી શક્યો છે એવું નથી. વિધવાના દુ:ખ માટે એને સહાનુભૂતિ હતી, એની સચ્ચાઈ વિશે પણ આપણે શંકા નહીં લાવીએ તેમ છતાં એ વિષયની રચનાઓમાં કાવ્યત્વ પાંખું છે, પ્રાકૃતતા ઘણી છે, એને અંગે એ શાસ્ત્રાર્થ પણ પદ્યમાં કરે છે. ભાઉ દાજી જેવાને એ સારો પણ લાગે છે. ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ પુનવિર્વાહ સમયે ગાવાનું ગીત પણ લખી નાંખે છે. લોકોના કુરિવાજો દૂર કરવાનું અંગ્રેજી પ્રજાના સમ્પર્કથી જ સૂઝ્યું એ સ્વીકારીને એ અંગ્રેજોનો આભાર માની લે છે:
કાવ્યોમાં એણે વિષયવિસ્તાર સાધ્યો એની ના નહિ, પણ નવા વિષયોની કાવ્યક્ષમતા એ હંમેશાં જ પ્રકટ કરી શક્યો છે એવું નથી. વિધવાના દુ:ખ માટે એને સહાનુભૂતિ હતી, એની સચ્ચાઈ વિશે પણ આપણે શંકા નહીં લાવીએ તેમ છતાં એ વિષયની રચનાઓમાં કાવ્યત્વ પાંખું છે, પ્રાકૃતતા ઘણી છે, એને અંગે એ શાસ્ત્રાર્થ પણ પદ્યમાં કરે છે. ભાઉ દાજી જેવાને એ સારો પણ લાગે છે. ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ પુનવિર્વાહ સમયે ગાવાનું ગીત પણ લખી નાંખે છે. લોકોના કુરિવાજો દૂર કરવાનું અંગ્રેજી પ્રજાના સમ્પર્કથી જ સૂઝ્યું એ સ્વીકારીને એ અંગ્રેજોનો આભાર માની લે છે:


            ખરે અવતર્યા અંગ્રેજ સુધારવા જો
ખરે અવતર્યા અંગ્રેજ સુધારવા જો


આખ્યાનમાં પ્રકૃતિ ઉદ્દીપન વિભાવ તરીકે સ્થાન પામતી. પણ પ્રકૃતિ વિશેનાં જ સ્વતન્ત્ર કાવ્યોની શરૂઆત નર્મદે કરી. ઋતુવર્ણન, વનવર્ણન, નર્મટેકરી પર કરેલા વિચાર – આનાં ઉદાહરણો છે. ઋતુવર્ણન વિશે એણે શરૂમાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે એ કાલિદાસના ‘ઋતુસંહાર’ કે ટોમ્સનના ‘સીઝન્સ’થી સાવ જુદી જ કૃતિ છે. એ કહે છે, ‘ઉપલા બે ગ્રન્થોમાં ઋતુઋતુના સૃષ્ટિમાં જે બહારના ચમત્કાર જોવામાં આવે છે તેનું જ વિશેષ વર્ણન છે. પણ આ ગ્રન્થમાં બહારના દેખાવોનો આબેહૂબ ચિતાર પણ આપેલો છે. અને એ જ ગ્રન્થની ખૂબી છે. અલંકાર પણ નવા છે. અલંકારના ઉપયોગ વિશે એની પોતાની આગવી સમજ હોવાનો દાવો પ્રગલ્ભપણે એ કરે છે: ‘મને સંસ્કૃત ગ્રન્થોની અલંકાર આપવાની સ્વચ્છન્દી રીત શાસ્ત્રીય નથી લાગતી.’ આ ઉપરાંત પોતાનાં કાવ્યોનાં પોતે કરેલાં ટિપ્પણ વિશે પણ એ આવો ખુલાસો કરે છે: ‘એમાં અર્થની જે ટીકા કરી છે તે વ્યાકરણ રીતે અન્વયપુરસ્સર અને પછી તેમાંથી નીકળતી જે રસવ્યંજના તે અનુભવી જનને સહેલેથી સમજાય તેવી રીતે બતાવી છે.’ અહીં એ વાચ્યાર્થ ને ધ્વન્યર્થની વાત કરે છે. ‘રસવ્યંજના’ જેવી સંજ્ઞા કદાચ વિવેચનમાં એ પહેલીવહેલી જ દાખલ કરે છે. રસનો અર્થ એ મજા પડવી એવો કરે છે, તે કલ્પનાશક્તિને સ્થાને તર્કશક્તિ એવી સંજ્ઞા વાપરે છે. કવિતા રચવી એને ખૂબ જ ગમે છે ને આથી પ્યારી કવિતા ઉપરનો પ્યારા કવિના પ્યાર વિશે વાત કરતાં એ ઇશ્કે મિજાજી ને ઇશ્કે હકીકીનો વિવેક પણ કરી બતાવે છે. નરસિંહરાવની પહેલાં ‘ચંદા’ શબ્દ નર્મદ વાપરે છે ને ચંદા સાથેનું અદ્વૈત વર્ણવતી પંક્તિમાં ઠીક ઠીક પ્રૌઢિનો પરિચય કરાવે છે.
આખ્યાનમાં પ્રકૃતિ ઉદ્દીપન વિભાવ તરીકે સ્થાન પામતી. પણ પ્રકૃતિ વિશેનાં જ સ્વતન્ત્ર કાવ્યોની શરૂઆત નર્મદે કરી. ઋતુવર્ણન, વનવર્ણન, નર્મટેકરી પર કરેલા વિચાર – આનાં ઉદાહરણો છે. ઋતુવર્ણન વિશે એણે શરૂમાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે એ કાલિદાસના ‘ઋતુસંહાર’ કે ટોમ્સનના ‘સીઝન્સ’થી સાવ જુદી જ કૃતિ છે. એ કહે છે, ‘ઉપલા બે ગ્રન્થોમાં ઋતુઋતુના સૃષ્ટિમાં જે બહારના ચમત્કાર જોવામાં આવે છે તેનું જ વિશેષ વર્ણન છે. પણ આ ગ્રન્થમાં બહારના દેખાવોનો આબેહૂબ ચિતાર પણ આપેલો છે. અને એ જ ગ્રન્થની ખૂબી છે. અલંકાર પણ નવા છે. અલંકારના ઉપયોગ વિશે એની પોતાની આગવી સમજ હોવાનો દાવો પ્રગલ્ભપણે એ કરે છે: ‘મને સંસ્કૃત ગ્રન્થોની અલંકાર આપવાની સ્વચ્છન્દી રીત શાસ્ત્રીય નથી લાગતી.’ આ ઉપરાંત પોતાનાં કાવ્યોનાં પોતે કરેલાં ટિપ્પણ વિશે પણ એ આવો ખુલાસો કરે છે: ‘એમાં અર્થની જે ટીકા કરી છે તે વ્યાકરણ રીતે અન્વયપુરસ્સર અને પછી તેમાંથી નીકળતી જે રસવ્યંજના તે અનુભવી જનને સહેલેથી સમજાય તેવી રીતે બતાવી છે.’ અહીં એ વાચ્યાર્થ ને ધ્વન્યર્થની વાત કરે છે. ‘રસવ્યંજના’ જેવી સંજ્ઞા કદાચ વિવેચનમાં એ પહેલીવહેલી જ દાખલ કરે છે. રસનો અર્થ એ મજા પડવી એવો કરે છે, તે કલ્પનાશક્તિને સ્થાને તર્કશક્તિ એવી સંજ્ઞા વાપરે છે. કવિતા રચવી એને ખૂબ જ ગમે છે ને આથી પ્યારી કવિતા ઉપરનો પ્યારા કવિના પ્યાર વિશે વાત કરતાં એ ઇશ્કે મિજાજી ને ઇશ્કે હકીકીનો વિવેક પણ કરી બતાવે છે. નરસિંહરાવની પહેલાં ‘ચંદા’ શબ્દ નર્મદ વાપરે છે ને ચંદા સાથેનું અદ્વૈત વર્ણવતી પંક્તિમાં ઠીક ઠીક પ્રૌઢિનો પરિચય કરાવે છે.


            પ્રેમચંદાની બલીહારી રે
પ્રેમચંદાની બલીહારી રે
રસીક જન હોએ.
રસીક જન હોએ.
પીએ અમૃત તો નરનારી રે
પીએ અમૃત તો નરનારી રે
18,450

edits