ગુજરાતી ગઝલસંપદા/ જયંત ડાંગોદરા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| જયંત ડાંગોદરા |}} <poem> બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછ તું, અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછ તું.<br> મારી ન ડૂબકી કદી ન કાંકરીય પણ કરી, એને કદી વમળ અને વલય વિષે ન પૂછ તું.<br> છે એટલ...") |
(No difference)
|
Latest revision as of 15:24, 8 January 2023
જયંત ડાંગોદરા
બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછ તું,
અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછ તું.
મારી ન ડૂબકી કદી ન કાંકરીય પણ કરી,
એને કદી વમળ અને વલય વિષે ન પૂછ તું.
છે એટલી ખબર કે શેષમાંય જાત ના રહે,
આથી વિશે કાંઈપણ પ્રણય વિશે ન પૂછ તું.
એકાદ પાંદડુંય ફરફરે ધજા બની નભે,
એકેય પ્રશ્ન ત્યાં લગી પ્રલય વિશે ન પૂછ તું.
આંખોની સ્વસ્થતા ઉપર બધો મદાર હોય છે,
દર્પણને આમ રોજેરોજ વય વિશે ન પૂછતું.