કંકાવટી મંડળ 2/નિર્જળ માસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નિર્જળ માસ|}} <poem> જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. નિર્જળું વ્રત એટલે? એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે — દાતણ પાણી મોક...")
(No difference)

Revision as of 11:15, 14 October 2022

નિર્જળ માસ

જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
નિર્જળું વ્રત એટલે?
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —
દાતણ પાણી મોકળાં,
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —
નાવણ પાણી મોકળાં,
તો જ બા નાહી શકે. કોઈ કહે કે —
અન્ન પાણી મોકળાં
તો જ બાથી જમી શકાય.