સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉપેન્દ્રાચાર્ય/ચારિત્રયવાન એટલે —: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ચારિત્રયવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ થઈ જાણવું અને વજ્ર ક...")
 
(No difference)

Latest revision as of 06:29, 26 May 2021

          ચારિત્રયવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ થઈ જાણવું અને વજ્ર કરતાં કઠોર પણ થઈ જાણવું; અત્યંત પ્રયત્નશીલ પણ થઈ જાણવું, અત્યંત શાંત પણ થઈ જાણવું; પ્રેમવાળા પણ થઈ જાણવું અને વિરાગવાળા પણ થઈ જાણવું; આપનાર થઈ જાણવું અને લેનાર પણ થઈ જાણવું; સુખ પણ હસીને ભોગવવું, દુઃખ પણ હસીને ભોગવવું; ભોગવી જાણવું અને સહી જાણવું; બોલી જાણવું અને મૌન પણ રહી જાણવું; જોઈ પણ જાણવું અને અંધ પણ થઈ જાણવું; અલ્પમાં જીવી જાણવું અને મરી પણ જાણવું. એ યથાર્થ ચારિત્રય છે.