ગુજરાતી ગઝલસંપદા/ અઝીઝ ટંકારવી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| અઝીઝ ટંકારવી |}} <poem> બારણે દસ્તક થયા વરસો પછી, ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.<br> એમને ભૂલા પડ્યા ના કહી શકો, જે બધા પાછા ફર્યા વરસો પછી.<br> જેમને શોધ્યા કર્યા વરસો સુધી, એ જ ઉંબર પર...") |
(No difference)
|
Latest revision as of 12:16, 8 January 2023
અઝીઝ ટંકારવી
બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.
એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.
જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.
આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.
બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.
લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.